SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪૧ પ્રકરણ ૮] સંસારબજાર. આવે તો દર્શન માત્રથી વાંદરાને એ ચપળ બનાવી દે છે, એના નામ“શ્રવણ માત્રથી એ વાંદરાના બચ્ચાને મારે છે તો પછી એને અડ“વામાં આવે છે અથવા એને સ્વાદ લેવામાં આવે તે એ બચ્ચાને “વિનાશ કરી મૂકે એમાં શું આશ્ચર્ય જેવું છે? વાંદરાના બચ્ચાને “જૂદી જૂદી રીતે ઉપર કહેવામાં આવેલા ત્રાસ આપીને એ એવું “તે વ્યાકુળ બનાવી મૂકે છે કે એ ત્રાસની અસર નીચે એ બન્યું પેલા વિષવૃક્ષને આંબાના ઝાડે ગણવાની ભૂલ કરે છે; અને એ “વિષવૃક્ષેપર અત્યંત રાજી થઈ તેમાં આસક્ત થાય છે. અગાઉ જણ વેલા પાંચ ગોખોદ્વારા તે બહાર નીકળી આવી અત્યંત અભિલાષા“ પૂર્વક એ વૃક્ષો તરફ દોડે છે, એનાં કેટલાંક ફળ સારાં છે એમ ધારી લઈને એના ઉપર તે શદા થઈ જાય છે, વળી એનાં કેટલાંક ફળે સારાં નથી એમ ધારીને તે (ફળ)ની ઉપર દ્વેષ કરે છે. એના “ઉપર અત્યંત આસક્ત થઈને એ વૃક્ષની ડાળીઓમાં વારંવાર ભમે Kછે, એ ઝાડની નીચે અર્થનિચય નામનો પાંદડાં, ફળ, ફૂલ, રજ અને બીજે કચરો એકઠા થયેલ હોય છે તેના ઉપર તે આળેટે છે, એમાં ફરતાં ફરતાં કર્મપરમાણુનિચય નામની એ વૃક્ષોનાં ફળો અને ફુલની પરાગને આખા શરીરે ચુંટાડે છે અને ભેગાસ્નેહ નામના જળબિંદુ ઝરમર ઝરમર વરસાદથી એ ભીનું થાય છે. આ ત ૨ મારા ગુરૂમહારાજે જે વાત કરી તેને અંદરને ભાRભા વા ઘં. હાથે મારા સમજવામાં આવી ગયે તેથી મેં વિચાર કર્યો--આ મહારાજશ્રી કહે છે તે વિષવૃક્ષે (ઝેરી ઝાડ) તે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રૂપ સામાન્ય પ્રકારે જણાય છે, એનાં ફૂલે એ તો કાંઈક વધારે ફુટ પણ દેખી ન શકાય તેવા તેનાં વિશેષ પ્રકારે જણાય છે, જ્યારે એનાં ફળ એ એનાં વધારે સ્કૂટ સમજી શકાય તેવા વિશેષ આવિર્ભાવ જણાય છે, એની ડાળીઓ તે વિષયના આધારની વસ્તુઓનાં ૧ આ રાગદ્વેષનું સ્વરૂપ છે. ઇન્દ્રિયના કેટલાક વિષયો ગમે છે તે પર રાગ થાય છે, કેટલાક ખરાબ લાગે છે તે પર દ્વેષ થાય છે, તજે છે તે પણ ત્યાગબુદ્ધિથી નહિ પણ શ્રેષથી. જરા વિચાર કરવાથી આ વિષવૃક્ષનું આખું સ્વરૂપ સમજાઈ જાય તેવું છે. ૨ અર્થનિચય: વિષયના સ્વરૂપે. બાહ્ય દેખાવો. નીચે ભાવાર્થ જુઓ. ૩ કર્મપરમાણુનિચય કર્મ રજથી આખા શરીરને વ્યાપ્ત કરી નાખવું તે, ૪ વિશેષ પ્રકારઃ આવિર્ભાવ. Manifestations, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy