SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૭ સ્થાનો જણાય છે, એ ડાળીઓમાં ચિત્તરૂપ વાંદરાના બચ્ચાનું હરવું ફરવું લોકેના ઉપચાર માત્રથી થાય છે, કારણ કે લેકે સાધારણ રીતે એમ બોલે છે કે મારું મન અમુક જગ્યાએ અત્યારે ગયું છે. આ પ્રમાણે હેવાથી મુનિરાજે જે વાત કહી તે મારા સમજવામાં બરાબર આવી ગઈ છે અને તે હવે પછી પણ સર્વે બરાબર સમજાઈ જશે-આવો વિચાર કરી મેં મારા ગુરૂમહારાજને પિતાની વાર્તા આગળ ચલાવવા વિ જ્ઞપ્તિ કરી. “ “ભદ્ર! ઉપર જણાવ્યું તેમ ભોગસેહ નામના જળથી એ વાંદરાના બચ્ચાનું શરીર ભીનું થયેલું હોય છે ત્યારે તેના ઉપર કર્મપરમાણુનિચય નામની રજ ઘણું ચુંટે છે અને એ રજથી એ વાંદરાના બચ્ચાનું આખું શરીર ધૂધૂડ થઈ જાય છે; હવે એક તો વાનરમાં સ્થિરતા હોતી નથી અને વળી પેલી ઝેરી રજ આખા શરીરને ભેદ કરનારી હોવાથી એ વાંદરાના બચ્ચાના શરીરમાં જખમે પડે છે, શરીર ક્ષીણતાથી ખરખર બોરડી જેવું (ઘરડું “અને શિથીળ) થઈ જાય છે, એનો મધ્ય ભાગ ચારે તરફથી વેરાઈ જાય છે અને પેલી ઝેરી રજ આખા શરીરને અને ખાસ કરીને “મધ્યભાગને અસર કરે છે અને આખું શરીર બળવા માંડે છે; પરિણામે આખું શરીર કાળું પડી જાય છે અને તેમાં કાંઈક કાંઈક રતાશનો ભાગ પણ જોવામાં આવે છે. ત્યાર પછી પાછું તે ઓરડામાં એ વસે છે તે વખતે ઉપર લખેલા સર્વ ઉપદ્ર તેને પાછા વારંવાર થયા “ જ કરે છે, વધારે આકરા રૂપમાં તેના ઉપર તે ઉપદ્રના હુમલા Kઆવ્યા કરે છે અને એક અથવા બીજા હુમલાઓ અવાર નવાર “તેના ઉપર અસર કર્યા કરે છે. “ “ભદ્ર! એ ચિત્ત નામના વાંદરબચ્ચાંને ઉપર કહ્યાં તેવા “ઉપદ્રવો અને પીડાઓ થયા જ કરે છે અને તેનું સીધે આખું શરીર બળતું બળતું કાળું પડી જાય છે હપાય. તેમાંથી તેનું રક્ષણ કરવાને આ સીધો ઉપાય છે–સ્વવીર્ય નામના પોતાના (આત્માના હાથમાં ૧ ભીના શરીરમાં હમેશા રજ વધારે ચોંટે, તેમાં વળી સ્નેહમાં ચીકાશ છે એટલે વધારે ટે. એ ભીનાશ જતાં રજ ખરવા માંડે છે તે આગળ જણાશે. પોતાની શક્તિ. આત્મા અનંત શક્તિનો ધણી છે, અંદર રહેલી. શક્તિને બહાર વ્યક્ત કરવાની છે. હાથ દ્વારા શક્તિ બતાવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy