SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯]. સંસારબજાર (ચાલુ). ૧૭૫૫ “નામથી જાણીતાં થયેલાં છે. તેમાં પ્રથમની સ્ત્રી (કણ લેશ્યા) એ હાય કરનાર તરીકે લેણ્યા પણ લાગે છે અને તેથી કોઈ આચાર્યો લેશ્યાને રસબંધમાં સહાય કરનાર ગણે છે પણ તે ઉપચાર માત્રથી જ સમજવાનું છે. મુખ્યતાએ રસબંધને નિર્ણય કષાયપર જ થાય છે. જેવી રીતે કોઈ માણસ દારૂ પીએ તે તેનું જ્ઞાન અવરાય છે, તે ઘેલો બની જાય છે, પ્રચંડ દવા ખાય તો તેની ઇદ્રિ બહેરી થાય છે, કલોરોફોર્મ આપવાથી જેમ જ્ઞાનેન્દ્રિયે બાહ્ય જ્ઞાનના દ્વારો બંધ કરી દે છે તેવી રીતે લેશ્યા આત્માના સ્ફટિકવાર પડદે નાખી નવાં નવાં રૂપો આપે છે. આત્મા જાતે શુદ્ધ સ્ફટિક જે નિર્મળ અને પારદર્શક છે પણ લેશ્યા તેની સાથે આવે ત્યારે તેને જુદાં જુદાં રૂપ આપે છે, નવા નવા રંગના આકાર ધારણ કરાવે છે, તેના સ્ફટિકત્વને જૂદા રૂપમાં બતાવે છે. સ્ફટિક રત્રની પછવાડે જે રંગનું દ્રવ્ય ધરવામાં આવે તે રંગ દેખાય છે તે પ્રમાણે આત્માનું વ્યક્તરૂપ નવા નવા રંગ ધારણ કરે છે તે લેયાના સંબંધથી થાય છે. (યાદ રહેવું જોઈએ કે એ બાહ્ય સહાયક લેશ્યા દ્રવ્ય આત્માના સ્ફટિકત્વમાં પ્રવેશ કરતું નથી, આત્માના રંગને બદલતું નથી, પણ બહારની નજરે આત્માને અન્ય રંગે બતાવે છે). વેશ્યાના છ પ્રકાર છે: કણ, નીલ, કાપત, તેજે, પદ્મ અને શુકલ. કૃષ્ણ લેશ્યાનો વર્ણ મધ કે - જણ જેવો તદ્દન કાળો હોય છે, નીલ લેસ્યાનો વર્ણ પોપટ અથવા બપૈયાના પીંછા જેવો અથવા મોરની ડોક જેવો બલુ (blue) હોય છે, કાપોત લેશ્યાને વર્ણ રીંગણાના ફૂલ જેવો રાતો (adulterated red) હોય છે, તેને લશ્યાનો વર્ણ પ્રભાતના સૂર્ય અથવા સંધ્યાના રંગ જેવો લાલ (pure red) હોય છે, પમ લેશ્યાને વર્ણ કરેણના ફૂલ જેવો અથવા સેનાના રંગ જેવો પીળો હોય છે, શુકલ લેશ્યાને વર્ણ ગાયના દૂધ જેવો અથવા સમુદ્રના ફીણ જેવો સફેત હોય છે. પ્રથમની ત્રણ લેસ્થા અશુદ્ધ છે, બાકીની ત્રણ લેણ્યા શુદ્ધ છે, છતાં આત્માના સ્ફટિકપણાને તો આવરણ કરનારી જ છે પણ ખરાબ આકારમાં બતાવનારી નથી. આવીજ રીતે લેશ્યાના રસ ગંધ અને સ્પર્શ પણ બતાવવામાં આવ્યા છે. કૃષ્ણ લેશ્યાનો રસ કડવી તુંબડી અથવા લીંબડાના રસ જેવો છે, નીલ વેશ્યાને રસ પી૫ર આ૬ અથવા મરચાના રસ જે છે, કાપોત લેશ્યાને રસ આમળા અથવા કણસના રસ જે છે, તેને લશ્યાને રસ કેરીના રસ જે છે, પદ્મ લેશ્યાનો રસ ધરાખ ખજૂર અથવા મહુડાના આસવ (દારૂ) જેવો છે અને શુકલ લેશ્યાને રસ સાકર ગોળ ખાંડ કે શેરડીના રસ જેવો મધુર છે. પહેલી ત્રણે લેશ્યાઓ ઘણી દુર્ગધવાળી અને મલીન છે અને તેને સ્પર્શ કંડો અને લખે છે, બાકીની ત્રણે લેશ્યાઓ સુગંધવાળી અને નિર્મળ છે અને તેને સ્પર સ્નિગ્ધ અને ગરમ છે. લેશ્યાને અંગે પ્રાણીના કેવાં પરિણામ થાય છે તે બતાવવા શાસ્ત્રકારે જંબ વૃક્ષનું દાન્ત આપ્યું છે. છ મિત્રો જંગલમાં ગયા, ભુખ્યા થયા, સામે જંબુનું ઝાડ જોયું, પ્રથમ માણસે કહ્યું કે આ આખા ઝાડને ઉખેડી નાખે એટલે મહેનત [ ચાલુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy