SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫૪ ઉપમિતિ ભવપ્રપંચા ક્રયા. પ્રસ્તાવ છ “ થી ક્રમસર છે, દરેક સ્ત્રીએ અસંખ્ય અસંખ્ય અનાવ્યાં છે અને “ સરવાળે પણુ (કુલે પણ) અસંખ્ય છે અને અધ્યવસાયસ્થાન તેને ‘ધારણા’ કહેવામાં આવે છે. લેાજીકમાં આ છેવટને નિર્ણય knowledge કહેવાય છે. જ્યારે વર્તમાન ન્યાયકારા logicians જ્ઞાનપ્રાપ્તિના ત્રણ વિભાગ પાડે છેઃ conception, perception & knowledge ત્યારે જૈન માનસ શાસ્રીઓએ વિશેષ પ્રથારણ કરીને વ્યંજનાવગ્રહ, અર્ધાંવિગ્રહ, ઈડા, અવાય અને ધારણા એમ પાંચ વિભાગ પાડ્યા છે. આવી રીતે સંજ્ઞી પંચેંદ્રિય પ્રાણીને ઇંદ્રિય અને મનદ્વારા જે જ્ઞાન થાય તેને વિચાર-નિર્ણય કહેવામાં આવે છે. આંતર જ્ઞાન માટે પાંચ ઇંદ્રિયદ્વારા છે અને તે દ્વારા જ્ઞાન થાય છે. મનપર એની છાપ પડે છે. એના અન્ય વ્યવ ́દો થાય છે અને નિર્ણય થાય છે. મન પૌલિક હાઇને વસ્તુના વિચારને આકાર કરે છે અને તે આકાર દ્વારા જ્ઞાન થાય છે. આ ખાઘ પદાર્થના જ્ઞાનને અંગે વાત થઈ. આત્માને પૂર્વઅનુભૂત અથવા કર્મવર્ગણાની અસર અનુસાર અધ્યવસાય’ થાય છે. Instinctive knowledge સહજ જ્ઞાનને આમાં સમાવેશ થાયછે. સ્મૃતિ અનુભવ એ સર્વને સમાવેશ ધારણામાં થાય છે. મનના વિચારશ આત્મામાં સ્થિત થાય છે અને ત્યાં રૂપ અને આકાર ધારણ કરે તેને લેશ્યા કહેવામાં આવે છે. પંચેંદ્રિય સંજ્ઞી થવાના મનનેા વ્યાપાર અને આત્માના અધ્યવ સાયા વચ્ચેના તફાવત સમજવા ઘણા મુરકેલ પડે છે. મન પૌલિક છે અને ત્યાં આકાર થાય છે. પૂર્વકાળની સ્મૃતિથી અથવા ઇંદ્રિયાની મદદ વગર આધ જ્ઞાન થાય તેને મારા વિચાર પ્રમાણે ‘અધ્યવસાય ' આત્મજ્ઞાનમાં મૂકવું જોઇએ. આત્મા જ્યારે મનયેાગમાં વચનયેાગમાં અથવા કાયયેાગમાં પ્રવર્તે તે વખતે તેના અધ્યવસાયે। જે રૂપ લે-જે પરિણામ પામે તેને લેશ્યા કહેવામાં આવે છે, જ્યાં ત્રણમાંથી કાઈ પણ યાગ હાય છે, ત્યાં લેશ્યા હ્રાય છે, જ્યાં યાગ ન હ્રાય ત્યાં કેશ્યા હાતી નથી. Jain Education International . હવે અહીં સવાલ એ ઉત્પન્ન થાય છે કે કષાય અને લેશ્યામાં તફાવત કેવા પ્રકારને રહે છે. કાઇ પણ કર્મના બંધ પડે તે વખતે તેની ચાર બાબત મુકરર થાય છેઃ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિબંધ એટલે એ કર્મના સ્વભાવ કેવા છે, સ્થિતિબંધ એટલે કેટલા વખત સુધી અને કયારે ફળ પામનાર છે, રસબંધ એટલે એ કર્મની ગાઢતા કેટલી છે, ચીકાશ કેટલી છે અને પ્રદેશબંધ એટલે એ કર્મ કેટલા પ્રદેશ-પરમાણુઓનું બનેલું છે. એક દાખલેા લઇએઃ શાતા વેદનીય કર્મ બાંધ્યું તે ચાતા આપવી એ પ્રકૃતિ થઇ, કેટલા વખત સુધી શાતા આપવી અને શાતા આપવાનું કામ કયારે શરૂ કરવું એ તેની સ્થિતિ, એ શાતામાં વિશે ષતા અલ્પતા કેટલી રહેશે તે રસ અને તે કર્મ પાતે કેટલા પરમાણુનું બનેલું છે તે પ્રદેશ. આમાં સ્થિતિ અને રસબંધમાં સહાય કષાયા ' કરે છે. ક્રોધ માન માયા અને લેાલ જેટલા સવિશેષપણે હેાય તેટલા બંધ આકરા અને લાંબા કાળ સુધી ફળ આપનારા પડે છે. લેશ્યા પ્રદેશબંધને સહાય કરે છે. ક્યાયે અને લેશ્યા કાઇ વાર અંદર અંદર એક બીજામાં એટલા બધા કુંચવાઈ જાય છે કે સ[ થાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy