SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮] સંસારબજાર, ૧૭૪૩ અપ્રમાદ નામને દઢ વજદંડ (સખ્ત ન ભાંગે તે દાંડે) લઈને પિલા પાંચે ગેખલાઓ પાસે ઊભા રહેવું અને જ્યારે જ્યારે પેલું વાંદરાનું બ ઝેરી ઝાડનાં ફળ ખાવાની ઈચ્છાથી બહાર આવે ત્યારે ત્યારે તેની સમક્ષ પેલે દાડ ઉગામીને તાળી પાડીને તેને બહાર આવતું અટકાવવું, એમ છતાં પણ એ બચ્ચું ઘણું ચપળ હોવાને લીધે કદાચ બહાર આવી જાય તો તેને જોરથી ધમકાવવું; ત્યાર પછી “એને બહાર આવવાનો નિષેધ કરેલ હોવાને લીધે અને તેને આંબાનાં ફળ (કેરીઓ) ખાવાની અભિલાષા નિવૃત્ત થતી હોવાને લીધે તેના આખા શરીરે ભેગસેહના વરસાદથી જે શરદી થઈ આવેલી હશે તે સોપાઈ જશે. શરીરમાં ગરમી આવતી જશે, પછી એનું શરીર સૂકું પડેલું હોવાને લીધે તેના ઉપર જે રજ-ધૂડ લાગેલી હશે તે પણ પ્રત્યેક ક્ષણે ખરવા માંડશે, એના શરીર પર પડેલા જખમો રોકાવા “માંડશે, એનાં શરીરની ક્ષીણતા દૂર થતી જશે, એ કાળું પડતું અટકશે, એના શરીરની ખોટી લાલાશ નાશ પામશે, એના શરીર પર ઘેળો રંગ આવવા માંડશે, શરીરની સ્થિરતા પ્રાપ્ત થશે અને એનું આખું “રૂપ જોવા લાયક થશે. આ પ્રમાણે થયા પછી તે બચ્ચે પેલા ઘરના “ઓરડામાં રહેશે તે પણ તેને ઉપર જણાવેલા ઉપદ્રવ થશે નહિ છે અથવા પેલા ઉપદ્રો પોતાનો પ્રભાવ તેના ઉપર જરા પણ બતાવી શકશે નહિ. વળી પેલા બિલાડા ઉંદર કાળ વિગેરે જે વાંદરાના બચ્ચાને “વારંવાર ઉપદ્રવ કર્યા કરતા હોય છે તેમનો સર્વને તારે એ અપ્રમાદ “નામના વજદંડ વડે ચૂરેચૂરો કરી નાખો. જ્યારે એ સર્વના ચૂરેચૂરા થઈ જશે ત્યારે પછી પેલા ચોકને રસ્તે એ વાનરબચું બહાર “નીકળશે તે પણ એને કેઈના તરફનો જરા પણ ભય રહેશે નહિ. એ વાંદરાના બચ્ચાને ઉપદ્રવોમાંથી બચાવવાનો આ ઉપાય છે.” પ્રથમ ચક, “વળી મેં મારા ગુરૂ મહારાજને પૂછયું “એ વાંદરાના બચ્ચાંનું આટલું બધું રક્ષણ કરવાથી મારું શું કામ થશે? મને સંરક્ષણનું પરિણામ. શે લાભ મળશે? તે આપ જણાવો.” એટલે વળી ગુરૂમહારાજે આગળ ચલાવ્યું ૧ અપ્રમાદઃ આળસને ત્યાગ, આત્મગુણમાં ચાલુ ઉઘોગ. “સમય” ગોયમ! મ કરે પ્રમાદ.” પ્રમાદ એટલે સંસાર આસક્તિ. ૨ શરદીઃ જ્યાં ત્યાં રખડવાથી અને જે તે ખાવાથી થાય છે, તેને નિષેધ થતાં શરદી મટે છે, ડોકટરે શરદી થાય ત્યારે આરામ લેવાનું અને ખાવાનું બંધ કરવાનું કહે છે તે ધ્યાનમાં લેવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy