SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ १७२४ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૭ ચાર શરણેને વારંવાર અંગીકાર કરવાં, પિતાનાં દુષ્ક (ખરાબ “કામે)ની વારંવાર નિંદા કરવી, પોતાનાં સારાં કામની વારંવાર “અનુમોદના કરવી, મંત્ર દેવોની પૂજા કરવી, પૂર્વ પુરૂષની સુંદર વર્તનાઓનાં ચરિત્ર વારંવાર સાંભળવાં, ઉદારતા રાખવી અને ઉત્તમ જ્ઞાનમાં વારંવાર રમણ કર્યા કરવું-એ પ્રમાણે કરવાથી સાધુ મહારાજના ધર્મો અને અનુષ્ઠાન કરવાની તમારામાં યંગ્યતા આવશે. “ ત્યાર પછી તમે બાહ્ય અને અંતર સંગને ત્યાગ કરેલ હોવાથી અને પારકા મળેલા આહાર ઉપર આધાર રાખસિદ્ધાન્ત ગ્રહણ “નાર ભાવમુનિ થયેલ હોવાથી તમારે ગ્રહણશિક્ષા પાત્રતાનાં કારણે. “ધારણ કરવી અને તેટલા માટે વસ્તુતત્ત્વ સમ જવાની બરાબર જિજ્ઞાસા મનમાં ઉત્પન્ન કરવી; પિતાનાં અને પારકાં શાસ્ત્રોને બરાબર જાણનાર, પારકાનું હિત કરવાનાં કાર્યમાં સદા તત્પર, સામા માણસના હૃદયને આશય બરાબર “સમજનાર, અને પિતાના નામને સાર્થક કરનાર ગુરૂમહારાજ સાથે સાચો સંબંધ કેવી રીતે થાય તેની શોધ કરવી; ગુરૂમહારાજનો “વિનય બરાબર કરવો, અનુષ્ઠાનેની સર્વ વિધિઓ કરવા તત્પર રહેવું, ૧ ચાર શરણ અરિહંત શરણ, સિદ્ધ શરણ, સાધુનું શરણું, અને કેવળીભાષિત ધર્મનું શરણ. ૨ નિંદાઃ પતે ખરાબ કામ કર્યો હોય અથવા સમુચ્ચયે જે જે દુષ્ક હોય તેની નિંદા કરવી, કામ કરનારની નહિ પણ ખરાબ કામની નિંદા કરવી, તે ન કરવા યોગ્ય છે એમ કહેવું. આ તફાવત ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અન્યની નિંદા કરવાને કોઈને અધિકાર નથી. ૩ આ કઈ હદની વાત છે અને આપણે કયે સ્થાને છીએ તે ખાસ વિચારવા યોગ્ય છે. શ્રાવક તો નહિ પણ શ્રાવકપણું પ્રાપ્ત કરવાની યેગ્યતા ક્યારે થાય અને સાધુપણાની યોગ્યતા ક્યારે થાય તે વિચારવાથી પોતાનું સ્થાન ધર્મવિકાસમાં કયાં છે તે સમજાશે. ૪ ગ્રહણશિક્ષાઃ દરરોજ સૂત્ર અર્થનું ગ્રહણ કરવું તે. ૫ વિનયઃ પ્રવચનસારેદાર ગ્રંથના ૬૫ માં દ્વારમાં બાવન (૫૨) પ્રકાર વિનયના બતાવ્યા છે. તીર્થકર, સિદ, કુળ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વીર, ઉપાધ્યાય અને ગણી એ તેરની આશાતના ન કરવી, તેમના તરફ ભક્તિ રાખવી, તેમનું બહુમાન કરવું અને તેમની કીતિને પ્રગટ કરવી એ પ્રત્યેક સાથે મેળવતાં બાવન ભેદ થાય છે. વિનયના પ્રકાર માટે જુઓ ક. ૪ ક. ૨૫. ૬ વિધિઃ સાધુધર્મની આહાર લેવાની, ચારિત્ર ગુણમાં સ્થિરતા કરવાની, કિયાએ ક૨વાની વિધિ અનેક ગ્રંથોમાં બનાવી છે તે પ્રમાણે કરવા તૈયાર રહેવું, તેમાં આનંદ રાખ, ઉત્સાહ રાખવો વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy