SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૨9. આલોચના લેવી, નિર્દોષ ભોજનવિધિ શીખવી, ભાજન પરિકર્મ વિધિપૂર્વક સાફ કરવાં, આગમને અનુસાર મળવિસર્જન વિધિ કરવી, “સ્થડિલ ભૂમિનું બરાબર નિરીક્ષણ કરવું, સર્વ પ્રકારની ઉપાધિઓથી “રહિત થઈને આવશ્યક કરવું, આગમમાં કહેલ વિધિપ્રમાણે કાલ“ગ્રહણ કરવું, પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવો, તેમજ દરરેજની કિ“યામાં સાવધાન રહેવું, પાંચ પ્રકારના આચારો બરાબર પાળવા, ચરણ કરણની બરાબર સેવા કરવી, અપ્રમાદભાવને આત્મા સાથે ૧ આલોચનાઃ પ્રાયશ્ચિત. કરેલ અપરાધની સા. ૨ ભાજનપરિકર્મઃ પાતરાં વિગેરે પ્રમાર્જવાં. ૩ સ્પંડિલઃ મળ વિગેરે વિસર્જન કરવા ગ્ય નિર્જીવ ભૂમિ. ૪ આવશ્યકઃ સવાર સાંજ પ્રતિક્રમણ અથવા સામાયિક વિગેરે છ આવશ્યક, એ સર્વને પ્રતિક્રમણમાં સમાવેશ થઈ જાય છે. ૫ કાલગ્રહણઃ સાધુઓને યોગદ્વહન કરવાના વિધિમાં કાલગ્રહણ લેવાનું - ૬ સ્વાધ્યાયઃ (૧) વાચનાઃ ગુરૂ પાસે વાંચના લેવી તે. (૨) પૃચ્છનાઃ પૂછવું . (3) પરાવર્તનાઃ ભણેલ બાબતે વારંવાર યાદ કરી જવી તે. (૪) અનપેક્ષા: અભ્યાસના વિષય ઉપર વિચાર કરો. (૫) ધર્મકથાઃ ધર્મસંબંધી વાતે વિચારો કરવા, તેના રહસ્યને તારવવા. આ પાંચ પ્રકારના સ્વાધ્યાય એ અત્યંતર તપમાં આવે છે. ૭ પંચાચારક જ્ઞાનમાં પ્રવૃત્તિ કરવી તે જ્ઞાનાચાર'; દર્શનમાં પ્રવૃત્તિ કરવી તે દર્શનાચાર'; ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી તે “ચારિત્રાચાર'-આમાં સાધુનાં સર્વ મહાવ્રત અને શ્રાવકોનાં અણુવ્રતોનો સમાવેશ થાય છે; (૪) ‘તપાચાર:' બાહ્ય અને અત્યંતર તપ કરવા અને (૫) “વીયોચાર:' ક્રિયા અનુષ્ઠાન વિગેરેમાં મનવચનકાયાની શક્તિને ફેરવવી. ૮ ચરણ કરણઃ ચરણ સિત્તરી અને કરણ સિત્તરી. દરેકના સિત્તેર સિત્તેર ભેદ છે. ચરણ સિત્તરીમાં પાંચ મહાવ્રત, દશ યતિધર્મ, સત્તર પ્રકારના સંયમ, દશ પ્રકારે વૈયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ, જ્ઞાનત્રિક (જ્ઞાનદર્શનચારિત્ર), બાર પ્રકારે તપ અને કોંધાદિ ચારનો નિગ્રહ. કરણસિત્તરીમાં ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના, બાર પડિમા, પાંચ ઇંદ્રિયને નિગ્રહ, પચીશ પડિલેહણ, ત્રણ ગુપ્તિ અને ચાર અભિગ્રહ. આ ચરણકરણસિત્તરીના સીત્તેર સીત્તેર ગુણને વિસ્તાર પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં છાસઠમાં અને સડસઠમાં તારમાં છે તે જોઈ લેવા, એ બહુ વિચારવા યોગ્ય છે. જુઓ અધ્યાત્મ કલ્પકુમ નેટ તેરમો અધિકાર પૃ. ૩૯૬-૯૮ ત્રીજી આવૃત્તિ.) ૯ અપ્રમાદભાવઃ પ્રમાદ: આળસ. મઘ, વિષય, કષાય, વિકથા, નિદ્રામાં વખત કાઢો તે સર્વ પ્રમાદ છે. એમાં બેસી રહેવાને પ્રાધાન્ય નથી, પણું પરભાવ૨માતા એ પ્રમાદ છે, સાધુઓએ એક સમય પણ બને ત્યાં સુધી પ્રમાદ ન કરો એ ઉપદેશ છે. અપ્રમાદભાવ ધારણ કરવો એટલે પરભાવમાં રમતા ન કરવી એ અત્ર ઉપદેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy