SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૯૨૮ ઉપમિતિ ભવપ્રપંગા કથા. [ પ્રસ્તાવ છે “ એકમેક કરી દેવા, અતિ ઉગ્ર વિહારીપણું ધારણ કરવું–આ પ્રમાણે “ કરવાથી મોક્ષમાં અસ્ખલિત પહોંચાડનાર ગુણસમૂહની તમને “પ્રાપ્ત થશે, ” એવી રીતે મહાત્મા મુનિમહારાજ સદ્ગુણા ઉપાર્જન કરવાના ઉપાયો તેમને બતાવે છે. તેમના એવા ઉપદેશથી અત્યાર સુધી મિથ્યાદષ્ટિપણામાં રહેલા પરંતુ જાતે ભદ્રક અને આગામી કાળે હિત સાધવાની યોગ્યતા ધરાવનારા (ભવ્ય) પ્રાણી હુશિયાર થઇ જાય છે, ભાવરતની (ખરા ધર્મની) પરીક્ષા કરનાર બને છે અને ધર્મોના આ સેવનને છેડી દે છે, સદ્ગુણ ઉપાર્જન કરવાના કામમાં મંડી જાય છે અને પછી જાતે જ ભટ્ટારક ગુરૂપ્રત્યે કહેવા લાગે છે-“અહા ભટ્ટારક ! અત્યાર સુધી આ મહાવિપત્તિઓના હેતુભૂત વિષયભાગેાથી અમે તે અહુ છેતરાયા! અને અંદરખાને ધૃતારાને આકાર આદર અને ધારણ કરનાર અન્ય તીર્થીઓએ અમને ઘણા ભઅર્થ સાધક્તા. માવ્યા! પરંતુ એ સર્વનું કારણ અમારો પોતાના માહદોષ જ હતા એમ હવે અમને માલૂમ પડે છે. હાલમાં આપે અમારા ઉપર અત્યંત પ્રેમ બતાવીને અમને સાચેા માર્ગ બતાવ્યો તેા નાથ ! આપે કહ્યું તે સર્વ હવે અમે કરશું.” એવા પ્રકારના પ્રાણીઆપર સાધુઓનાં મનેાહર વાક્યની ખરાખર અસર થાય છે અને તેમના ઉપદેશ પ્રમાણે ચાલવાના નિર્ણયને અનુસરવાથી આખરે તેવા ભદ્રક પ્રાણીએ પોતાના ખરા સ્વાર્થ સાધનારા થાય છે. મૂઢને વસ્વરૂપ દર્શન. મૂઢના તત્સંબંધી વિચિત્ર જવાબ, અસાધ્ય વર્ગમાં તેની ગણના ત્યાર પછી આગળ કથાનકમાં કહેવામાં આવ્યું હતું કે ચારૂ ત્યાર પછી પાતાના ત્રીજા મિત્ર મૂઢ પાસે ગયા અને આદરપૂર્વક તેને જણાવ્યું કે પાતે દેશ તરફ વિદાય થાય છે. ત્યારે મૂઢે તેને કહ્યું “ ભાઈ ચારૂ ! તું દેશમાં જઇને શું કરીશ ? આ દ્વીપ તે। તું આખા ફરીને જો ! આ બેટ ઘણા મજાના છે! આ બેટમાં ચારે તરફ કમળનાં વના છે, ૧ ઉગ્ર વિહારઃ સાધુએ વધારેમાં વધારે એક સ્થાને શેષકાળે એક માસ અને વર્ષાકાળે ચાતુર્માસ રહેવું, પ્રતિબંધ ન થાય તે તેનેા હેતુ છે. એક સ્થાનેથી ખીજે સ્થાને જવાને ‘વિહાર’ કહેવામાં આવે છે. ઉગ્ર વિહાર એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પ્રતિબંધરહિત સખ્ત વિહાર કરવા, ૨ જુએ પૃ. ૧૭૦૬-૭, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy