SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ] સદાગમ સાન્નિધ્ય. અકલંક દીક્ષા. ૧૭૬૫ આથી મોટી કર્મસ્થિતિને ઓળંગીને બાકી રહેલી નાની કર્મસ્થિતિ પાસે હું આવી પહોંચ્યો. આ નાની કર્મની સ્થિતિ જલદી તોડી શકાય તેવી છે, જે તે યાદ કર. *વામદેવના પ્રસ્તાવમાં બુધસૂરિએ જે વાત કરી હતી તે તારા ધ્યાનમાં હશે. તું તે યાદ કરીશ તે તને આ વાર્તા પૂર્વથા સ્મરણ. બરાબર સમજાઈ જશે. (અગૃહીતસંકેતાએ એ વાત જરા સ્મરણમાં લઈ આવવાનું અને તે માટે ફરીવાર યાદ આપવાનું કહેતાં સંસારીજીવે કહેવા માંડ્યું છે જે તે યાદ કર. બુ ધસૂરિએ જે વખતે પિતાના હેવાલ કહેવા માંડયો હતો, તે વખતે તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર વિચાર મુસાફરી કરવા અને પરદેશ દેશદેશાવર જેવા સારૂ ગયે હતો. એ વિચાર નામને બુધસૂરિનો પુત્ર અનેક દેશમાં ફરીને ભવચક્રનું બારિકીથી નિરીક્ષણ કરીને માર્ગાનુસારિતાને સાથે લઈને ઘણે વખતે પાછો ફર્યો હતો, તેણે એકાંતમાં બુધસરિ પાસે સર્વ હકીકત નિવેદન કરી હતી. તેણે તે વખતે જણાવ્યું હતું કે મહાબળવાન મોહ ૧ કર્મચંથિ-ર, કમની મોટી સ્થિતિ હોય છે. મોહનીય કર્મની સિર કોડાક સગપમની વિગેરે. એમાં આયુષ્ય સિવાય બાકીનાં સાતે કર્મની સ્થિતિ એક કેરાકેડિ સાગરોપમથી કાંઈક ન કરે છે, એને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે એના પર અગાઉ વિસ્તારથી નોટ લખી છે. જુઓ પૃ. ૮૬-૮૮. આનાથી આગળ ચાલે ત્યારે ગ્રંથિભેદ થાય છે તે હવે પછી જણાશે. ઉપર જણાવેલી નોટ વાંચી જવા ખાસ ભલામણ છે. એથી આ હકીકત સ્પષ્ટ જણાશે. ૨ વામદેવ બુધસૂરિ પાંચમા પ્રસ્તાવના પાત્રોનું લીસ્ટ જુઓ એટલે આ નામને પરિચય તાજ થઈ જશે. ૩ શુભવિપક અને નિજસાધુતાનો પુત્ર બુધ, બુધ અને ધિષણનો પુત્ર વિચાર. જુઓ પૃ. ૧૨૮૪ માં આપેલ પત્રક. * વિવેક પર્વતના અપ્રમત્તશિખર ઉપર જેનપુર બતાવે છે તે વખતે સંયમસુભટને માર પડતો જોવાય છે. પ્ર. ૫. પ્ર. ૧૯ (પૃ. ૧૩૦૦). તે જેવા માસી સાથે વિચાર બય છે. ચારિત્રરાજ પોતાનું લકર તપાસે છે અને પોતાના બળના સંબંધમાં સાધમંત્રી સાથે વિચાર ચલાવે છે (પૃ. ૧૩૦૫), દૂતને “કલી દેશે કહેવરાવે છે. છેવટે ચારિત્રરાજ અને મેહરાયનું યુદ્ધ થાય છે (પૃ. ૧૩૧૬-૧૭) જેમાં ચારિત્રરાજ ઘેરાઈ જાય છે. આ સર્વ વાત ખુબપિ. ની પાસે વિચાર નામને તેમને પુત્ર કહી સંભળાવે છે. મેહરાય અને ચા યુદ્ધને હેવાલ પાંચમા પ્રસ્તાવમાં પ્રકરણ ૧૯ માં છે. પૃય ૧૩૧૮ વાતથી આગળ વાર્તા અહીં ચાલશે. k Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy