SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮]. સંસારબજાર (ચાલુ). ૧૭૪ કહેવામાં આવે છે. આ પ્રમાણે હોવાથી ભાવમન તે નિયમસર “જીવ જ છે, પણ જીવ ચિત્તરૂપ હોય કે ન પણ હોય. દાખલા તરીકે “કેવળીઓ ભાવચિત્ત વગરના હોય છે. કેઈને મનથી ઉત્તર દેવામાં તેઓ દ્રવ્યમનનો ઉપયોગ કરે છે, પરંતુ કેવળજ્ઞાન થયેલું હોવાથી તેમને ભાવમનની અપેક્ષા રહેતી નથી, એટલે કેવળજ્ઞાનીને દ્રવ્ય“મન હોય છે પણ ભાવમન હોતું નથી. જ્યારે આ પ્રાણી રાગદ્વેષ “વિગેરેની સાથે જોડાયેલો હોય છે ત્યારે મિથ્યાજ્ઞાનને પરિણુમે તેને “ઉલટા નિર્ણય (વિપર્યાસ) થાય છે અને પરિણામે તે દુઃખ આપનારી વસ્તુમાં સુખ મેળવવાની બુદ્ધિથી પડે છે. રાગદ્વેષ વિગેરેથી એને સાચો નિર્ણય થતું નથી, વાસ્તવિક સુખ અને દુઃખ ક્યાં છે તેને “નિર્ણય મિથ્યાજ્ઞાન તેને થવા દેતું નથી. ખેટી પ્રવૃત્તિ થયા પછી એના સેહના તંતુઓ કર્મનાં પરમાણુઓને ખેંચી લાવે છે, એ કર્મનાં પરમાણુઓથી જન્માંતરનો આરંભ કરે છે; વળી એ જન્માં“તરમાં પ્રાણી પાછો મિથ્યાજ્ઞાન વિષયસ વિગેરેમાં પડે છે અને રાગાદિની સંતતિને વધારે છે. રાગાદિ સંતતિથી વિષયાકાંક્ષા થાય છે, “વિષયાકાંક્ષાથી સેહતંતુઓ જન્મે છે, સેહતંતુઓથી કર્મોનું ગ્રહણ થાય છે અને કર્મગ્રહણથી પાછો જન્મ થાય છે; વળી ત્યાં વિપયંસ થાય છે-એવી રીતે ઉપર જે કમ જણાવ્યું તે ચાલ્યા જ “કરે છે. આથી જ્યાં સુધી ખોટા નિર્ણયે (વિપર્યાસો )ની શ્રેણી ચા“લતી હોય છે ત્યાં સુધી સંસાર રખડપટ્ટીની શ્રેણી ચાલ્યા જ કરે છે. ભગવન્! મેં આપની પાસે આ બીજા ચક્રની વાત કરી સંભળાવી એ વાત બરાબર છે કે નહિ તે આપ મને કૃપા કરીને કહો.” મુનિ મહારાજે જવાબ આપતાં જણાવ્યું “તે જે વાત કરી તે બરાબર છે એમાં જરા પણ સંશય જેવું નથી. વિષય સ “તારા જેવા ખોટી વાત સમજે એ કેમ બને? વ જે ન. “ઉપરની વાતથી મેં પણ જાણ્યું અને ગુરૂમહારાજે પણ તેનું સમર્થન કર્યું કે એ ખોટા નિર્ણય (વિપર્યાસો)નું જે ચક્ર છે તે જ નહિ પસંદ કરવા યોગ્ય ભવચક્રનું કારણ છે. આ પ્રમાણે હકીકત હોવાથી સાચી ખોટી બાબતનો સત્ય “વિવેક કરનાર પ્રાણીએ વિપર્યાસ (ખોટા નિર્ણ) ને બનતા પ્રયાસે “ તજી દેવા, અને એક વાર નાશ થશે એટલે ચકની બીજી બાબતો આપોઆપ મૂળથી જ નાશ પામી જશે. વિપસને છોડી દેવા એ “ખરેખર વિવેક છે, એ ખરેખરૂં તત્ત્વજ્ઞાન છે અને એ આસવ ૧ આવઃ જે દ્વારા કર્મો આવે તે પરનાળને આસ્રવ કહે છે. ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy