SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસતાવ ૭ “કદિ પાડે નહિ; કુપાત્ર (અયોગ્ય) માણસને શાસ્ત્રને અભ્યાસ કરાવ નહિ–આ પ્રમાણે કરવાથી ગુણ જાણનારાઓ જેનું બહુ“માન કરે છે એવી યોગ્યતા તમને પ્રાપ્ત થશે, શાંતિરૂપ લક્ષ્મી તમને આપોઆપ મળી આવશે અને ભાવસંપત્તિઓનું તમે આ “શ્રયસ્થાન થઈ પડશે. ઉપર પ્રમાણે જ્યારે તમારી અંદરથી સાચી યોગ્યતા થશે ત્યારે “ગુરૂમહારાજનો તમારા ઉપર ખરો પ્રસાદ થશે, તમારા પર તેમની “કૃપા થશે; પછી તેઓ તમને સિદ્ધાન્તનો સાર બતાવશે અને તમારામાં (૧) સાંભળવાની ઈચછા (૨) સાંભળવાનું કાર્ય (૩) શાસ્ત્રગ્રહણ “(૪) શાસ્ત્રધારણુ (૫) રહ' (૬) અપહ' (૭) વિચારણા (૮) તત્ત્વજ્ઞા“નની પ્રાપ્તિ એ બુદ્ધિગુણે ખીલવશે. પછી તમારે આસેવના શિક્ષા ગ્રહણ કરવી, સર્વે ઉપકરણે અને કપડાઓની પ્રત્યુમક્ષ રમણ “પેક્ષ" કરવી, વારંવાર પ્રમાર્જન કરવું, ભિક્ષાચર્યા ચ ગુ. “કરવાની વિધિ પિતાના આત્મા સાથે એકમેક કરી દેવી, ઇર્યાપથિકી દોષનું પ્રતિક્રમણ કર્યા કરવું, ૧ ઉહ નણવામાં આવેલા પદાર્થનું અવલંબન કરી તેવા પ્રકારના બીજા પદાર્થો સંબંધી વિતર્ક કરવો તે અથવા સામાન્ય જ્ઞાન. ૨ અપેક અનુમાનાદિથી વિપરીત જણાતા પદાર્થોનો ત્યાગ કરવો તે અથવા વિશેષ જ્ઞાન. ઉહાપોહના યોગથી અજ્ઞાન, સંશય અને વિપરીત૫ણાને ત્યાગ થવાથી સાત અર્થવિજ્ઞાન નામનો ભેદ પણ ગણવામાં આવે છે અને આઠમો ભેદ તત્વજ્ઞાનનો ગણવામાં આવે છે. ૩ બુદ્ધિના આઠ ગુણેઃ (1) curiosity. (2) hearing. (8) grasping. (4) digesting. (5) ruminating. (6) discriminating. (7) knowledge and (8) philosophy. આ ગુણે બહુ વિચારવા યોગ્ય છે. ૪ શિક્ષા બે પ્રકારે છેઃ ૧ ચહણ શિક્ષા ૨ આસેવના શિક્ષા ગ્રહણ શિક્ષા: દરરોજ સૂત્ર અર્થનું ગ્રહણ કરવું. આસેવન શિક્ષા: દરરોજ સ્વયોગ્ય સામાચારી અનુસાર ક્રિયામાં ઉદ્યમ રાખવો તે. ૫ કયુપેક્ષણ: પડિલેહણ. વસ્તુ લેવી મૂકવી, વસ્ત્રોને લેવાં મૂકવાં બદલવા ત્યારે તેને તપાસીને નિર્જીવ છે એમ ખાત્રી કરવી વિગેરે. એ પડિલેહણાના વિધિ માટે જુઓ આંધ નિયુક્તિ. - ૬ ભિક્ષાચર્યાઃ આને માટે જુઓ એષણાના ૪૨ દે. એ વિષય પર બીન ભાગમાં પરિશિષ્ટ ન. ૪ આપ્યું છે તે જુઓ. ૫. ૧૪૦૪-૨૯. ૭ ઈપથિકી ચાલતી વખતે સાડા ત્રણ હાથ જમીન જેઈને નીચી નજરે ચાલવું જેથી કોઈ જીવ પગતળે દબાઈ ન જાય. છતાં પ્રમાદથી મરી જાય અથવા અનણે દબાઈ અય તે પાપને ખમાવવું તે ઇર્યાયિકીનું પ્રતિક્રમણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy