SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ વગરને ધર્મ છે. જે અપ્રમાદી પ્રાણી એવા ખોટા નિર્ણયો (વિપ ર્યાસ) છેડી દે છે અને સાચે જાણકાર બને છે તેને પિતાના મને“વિકારનું જાળું પિતાથી તદ્દન અલગ લાગે છે. એક વખત મનને “ એ જાદં જાએ છે અને પોતાની જાતને ( આત્માને ) તેનાથી ભિન્ન “ જુએ છે એટલે આત્મા એને નિરંતર આનંદમય લાગે છે; પછી એને “ દુઃખ ઉપર દ્વેષ થતો નથી, સુખ મેળવવા માટે ઈચ્છા થતી નથી.' આવી રીતે મનથી તે અલગ થતાં-મન ઉપરથી તેની આસક્તિ દૂર થતાં ઇન્દ્રિયોના વિષે ઉપર તેને એહ થતો નથી અને એકવાર એહ (ચીકાશ) ગયો એટલે કર્મપરમાણુનો સંચય થતે એકદમ અટકી જાય છે; આવી રીતે એ નિઃસ્પૃહ થવાથી અને એને (સંસાર) “બીજને નાશ થયેલ હોવાથી એ મુક્ત જીવોની માફક ભવાંતરને આરંભ કરતો નથી અને તેથી એનું ભવચક્ર ફરતું બંધ થાય છે. “એ પ્રમાણે હકીકત હોવાથી ઉપર બે પ્રકારની વાત કહી તે તારા લક્ષ્યમાં આવી ગઈ જણાય છે. એક તે ચક્રજ્ઞાનનું “કર્મબંધન અને બીજું તેનાથી વિસ્તરતું સંસારચક. પરિણામ. “એ બન્ને કેવી રીતે પ્રવર્તે છે અને કેવી રીતે નિવર્તિ છે તે સંબંધી સત્ય હકીકત જાણે તે પછી સંસારને વધારનાર શરીર ઉપર, ધન ઉપર, કે ઇદ્રિના ભેગો ઉપર અથવા તે “બીજા કેઈ પણ પદાર્થ ઉપર કદિ પણ રાગ કેમ કરે? જે પ્રાણીને “સાંસારિક પદાર્થો ઉપર ચિત્તની આસક્તિ થાય, જેને તેમાં આનંદ અને સુખ લાગે તેણે હજુ સુધી બન્ને ચક્રો (સંસારચક અને “વિપર્યા ચક) ખરેખર તત્ત્વથી જાણ્યાં નથી એમ સમજવું. એનું “કારણ એ છે કે જ્ઞાન અને ક્રિયાને યોગ થાય ત્યારે જ ખરેખર ફળની પ્રાપ્તિ થાય છે, તે સિવાય બીજા કોઈ પ્રકારે થઈ શકતી “નથી. સાધ્ય અર્થ શું છે તે બરાબર જાણીને (જ્ઞાન) જ્યારે તે બાબતમાં સભ્ય પ્રકારે પ્રવૃત્તિ (કિયા) કરજ્ઞાનક્રિયા. “વામાં આવે ત્યારે તે સાથે પ્રાપ્ત કરી શકાય છે. “મહામતિ મહાત્મા વસ્તુસ્વરૂપને એ જ આકારમાં ૧ સરખા-માન અપમાન સહુ સમ ગણે, સમ ગણે તુર્ણ મણિ ભાવ; અને મુક્તિ સંસાર બહુ સમ ગણે રે વિગેરે. અને ખરો ખ્યાલ આપતાં આનંદધન કહે છે કે આપણે આતમભાવ જે, એક ચેતનાધાર, અવર સવી સાથ સંજોગથી, એહ નિજ પરિકર ધારરે, ૨ આ વિભાગ ખાસ મનન કરવા યોગ્ય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy