SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ૭ “ મૂકે છે. આવી રીતે ભદ્ર ! એ આરડામાં રહેતાં રહેતાં એ વાંદરાના “ અચ્ચાને ઘણા ઘણા ઉપદ્રા વારંવાર થયા જ કરે છે. હવે એ ચિત્ત “ નામના વાંદરાના બચ્ચાને વારંવાર એવા એવા અનેક ઉપદ્રવેા થયા “ કરે છે તેની વેદનાને આકરા ભાર તે ખાપડું ઉપાડી શકતું નથી તેથી કાઇ વખત તે રૌદ્રધ્યાન નામના ખેરના અંગારાથી ભરેલ “ << “ ધગધગતા જાજ્વલ્યમાન કુંડમાં પડે છે, કોઇવાર અનેક પ્રકારના કુવિકા રૂપ કરાળીઆના જાળાથી જેનું મોઢું છુપાઇ રહેલું છે “ એવી અત્યંત ભયંકર આર્ત્તધ્યાન નામની ઊંડી ગુફામાં પેસે છે, “ તારે એ વાંદરાના બચ્ચાને અહુ સંભાળ રાખી સાવચેતીથી એ “ મળતા કુંડમાં કે ઊંડી ગુફામાં જતું અચાવી લેવું. Sp < “ મેં પૂછ્યું ઃ મહારાજ ! એને કુંડમાં કે ગુફામાં પડતાં બચાવવાના ઉપાયે શા શા છે?' એટલે ગુરૂરાજે વાત આગળ ચલાવીઃ“ ભાઇ! પેલા કાયા નામના ઓરડામાં પાંચ ગેાખે છે તેમનાં “ મારણાં પાસે પાંચ વિષય નામના ઝેરી ઝાડો છે. “ એ ઝેરી ઝાડો સ્વરૂપે ઘણા ભયંકર છે કારણ કે “ એ તેને વિહ્વળ કરી દે છે, ગંધથી પણ એ વાંદ“ રાના મચ્ચાને ઘેન લાવી મૂકે છે,” એને જોવામાં વાનર રક્ષણના ઉપાયા. ૧ રૌદ્રધ્યાનઃ ક્રૂર આશયથી ઉત્પન્ન થાય છે. હંસાનંદી, મૃષાનંદી, ચૌ - નંદી અને સંરક્ષણાનંદી એ ચાર એના પેટા વિભાગેા છે. એ મનને ઉકળાવે છે અને તેને ઉત્પન્ન થવાનાં કારણેા અને તેનાં સાધ્યા બહુ ખરાબ હોય છે. ( વિશેષ વિગત માટે જુએ જૈન દૃષ્ટિએ યાગ પૃ. ૧૩૫-૩૮ ). ૨ આર્તધ્યાન: અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. અનિષ્ટસંયેાગ, ઇષ્ટવિયેાગ, રાગચિંતા અને ભવિષ્યની ચિંતા આ ચાર એના પ્રકાર છે. એ ધ્યાનમાં પડેલા પ્રાણી સંસારખાડામાં પડતા જ જાય છે અને તેને યાગ્ય રીતે ગુફા કહેવામાં આવેલ છે. એના વિશેષ વિગતવાર સ્વરૂપ માટે જીએ છૈ. દે. યા. પૃ. ૧૩૧-૩૫. ૭ આ સર્વે હકીકત ગુરૂમહારાજે છઠ્ઠા મુનિને કહેલી છે અને તે સર્વ વાત છઠ્ઠા મુનિ અકલંક પાસે ફરીવાર કહી બતાવે છે. ગેરસમજુતી ન થાય તે સારૂ જણાવવાની જરૂર છે. હજુ છઠ્ઠા મુનિના પેાતાને અભિપ્રાય કાંઇ આવ્યા નથી. ગુરૂ અને પેાતાની વચ્ચે થયેલી વાત તે કહી બતાવે છે. ઘનવાહને સાંભળેલી તે સર્વ વાતને સંસારીજીવ તરીકે સદાગમ સમક્ષ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને કહી Jain Education International મતાવે છે. ૪ વિષવૃક્ષા: ઝેરી ઝાડા. પાંચ ઇંદ્રિયના ત્રેવીશ વિષયા. એના વર્ણનમાં પ્રથમ પ્રાણઇંદ્રિય લે છે, પછી ચક્ષુરિંદ્રિય, શ્રોત્રંદ્રિય, સ્પર્શનેંદ્રિય અને રસેંદ્રિય લેવામાં આવી છે. આ પાંચે ઇંદ્રિયા મનપર કેવી અસર કરે છે. તેનું અત્ર આખેહુબ વર્ણન છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy