SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [કરતાવ ૭. “ “ભદ્ર! તને પેલે શિવાલય નામને મઠ બહુ પસંદ આવ્યું “હતા અને ત્યાં જવાની તને ઈચ્છા થઈ હતી, એ શિવાલય મઠે પહોંચવાનો મુખ્ય ઉપાય આ વાંદરાના બચ્ચાંનું સારી રીતે રક્ષણ જ કરવું એ છે. એ વાંદરાના બચ્ચાંને સારી રીતે રક્ષણ કર્યું હોય તો તે કોઈ પણ પ્રકારની અડચણ અગવડ વગર એકદમ શિવાલય “મઠમાં પહોંચવાનું પ્રબળ કારણભૂત બને છે; તેટલા માટે ભાઈ! “તારી મરજી જે એ મઠમાં જવાની જરૂર થઇ હોય તે તારે આ વાંદરાના બચ્ચાનું સારી રીતે રક્ષણ કરવાનો મજબૂત પ્રયત્ન કરવો જોઈએ; કારણ કે એ વાંદરાનું બચ્ચું ઘણું કાળથી ચક્રમાં પડી ગયું Kછે અને એ ચક્રમાંથી તેને બહાર લાવવું એ ઘણું મુશ્કેલ કામ છે. એ ચક્કરમાં (વમળમાં) તે કેવી રીતે પડી ગયું છે તે તું સમજ: “ઉપર અનેક પ્રકારના ઉપદ્રવો બતાવવામાં આવ્યા છે તે ઉંદર “બિલાડા વિગેરેથી પીડા પામતે આ પ્રાણી મેહની અસરતળે આમ્ર “ ફળ ખાવા દેડિયો જાય છે એટલે એના શરીર પર ધૂડ સારી રીતે “મેટા પ્રમાણમાં ચુંટે છે અને વળી એ પાણીથી ભીંજાઈ જાય છે, “એટલે એના શરીર પર ઘારાં પડે છે, એટલે વળી પેલા ઉંદર બિ“લાડા એના પર વધારે ત્રાસ કરે છે, ત્યાર પછી એ વસ્તુઓ ખાવા માટે ઉંદર બિલાડ વિગેરે સંખ્યા અને જેરમાં વધતા જાય છે અને તેઓ જેમ જેમ એને વધારે પીડા કરે છે તેમ તેમ શાંતિ મેળવવાના બહેતુથી બચું આંબા તરફ દોડે છે, પરિણામે વળી એના પર વધારે “રજ ચોંટે છે, એનામાં ભીંજાશ વધતી જાય છે અને પરિણામે શરીરપર વધારે ઘારાં પડતાં જાય છે અને તેવી રીતે એ ચક્કરમાં પડયા પછી એને ઉપદ્રવો વારંવાર વધતા જ જાય છે. આવા ખરાબ “વમળમાંચકમાં પડી ગયા પછી જ્યાં સુધી તે પોતે જ એનું રક્ષણ “ નહીં કરે ત્યાં સુધી એ બાધા પીડા વગરનું કઈ રીતે થઈ શકે “ એમ નથી. એટલા માટે ભાઈ! એને રક્ષણ કરવાનો જે ઉપાય મેં ઉપર જણું છે તે તારે નિરંતર અમલમાં મૂક, નિરંતર તે પ્રમાણે ઉપાય કર્યા કરો જેથી એ બચ્ચે બાધા પીડા વગરનું થાય. વિવેચન-સમજણ (છઠ્ઠ મુનિ મહારાજ અકલંકને કહે છે કે, “મારા ગુરૂમહારાજે જે હકીકત કહી તેને અંદરને ભાવાર્થ હું સમજી ગયો અને તે પર -િ ૧ ચ: whirlpool, circle. પાણીમાં “વમળ” થાય છે, ચારે તરફ ગોળ ફરે છે, વહાણ તેમાં આવી નય તો આગળ વધી શકતું નથી, ગોળ ફર્યા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy