SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ હુકમ આપે. વળી રાજાએ મંત્રીશ્વરને પૂછયું “કેમ? આ સદાગમ સાથે આપણે સમ્યગદર્શન નામના આપણું સેનાશ્રી સમ્યગ્દર્શનનો પતિને પણ મોકલશું?” સોધમંત્રીએ વિચાર હજુ અવસર નથી. કરીને જવાબ આપે “દેવ! સંસારી જીવ પાસે સ મ્યગ્દર્શન સેનાપતિ જાય એ તો ઘણું ઉત્તમ છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી, કારણ કે સદાગમ પણ સમ્યગુદર્શન સાથે હોય ત્યારે જ પોતાને ખરેખર લાભ આપી શકે છે અને તેમ થાય ત્યારે જ આપણે સર્વે પણ તેની જાણમાં આવી જઈએ છીએ, પણ હજુ તેને (સમ્યગ્દર્શનને) મોકલવાને અવસર થયે નથી, તેથી હાલ તુરત તેને મેકલ નહિ. સમજુ માણસે અવસર વગર કઈ પણ કામ કરતા નથી.” ચારિત્રરાજે વળી સવાલ કર્યો “ ત્યારે મંત્રી! એને મોકલવાને અવસર ક્યારે આવશે? તે પણ તું જણાવ.” સદબોધમંત્રીએ જવાબ આપ્યો “દેવ! તે સંબંધમાં મારે જે વિચાર છે તે હું આપને કહી સંભળાવું છું. આ સદાગમ હાલ સંસારીજી પાસે જાય, તેની પાસે રહીને તેને સારી રીતે રીઝવે, એવી રીતે કરવાથી જ્યારે એ રીઝાઈ જશે ત્યારે પછી તે વખતે સમ્યગદર્શનને મેકલ; કેમ કે આ સદાગમની બાજુમાં રહીને સંસારીજીવ વારંવાર તેના પરિચયથી જ્યારે પિતામાં તાકાત (વીર્ય) લાવશે ત્યારે સમ્યગ્દર્શનને તેની પાસે રહેવાનો વખત આવી લાગશે.” મંત્રીની સદરહુ સલાહ ચારિત્રરાજે માન્ય કરી અને તે જ વખતે તેમણે મારી પાસે સદાગમને મોકલ્યો અને સદાગમ મારી પાસે આવી પહોંચે. ૧ સદાગમ અને સમ્યગદર્શનઃ સદાગમ એટલે શુદ્ધ જ્ઞાન, વસ્તુ સ્વરૂપ બતાવનાર સાચા નિર્ણ. સમ્યગદર્શન એટલે શુદ્ધ બોધ અને શ્રદ્ધા. જ્ઞાન વગર બાલ થતો નથી અને શ્રદ્ધા સ્થિર રહેતી નથી, ઉપર ઉપરની ચા ખસી જતાં વખત લાગતું નથી. જ્ઞાન અને શ્રદ્ધાના ખરેખરાં સ્થાને જેન યોગમાં કયાં છે તે આ ફકર વાંચતાં સમજાશે. સિદ્ધાર્ષિગણિ તે સદાગમ વગર સભ્યદર્શનને અવકાશ જ નથી ત્યાં સુધી કહે છે. દર્શનપ્રાધાન્ય વર્તમાન યુગમાં આ વાત કદાચ બરાબર નહિ લાગે પણ એ વાત વિચારવા યોગ્ય છે. સદાગમ વગર દર્શન યામાહ નકામો છે, કેટલીક વાર દંભ અને કેટલીક વાર આત્મવંચના કરાવનાર થાય છે અને બધા લાંબે વખત ટકી શકતો નથી. આ વાત ખાસ વિચાર, યોગ્ય છે. સમ્યગ્દર્શનના વર્ણન માટે જુઓ . ૪. પ્ર. ૬. (૧૦૮). આ વાત એકાંત નથી પણ એકંદર વચમાં રાખવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy