SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ] સદાગમ સાન્નિધ્ય. અકલંક દીક્ષા. ૧૭૬૭ છતા. આગળ ૧ શત્રુ( મેહરાય )ના આખા લશ્કરનો નાશ કરવા શક્તિમાનૢ થશું. આપણા મહાપ્રભુ એ સંસારીજીવ છે. અત્યારે આ અટવીમાં ઉજજવ-ચિત્તવૃત્તિ મહા અટવી જરા જરા ઉજ્વળ દેખાય ધવામાં સંભાળ. છે, એમાં અગાઉ જે મારું તામસ (અંધારૂં ) વ્યાપી રહેલું હતું તે ઓછું થતું જણાય છે—એટલા ઉપરથી મને એમ લાગે છે કે આપણા એ માટે શેઠ ( સંસારીજીવ ) આપણને વધારે સારી રીતે જાણે પીછાને એવી સ્થિતિમાં આવતા જાય છે. એની ચિત્તવૃત્તિમાં રહેલા અંધકારમાં આપણે એટલા બધા દબાઈ ગયા હતા કે તેણે અત્યાર સુધી આપણને જોયા જ નથી; પણ હવે એ અંધકાર છે. થતા જાય છે અને કાંઇક ઉજવલતા થતી જાય છે, તા હવે સંસારીજીવ આપણું દર્શન જરૂર કરશે, આપણને ખરાખર જોશે એમ લાગે છે. આ પ્રમાણે હકીકત છે તો મારે એવા મત થાય છે કે આપણા મહાન્ રાજા કર્મપરિણામને પૂછીને એ સંસારીજીવ પાસે આપણે કાઇ આપણા મુદ્દામ માણસને મોકલવા. આપણા ગયેલા માસ સંસારીજી પાસે જઇને જો તેને અનુકૂળ બનાવે તેા કેટલાક વખત ગયા પછી એના મનમાં આપણને જોવાની લાલસા જરૂર ઉત્પન્ન થશે.” સદ્ધાધમંત્રીશ્વરની આવી સલાહ અને ઉપર જણાવેલા વિચારે। સાંભળીને ચારિત્રરાજ મેલ્યા “ ભાઇ ! તેં વાત ઘણી સારી કરી અને મત આપ્યા તે મને બહુ ઠીક જણાય છે. હવે આ પ્રસંગે *સારીજીવ પાસે મેાકલવા યોગ્ય આપણા કયા માણસ છે તે પણ તું જણાવ એટલે તે સંબંધમાં તજવીજ થાય.” સદ્ધેાધમંત્રીએ જવાબ આપ્યો “દેવ! મારા વિચાર પ્રમાણે તે આ સદાગમ ત્યાં માકલવા ચેાગ્ય છે. જ્યારે સંસારીજીવને આ સદાગમ સાથે ઘણી વાર પરિચય થશે ત્યારે તેનામાં આપણા દર્શનની મજબૂત ઇચ્છા ઉત્પન્ન થશે. ત્યાર પછી મહારાજા કર્મપરિણામ આપણને તેની સાથે ઓળખાણ કરાવશે તે વખતે આપણે શત્રુના ઘાત કરવા શક્તિમાન થશું.” સાધ મંત્રીએ જે હકીકત કહી અને સલાહ આપી તે સર્વ ચારિત્રાને સ્વીકારી અને સદાગમને મારી પાસે આવવા તૈયાર થવાના ૧ દર્શન: શ્લેષ છે: દર્શન એટલે (૧) જૈન દર્શન; અને (૨) દર્શન એટલે દેખવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy