SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૨૩ અને હમેશા સારે વેષ પહેરે અને આચારે પણ સારાં રાખવાં આ પ્રમાણે કરવાથી સર્વજ્ઞ મહારાજે બતાવેલા શુદ્ધ ધર્મનું અને “ નુષ્ઠાન કરવાની યોગ્યતા તમને પ્રાપ્ત થશે. ત્યાર પછી ગૃહસ્થ (શ્રાદ્ધ-શ્રાવક) થયા હોય તેમણે અકલ્યાણ “મિત્રને સંબંધ છેડી દે, કલ્યાણ મિત્રોની સેસાધુધર્મ ગ્યતા “વન કરવી, પોતાને ઉચિત સ્થિતિમર્યાદાનું ઉલ્લંધન તદુપાર્જન માર્ગ. “ન કરવું, વ્યવહારમાર્ગ (લેકમાર્ગ)ની હમેશા “અપેક્ષા રાખવી, ગુરૂમહારાજને-વડીલ પુરૂષોને યોગ્ય માન આપવું, તેઓ જે ફરમાન કરે તે પ્રમાણે વર્તવું, દાન વિગેરે સદ્દગુણોમાં વિશેષ પ્રવૃત્તિ કરવી, ભગવાન્ દેવની ઉદાર પૂજા કરવી, “સાધુમહાત્મા પુરૂષોની નિરંતર શોધ કર્યા કરવી, તેમને સંગ મેળવીને “ધર્મશાસ્ત્રનું વિધિપૂર્વક શ્રવણ કરવું, મહા યનપૂર્વક તેની પર્યાચના કરવી, તેમાં કહેલ બાબતોનો અર્થ સમજી વિધાનપૂર્વક તેનું અનુષ્ઠાન કરવું. પૈયને ધારણ કરવું, ભવિષ્યકાળને વારંવાર વિચાર કરે, મરણને “વારંવાર નજરે સન્મુખ રાખ્યા કરવું, પરલોક સાધનમાં તત્પરતા “રાખવી, ગુરૂમહારાજની સેવના કરવી, યોગપટ્ટનું દર્શન કરવું, તેના “રૂપને પિતાના મનમાં વારંવાર સ્થાપન કરવું, ધારણુને સ્થિર કરવી, કઈ પણ પ્રકારનો આંતર વિક્ષેપ થાય તેવો માર્ગ તજી દે, ગ“(મન વચન કાયા)શુદ્ધિ થાય તે માટે પ્રયત્ન કર્યા કરે, ભગવાનનાં મંદિરે તેમજ મૂર્તિઓ તૈયાર કરાવવાં, તીર્થંકર મહારાજનાં વચનને લખાવવાં, મંગળજાપ (નવકારમંત્રસ્મરણ ) વારંવાર કર્યા કરે, ૧ આ પ્રમાણેના કમસર સદગુણ શાસ્ત્રમાં બીજી કઈ જગાએ લખેલાં છે કે કેમ તેની તપાસ કરતાં મને તે મળી શકયા નથી. આ સગુણે ઘણું સુંદર છે અને ધર્મયોગ્યતા પ્રાપ્ત કરાવે તેવા છે તેમાં સંદેહ નથી. માર્ગાનુસારીના ગુણેને આધારે તેની રચના થઈ હોય એમ જણાય છે. ભા. ક. ૨ અકલ્યાણમિત્ર પ્રાણીનું અંતિમ સાધ્ય પ્રાપ્ત કરવામાં વિન્ન કરનાર અવગુણોનું સમુચ્ચય નામ. એમાં મેહ વિગેરે સર્વ આતર રિપુઓનો સમાવેશ થાય છે. ૩ કલ્યાણમિત્ર પ્રાણીનું અંતિમ સાધ્ય પ્રાપ્ત કરવામાં સહાય આપનાર. એમાં ચારિત્રરાજ વિગેરે આંતર સ્નેહીઓને સમાવેશ થાય છે. ખરા પ્રેમીઓનું એ સમુચ્ચય નામ છે. ૪ ગપટ્ટઃ યેગી લોક ગાભ્યાસ વખતે કેડે વસ્ત્ર બાંધે છે તે જણાય છે. ૫ વચનેને લખાવવાં એટલે પુસ્તકેદ્ધાર કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy