SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ १७२२ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૭ મહાત્મા મુનિઓ પિતાની તરફ ખરેખર સાચો પ્રેમ રાખનારા છે, મહાત્મા મુનિઓનું જ્ઞાન ઘણું વિશાળ છે એ વાત પણ તેમના મનપર ઠસી જાય છે. ત્યાર પછી ઉપદેશને પરિણામે જે સુંદર વાસના થઈ આવેલી હોય છે તેને લઈને ધનપ્રાપ્તિ કરવાનો અને વિષે ભોગવવાને જે પ્રતિબંધ અત્યાર સુધી તેઓને થતું હતું તે ઘટતો જાય છે, નિવર્તતો જાય છે, દૂર થતો જાય છે અને પછી તે મુનિમહારાજને સાચો ધર્મ પૂછે છે, પિતે તેમની પાસે શિષ્યભાવ ધારણું કરે છે અને વિનય વિગેરે ગુણોએ કરીને ગુરૂમહારાજનાં મનનું રંજન કરે છે. ગુરૂમહારાજ પણ પ્રસન્ન થઈને ગૃહસ્થદશાને ઉચિત તથા સાધુપણાને ઉચિત ધર્મમાર્ગ તેને બતાવે છે અને ઘણી યતનાપૂર્વક તે પ્રાપ્ત કરવાના ઉપાય પણ બતાવે છે. તે આ પ્રમાણે – ભદ્રો! તમે વિશુદ્ધ ધર્મોનું સાધન તમારા આત્માને પ્રાપ્ત થાય - “એવી ઈચ્છા રાખે છે તે તમારું પ્રથમ કર્તવ્ય શ્રાદ્ધ ધર્મ યોગ્ય- “તે એ છે કે શરૂઆતમાં તમારે દયાળુતા સેવવી, તા અને તે ઉપા- “બીજાને જરા પણું તિરસ્કાર કર નહિ, કોધીપણું જૈનને ઉપાય. “તદ્દન છોડી દેવું, ખરાબ માણસો (દુર્જન) સાથે સંબંધ સર્વથા તજી દેવો, જુઢાપણા (ખોટું બોલ“ વાપણું)ને સવેથા ત્યાગ કર, અન્યના ગુણ તરફ પ્રેમ કરવાનો “ અભ્યાસ પાડે, ચોરી કરવાની બુદ્ધિ પણ ન કરવી, મિથ્યાભિ“માનને તદ્દન તજી દેવું, પરસ્ત્રીને કઈ પણ પ્રકારને અભિલાષ તદ્દન ન કરે, પિતાને ધન ઋદ્ધિ કે જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને ગર્વ છોડી દે, દુઃખી પ્રાણીઓને દુઃખમાંથી છોડાવવાની ઈચ્છા ધારણું કરવી, ગુરૂમહારાજની ભક્તિ કરવી, દેવને વંદન કરવું, સગાંસંબં“ધીઓનું યોગ્ય સન્માન કરવું, પ્રેમ રાખનાર જનોની હસે પૂરી કરવી, મિત્ર વર્ગને અનુસરવું, પારકાના દોષો કે અપવાદ જરા પણ “બલવા નહિ, પારકાના ગુણોને ગ્રહણ કરવા, પોતાના ગુણોની પ્રશંસા Kકરતા શરમાવું, પોતે જરા નાનું સરખું સારું કામ (સુકૃત્ય) કર્યું હોય તે તેને પણું મનમાં વારંવાર સંભાર્યા કરવું, પારકાને માટે“પપકાર કરવા સારૂ બને તેટલે પ્રયત્ન કરો, મહાપુરૂષેની સાથે પ્રથમ ભાષણ કરવું, ધર્મ કરનાર માણસોની હમેશાં અનુદના કરવી, પારકાના મર્મો (ખાનગી વાતે) જરા પણ પ્રગટ કરવા નહિ, ૧ પ્રતિબંધ તીવ્ર પ્રેમ. આસક્તિ પૂર્વક રોકાણ. ૨ તેઓને પ્રથમ પિતે બેલાવવા, તેઓ બેલાવશે તે બેલશું એ આગ્રહ ન રાખો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy