SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ કાળા રંગનાં અસંખ્ય પગથી બનાવ્યાં છે,' એવી રીતે બીજી સ્ત્રી (નીલેશ્યા) એ નીલ (blue) રંગનાં અસંખ્ય પગથી બનાવ્યાં છે, ત્રીજી સ્ત્રી (કાપત લેયા)એ કબૂતર જેવા પરિણામ દાદર. “રંગનાં અસંખ્ય પગથી બનાવ્યાં છે, ચોથી સ્ત્રી અધ્યવસાય પર “(તેજે લેગ્યા)એ તેજથી ઝળકતાં અસંખ્ય પગ થી બનાવ્યાં છે, પાંચમી સ્ત્રી (પદ્મ લેશ્યા)એ “ઘળા કમળની છાયાવાળાં અસંખ્ય પગથી બનાવ્યાં છે, છઠ્ઠી વગર ફળ ખવાય, બીજાએ કહ્યું કે વૃક્ષ પાડવાનું કોઈ કારણ નથી, ડાળીઓ પાડીએ તો ઠીક છે, ત્રીજાએ નાની નાની ડાળીઓ પાડવા કહ્યું, ચોથાએ જાંબુવાળા ગુચ્છાઓ પાડવા કહ્યું, પાંચમાં એ જાંબુને જ પાડવા કહ્યું અને છઠ્ઠાએ જમીન પર પડેલાં નંબુ છે તે વીણી ખાઈને સંતોષ પામવા કહ્યું. આવી રીતે છે વેશ્યાવાળાના પરિણામો હોય છે. આ સંબંધમાં ધાડ પાડવા ગયેલા છ માણસેનું બીજું દૃષ્ટાન્ત આપેલ છે તે આ પ્રમાણે ગામમાં પેસતાં પ્રથમે કહ્યું કે સામે માણસ કે ઢેરે આવે તેને મારવું, બીજાએ કહ્યું કે માત્ર માણસને જ મારવાં, ઢોરને શામાટે મારવા? ત્રીજાએ કહ્યું સ્ત્રીને ન મારવી, માત્ર પુરૂષને જ મારવા; ચોથાએ કહ્યું હથિયારવાળો પુરૂષ હોય તેને મારવો, પાંચમાએ કહ્યું કે હથિયારવાળામાં પણ સામે થતો હોય તેને જ મારો, નાસતો હોય તેને શામાટે માર? છાએ કહ્યું પ૨દ્રવ્ય હરવું એ જ પાપ છે તો પછી વળી ખૂન કરવાનું વધારે પાપ શામાટે કરવું ? માત્ર ધન લેવું, કોઈને મારવા નહિ. આ બન્ને દાખલાઓથી પ્રત્યેક વેશ્યાવાળાની અનુક્રમે પરિયુતિ કેવા પ્રકારની હોય છે તે જણાઈ આવશે. એ દરેક દષ્ટાન્તો અનુક્રમે કૃષ્ણથી શુક્લ લેસ્થાન છે. આગળ વધતાં પરિણામ વધારે સુંદર બનતા જાય છે તે એ દાખલાઓથી જણાઈ આવે છે. લેશ્યા સર્વ જીવોને હોય છે, વિશેષ વિકાસ થાય તેમ તે ઉચ્ચ પ્રકારની પ્રાપ્ત થતી જાય છે, મન ન હોય તેવા જીવોને પણ લેશ્યા હોય છે, તેના સંયોગથી આત્માના જે રૂ૫ના અધ્યવસાય વ્યક્ત થાય-જે પરિણતિ થાય તેને તે બતાવે છે, ચિત્ર છે અને સારા અથવા ખરાબ આકારને ધારણ કરાવે છે. એ કષાયને ઉદીપન કરે છે પણ જાતે કષાય રૂપ નથી, કર્મના ઉદય પ્રમાણે અધ્યવસાયને રૂપ આપે છે છતાં જાતે કર્મનો રસ નથી. અધ્યવસાયને વ્યક્ત કરનાર લેશ્યાના સ્વરૂપ માટે વિશેષ ગ્રંથ (પન્નવણું લેણ્યાદ્વાર વિગેરે) વાંચવા યોગ્ય છે. ૧ પરિણામ અને અધ્યવસાયથાન આત્માની પરિણતિને પરિણામ કહેવામાં આવે છે. એના અધ્યવસાયસ્થાન અસંખ્ય છે. પરિણામ અને અધ્યવસાય માટે ઉપરની નોટથી ખુલાસે થઈ જાય છે. અંદરથી જે જ્ઞાન થાય અને તરંગે ઉઠે તેને અધ્યવસાય કહેવાય છે. મનદ્વારા તો બાહ્ય જ્ઞાન આકારપૂર્વક થાય છે, અધ્યવસાયને આકાર હોતો નથી અને મનના વિચાર તો માત્ર સંજ્ઞી પચંદ્રિયને હોય છે ત્યારે અધ્યવસાય સર્વ જીવોને હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy