SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮]. સંસારબજાર. ૧૭૩૫ હાટમાર્ગ-દુકાને. ભાઈ અકલેક! આદિ અને અંતવગરની સંસ્કૃતિ નામની એક નગરી છે. તે નગરીમાં આવેલ દુકાનો માર્ગ ( બજાર) મારા વૈરાગ્યનું કારણ ” અકલકે પોતાના મનમાં વિચાર કર્યો કે અગાઉ જેમ (ત્રીજા) મુનિએ રેટ-અરઘટ્ટને પિતાના વૈરાગ્યના કારણ તરીકે જણુવ્યો હતો તે જ આ હાટનો માર્ગ હશે; છતાં એ બાબતને નિર્ણય કરવા માટે પેલા સાધુને તેણે પૂછ્યું “મહાશય! એ બજારને માર્ગ આપને કેવી રીતે વૈરાગ્યનું કારણ થઈ પડ્યો અને તે કે તે તે આપ સ્પષ્ટ શબ્દોમાં મને સમજાવો.” સંસારબજાર વર્ણન મુનિરાજે જવાબ આપતાં કહ્યું “મહાભાગ! આ સામે ધ્યાનમાં સ્થિત થયેલા મુનિ મહારાજ છે, તેમણે અનેક જન્મને ઉત્પન્ન કરનાર બજાર મને બતાવ્યો. એ બજારમાં બહુ લાંબી લાંબી ભવ (જંદગી) રૂપ શ્રેણીઓ હતી, દુકાનમાં સુખદુઃખ નામનાં કરીઆણું મોટા પ્રમાણમાં ભરેલાં હતાં, એમાં વેપારની લેવડ દેવડની ધમાલમાં પડી ગયેલા અને કરીયાણું એકઠું કરવાના કામમાં મશગૂલ અનેક જીવરૂપ વ્યાપારીઓ પોતાના સ્વાર્થોમાં તત્પર અને આકુળવ્યાકુળ થઈ રહેલા દેખાતા હતા, ત્યાં થડા વધારે અથવા સાધારણ પુણ્ય અને પાપ રૂપ મૂલ્ય આપીને પોતાને યોગ્ય વસ્તુઓ ખરીદી શકાતી હતી, અનેક અપુણીઆ ગરીબ જીવોથી એ બજાર ભરાઈ ગયેલે અને હમેશા ઉઘાડે જ રહે હતે, એ સંસ્કૃતિનગરીનો મહામહ નામને રખેવાળ (સરસુબ) હતે, કામ કેપ વિગેરે તેના હાથ નીચેના અમલદારે હતા, ત્યાં કર્મ નામના ઘર લેણદારે જીવરૂપ દેવાદાને અતિ આકરા અને ન છેડાવી શકાય તેવા કેદખાનામાં નખાવતા હતા. લેકને ઉદ્વેગ કરાવીને ધમાલ કરી મૂકનારા કષાય નામના મદોન્મત્ત તોફાની છોકરાઓ ૧ સંસ્કૃતિઃ આમાં જ ધાતુ છે તેનો અર્થ “વહેવું થાય છે. સમ ઉપસર્ગ સાથે જોરથી વહેનાર શબ્દ થાય છે. સંસારનો પ્રવાહ ચાલ્યા જ કરે છે તેથી “સંસાર અર્થમાં આ શબ્દ વપરાય છે. પાણીના રેલા સાથે આ શબ્દ સરખાવો. ૨ કરીઆણાં વ્યાપારની ચીજોનું સમુચ્ચય નામ. ૩ મૂલ્યઃ કિમત. price. ૪ જેમ ધનવાન ધનવડે માલ તળી લે અથવા દાસદાસી ખરીદે અને દેવું ન આપનારને દીવાની જેલમાં નાખે, તેમ અહીં કામ કોઇ વિગેરે બેલીફેવડે કર્મ નામના લેણદારો દેવાના. બદલામાં પ્રાણીઓને આકરી કેદમાં નાખતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy