SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮]. તૃતીય વિભાગ-કથાસાર. ૩૧ ભૂત બને છે. તેઓની આજ્ઞા છે કે ચિત્તવૃત્તિને અંધકાર વગરની અને ચાકખી રાખવી, મહામહરાજના લશ્કરને શત્રુ તરીકે ઓળખવું અને તેને હણવું, ચારિત્રરાજના લશ્કરને હિત કરનાર ગણવું અને પોષવું. આજ્ઞાન ભંગ ન થવો જોઈએ. ભંગ પ્રમાણે દુઃખ થાય છે અને તે સદર મનુષ્યો દ્વારા થાય છે. આ આખે કાર્યસાધક કારણસમાજ છે. આવી રીતે સ્વસ સંબંધી રાજાના સંશયનો નિર્ણય થયો. પૃષ્ઠ. ૧૯૦૮-૧૯૧૬ પ્રકરણ ૭ મું. સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ. ગુણધારણે પ્રસંગો લાભ બરાબર લીધો. પોતાને નાનાં નાનાં સુખે થયાં તે સર્વ પુણ્યોદયથી થયાં છે તે વાત પણ તેણે જાણી લીધી. તેણે જાણ્યું કે પુણ્યદય પોતાનાં શુભ ફળ બીજાની મારફત અપાવે છે. પાપોદય પણ તેમ જ કરે છે. કારણોની વિચારણાની ટુંકી વ્યાખ્યા ગુણધારણે સ્પષ્ટતા ખાતર કરી બતાવી (જુઓ પૃ. ૧૯૧૮ બ્લાક ટાઈ૫). પછી એ સુખને થોડું સુખ કેવળીએ કહ્યું તે ખરૂં મોટું સુખ કયાં મળે ? તે સવાલ ગુણધારણે પૂછતાં કેવળીએ જણાવ્યું કે એ સુખ તો અનુભવથી જ મળે તેમ છે અને તે તો દશ કન્યા સાથે લગ્ન થાય ત્યારે મળે. એ દશ કન્યાની ઓળખાણ ગુરૂમહારાજે કરાવી. ચિત્તસૌંદર્યનગરે શુભ પરિણામ રાજાની નિપ્રકપતા અને ચારતા નામની રાણીઓથી અનુક્રમે (૧) ક્ષાનિત અને (૨) દયા નામની કન્યાઓ છે; શુભ્રમાનસનગરે શુભાભિસબ્ધિ રાજાની વરતા અને વર્યતા નામની રાણીઓથી અનુક્રમે (૩) મૃદુતા અને (૪) સત્યતા નામની કન્યાઓ છે; વિશદમાનસનગરે શુદ્ધાભિસન્ધિ રાજાની શુદ્ધતા અને પાપભીરતા નામની રાણીઓથી (૫) હતા અને (૬) અચરતા નામની કન્યાઓ છે; શબચિત્તપુર નગરે સદાશય રાજાની વરેણ્યતા ૨ાણીથી (૭) બ્રહ્મરતિ અને (૮) મુક્તતા નામની કન્યાઓ છે; સમ્યગ્દર્શન સેનાપતિએ પોતાના વીર્યથી (૯) માનસીવિદ્યા નામની કન્યા ઉત્પન્ન કરી છે અને મહારાજા ચારિત્રરાજે વિરતિ મહાદેવીથી (૧૦) નિરીહતા નામની કન્યા ઉત્પન્ન કરી છે, કર્મ પરિણામ મહારાજા દેવી કાળપરિણતિને પૂછીને પુણ્યદયને આગળ કરી એ દશે કન્યાના માબાપને અનુકુળ કરી એ કન્યાઓને છ માસ પછી પરણાવશે પણ એ કન્યાઓને યોગ્ય થવા માટે સદ્ગુણોનું સેવન કરવું જોઈએ. એ ગુણે કયા કયા છે તેનું વિ. સ્તારથી વર્ણન પણ કેવળીએ કરી બતાવ્યું. એ દશ કન્યાને પરણ્યા પછી કેવો આનંદ થશે તે પણ વર્ણવી બતાવ્યું. દીક્ષા લેવાની ભાવના ગુણધારણને તે જ વખતે થઈ આવી, પણ કેવળી ભગવાને ઉતાવળ ન કરવા કહ્યું. ગુણધારણે ગુણોનું અનુશીલન કરવાનું આદરી દીધું. સદુધ મંત્રીની સલાહ પ્રમાણે કરવાનું સ્વીકારી આનંદમગ્ન હૃદયે તે નગરમાં પાછો ફર્યો. પૃષ્ઠ. ૧૯૨૬-૧૯૩૩ પ્રકરણ ૮ મું. ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે લગ્ન. ભગવાનની સેવામાં ગુણધારણના કેટલાક દિવસ પસાર થયા. એક રાત્રે ભાવના ભાવતાં ભાવતાં ગુણધારણને સહજ નિદ્રા આવી ગઈ ત્યાં સદબાધ મંત્રી વિદ્યા કન્યા સાથે હાજર થયા અને ગુણધારણ સાથે એ કન્યાના તે જ રાત્રે લગ્ન કર્યા. પ્રભાત ગુણધારણ નિર્મળાચાર્ય પાસે ગયે, વાત કરી. ભગવાને જણાવ્યું કે રાત્રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy