SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પ્રકરણ ૫ મું. નિર્મળાચાર્ય-સ્વમવિચાર. એક દિવસ કલ્યાણ નામના સેવકે ગુણધારણ રાજાને જણાવ્યું કે આહામંદિર ઉધાનમાં નિર્મળાચાર્ય કેવળી પધાયા છે. રાજાને સમાચારથી ઘણો આનંદ છે. રાજા વંદન કરવા ગયા ત્યારે સૂરિમહારાજ દેશના આપતા હતા. “સંસારમાં ખરું સુખ નથી, ખરું સુખ શાશ્વત અમૂર્ત દશામાં છે તે તો માત્ર સિદ્ધ જીવોને છે. સંસારમાં તે નિઃસ્પૃહ દશાવાળા ત્યાગીને સુખ છે?—આ દેશનાનો સાર હતે. કંદમુનિના સવાલથી રાતને સ્વમને અંગે જે સંશય થયો હતો તેને ખુલાસે કેવળી મહારાજે કરવા માંડ્યો. કનકેદરે સ્વમમાં ચાર મનુષ્ય અને કલંધરે પાંચ જોયા હતા અને તે રાજાનું હિત કરનાર હતા તે કોણ હતા તેનો ખુલાસો કેવળીએ કરવા માંડ્યો. પ્રથમ તો અસંવ્યવહાર નગરથી માંડીને અત્યાર સુધીનો સંસારીજીવન વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી કહ્યું કે અંતરંગ રાજયમાં તેને અંગે ઘણી ખટપટો થઈ છે. હિત કરનાર ચારિત્રરાજને ધકેલી એના અંતરંગ રાજ્યના ધણીધોરી મહામહ વિગેરે થઈ બેઠા છે. કનકદરને સ્વમમાં ચાર મનુષ્ય આવ્યા તે કર્મ પરિણામ, કાળપરિણતિ, સ્વભાવ અને ભવિતવ્યતા હતા. કુલંધરના સ્વમમાં પાંચ આવ્યા તેમાં સદર ચાર ઉપરાંત પાંચમો પુર્યોદય હતો. ગુણધારણ રાજાને જે સુખ થાય છે તે કરી આપનાર એ પાંચ મનુષ્યો હતા. આટલે ખુલાસે કરી કેવળી મૌન રહ્યા. પૃષ્ઠ. ૧૮૯૫-૧૯૦૪ પ્રકરણ ૬ ઇં. કાર્યસાધક કારણ સમાજ. ખુલાસા ઉપર પ્રશ્નપરંપરા ચાલી અને કેવળી એ ખુલાસા આવ્યા. અગાઉના ભાવોમાં પુણોદયે કેવું કામ કર્યું હતું તેની વિગત સમજાવી, પણ જણાવ્યું કે સંસારીજીવે કદિ પુણ્યદયને એળખ્યા નહિ અને હિંસાજાનરાદિને ઉપકાર કરનાર જયા. પુણ્યોદય સાથે છતાં વચ્ચે વચ્ચે દુઃખો કેમ થયાં તેના જવાબમાં કેવળીએ કહ્યું કે ચિત્તવૃત્તિમાં ચારિત્રરાજ અને મહારાજનાં બે લશ્કર સાથે જ રહેતાં આવ્યાં છે. કર્મપરિણામ મોટો રાજા છે. એને મોહરાય તરફ પક્ષપાત છે પણ જીવનું વીર્ય કેટલું છે તે જોયા કરે છે અને જે લશ્કરનું જેર થાય ત્યાં ઢળી પડે છે. એ રાજાને પુણ્યોદય અને પાપોદય નામના બે સેનાપતિઓ છે. એ પાપોદય દુઃખ આપે છે અને આત્મવિગેપન કરાવે છે. એ પાપોદય સ્વતંત્ર નથી. સદાગમ જીવની પાસે આવ્યો ત્યારથી એનું જોર નરમ પડયું છે, પણ જ્યારે જ્યારે તેને દૂર કરવામાં આવતો ત્યારે વળી ઉપાધિ વધતી હતી. પછી સમ્યગ્દર્શન આવ્યા ત્યારે પાપદયનું લશ્કર વધારે દર ગયું. એમ સુંદર અસુંદર વસ્તુના મેળાપ વારંવાર થયા. મધુવારણુને ત્યાં આવ્યા ત્યારે ૫ પદય વધારે દૂર ગયો અને પુદય નજીક આવે. એ રીતે પેલા ચાર પુરૂ સર્વ સુંદર અસુંદરને યોગ કરાવતા રહ્યા છે. ત્યારે જીવનું પિતાનું એમાં કાંઈ ચાલે કે એ તે ઊભા ઊભા જોયા જ કરે ? એવો સવાલ થતા કેવળી એ જણાવ્યુ કે સર્વના નાયક તો સંસારીજીવ જ છે અને સુખ દુઃખનું કારણ તેની યોગ્યતા જ છે અને પેલા ચારે તે સહકારી કારણ છે, સંસારપ્રપંચ ગોઠવનાર એની થતા જ છે અને છેવટે તેથી એના ઉપર જ છેવટનો આધાર છે. એ સર્વનું પરમ કારણ નિતિ નગરીના મુસ્થિતરાજ મહારાજ છે. એ રાજા અનેક છતાં એક છે, રાગદ્વેષ રહિત છે અને છતાં આજ્ઞા દ્વારા કારણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy