SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭૬૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છે રાય અને તેની સેના સાથે લડતાં ચારિત્રરાજ (એ બન્ને) વચ્ચે યુદ્ધ થતું તેણે જોયું હતું. વળી તેણે જણાવ્યું હતું કે માહરાયે તે વખતે ચારિત્રરાજપર જીત મેળવી હતી અને તેને ઘેરીને અભિમાનમાં મેાહરાય ઊભા હતા. છેવટે વિચારે મુપિતાને જ ણાવ્યું હતું કે એવી રીતે ચારિત્રરાજને ઘેરાયલી સ્થિતિમાં જોઇને અને તેની ચાતરફ અભિમાની માહરાયનું બળવાન લરકર ફરી વળેલું દેખીને તે પિતા પાસે પાછા ફર્યાં હતા. (પૃ. ૧૩૧૭). આટલી વાત સાંભળતાં સર્વ પૂર્વ સાંભળેલી વાત વિગતસાથે અગૃહીતસંકેતાને યાદ આવી ગઇ અને તેણીએ જણાવ્યું કે અરાઅર છે! એ સર્વ વાત અગાઉ તેં પ્રાણ( નાસિકા )ના દોષ ખતાવતી વખતે જણાવી હતી. હવે મને એ સર્વ વાર્તા ખરાબર યાદ આવી ગઇ છે. હવે એ વાર્તા ત્યાંથી આગળ ચલાવ.’ Jain Education International સંસારીજીવે તેને આવી રીતે જાગૃત કર્યાં પછી પેાતાની વાર્તા આગળ ચલાવી.} ચારિત્ર માહની કથા ચાલુ, સધ સાથે કરેલા મંત્ર, સદાગમ પ્રેષણ માટે નિર્ણય, અનંત કાળથી ચિત્તવૃત્તિ અટવીમાં ચારિત્રરાજનું આખું લશ્કર ચારે તરફથી ઘેરાઇ ગયું હતું તે વાત તારા લક્ષમાં આવી ગઇ. હવે અકલંકની પાસે ઊભા ઊભા હું તેની વાત સાંભળતા હતા તે વખતે જે બનાવ બન્યા તે તું ખરાખર ધ્યાન રાખીને સાંભળ. પાતાના આખા લશ્કરને ઘેરાઇ જવાને અંગે દીલગીરિમાં પડી ગયેલું જોઇ સાધમંત્રીશ્વર રાજરાજેશ્વર ચારિત્રરાયને ઉદ્દેશીને બેઠ્યા “ દેવ ! આપણે આ મામતમાં હવે વધારે વખત દીલગીર થવાની જરૂર નથી, કારણ કે આપણા મનારથવ્રુક્ષાને પુષ્પા આવતાં દેખાય છે માટે તે હવે ફળીભૂત થશે એમ જણાય છે. હકીકત એમ છે કે આ મહા પ્રભાવશાળી સંસારીજીવ જ્યાં સુધી આપણને ઓળખતા નથી ત્યાં સુધી જ આપણને દુશ્મન તરફની સર્વ પીડા છે; જેવા તે આપણું રૂપ જાણશે, આપણને આળખશે તેવા જ તે આપણને સંતાષ આપશે અને આપણે તે જ વખતે આપણા ૧ જીવનના અગત્યના બનાવેા વાતા સાંભળતાં બની જાય છે, આખું પરિ વર્તન થઇ જાય છે એ ખાસ વિચારવા યેાગ્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy