SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રરતાવ ૭ “ભદ્ર! એ ઉપર તને ગર્ભગૃહ બતાવવામાં આવ્યું હતું તેમાં * છ નોકર જાતની સ્ત્રીઓ વસે છે, તેઓનું સામાન્ય નામ (ઓળખ) “લેશ્યા તરીકે જાણીતું થયેલું છે અને પ્રત્યેકનાં નામ અનુક્રમે કૃષ્ણ, “નીલ, કપોત, તિજસી, પદ્મ અને શુકલ છે. એ જ ગર્ભગૃહમાં તેઓ ઉત્પન્ન થાય છે, તેની જ દોલતથી એ ઉછરે છે, વધે છે અને તે સ્થાનની જ પુષ્ટિ કરનારી પણ થાય છે. એ છ સ્ત્રીઓ પૈકી પ્રથ“મની સ્ત્રી ઘણીજ કર છે, બીજી સ્ત્રી પ્રથમની સ્ત્રી કરતાં કાંઈક “ઓછી કૂર છે, ત્રીજી તેથી પણ સહજ ઓછી ક્રૂર છે, પણ ત્રણે સ્વરૂપે ક્રૂર છે, અનેક પ્રકારના સેંકડે અનર્થોનું કારણ છે, પેલા વાનરાના બચ્ચાની તો ખરેખરી દુશમન છે, એ ગર્ભગૃહમાં અનેક જ પ્રકારનો અશુભ કચરો એકઠો થવામાં કારણભૂત છે, તેને પણ આ ૮ અનેક દ:ખથી ભરેલા બજારમાં ધારણ કરી રાખનાર છે અને મઠગમનનું નિવારણ કરનાર છે-તેમાં અડચણ કરનાર છે. બાકીની ત્રણે સ્ત્રીઓ છે તે અનુક્રમે શુદ્ધ છે, વધારે શુદ્ધ છે અને અતિ “વિશુદ્ધ છે, ત્રણેનું સ્વરૂપ જ શુદ્ધ છે, અનેક પ્રકારના આહાદે પ્રગટ કરવાનું કારણ થાય છે, પેલા વાનરાના બચ્ચાની ખરેખરી મદદ “કરનારી વ્હેનો જેવી છે, પેલા ગર્ભગૃહમાં શુદ્ધિની વૃદ્ધિ થવામાં હેતુ ભૂત છે, અનેક પ્રકારની અસારતાની પરંપરાથી ભરપૂર આ બજારમાંથી તેને બહાર કાઢી લાવનાર છે અને મઠગમનના કામમાં ઘણી અનુકૂળતા કરી આપનારી છે. એ છ એ સ્ત્રીઓએ પેલા ૧ ગર્ભગ્રહ ક્ષ પશમ નામે જુઓ પૃ. ૧૭૩૮. ૨ ચિત્ત અને શ્યા: આ વિષય ઘણો વિચારવા યોગ્ય છે અને ટૂંકામાં કહીએ તે જમદષ્ટિએ માનસશાસ્ત્ર (Psychology) કેવી રીતે બતાવવામાં આવ્યું છે તે સર્વ બાબતે અત્ર વિચારવા યોગ્ય જણાય છે. મન અને અધ્યવસાયને કેવા પ્રકારને સંબંધ છે, આત્મા અને મનને શું સંબંધ છે, અધ્યવસાય અને વિચારમાં શું તફાવત છે અને મન અને તેને કેવો સંબંધ છે-આ સર્વ પ્રશ્નોને નિર્ણય આવી ટુંકી નેટમાં તે થઈ શકે નહિ પણ સહજ ખ્યાલ આ૫વા પ્રયત્ન કર્યો છે તે વિચારશે. નવીન અને પ્રાચીન અભ્યાસ શૈલી સાથે કર્યો હોય તો જ આ વિષયનો ઉલ્લેખ થઈ શકે તેમ છે તેથી આ અગત્યના વિષય પર કેઇ સુંદર લેખ અભ્યાસ કરીને વિસ્તારથી લખશે એવી પ્રાર્થના છે. આત્મા જાતે સ્ફટિક રત્ર જેવો નિર્મળ છે, પારદર્શક છે, મેલ વગરને છે, ઉચ્ચગામી સ્વભાવવાળે છે. સ્ફટિક રન જ્યારે બીજા પદાર્થના સંબંધમાં આવે ત્યારે તેના જૂદા જૂદા રંગ દેખાય છે. સ્ફટિકની પછવાડે પીળો પદાર્થ ધરવામાં આવે તો તે પીળું દેખાય છે, લાલ ધરવામાં આવે તે તે લાલ દેખાય છે, છતાં જાતે તે [ચાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy