SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨૧. પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). હેઈ શકે છે અને અત્યારે તમે જે હમ અથવા યજ્ઞો કરે છે તે તો તેનાથી વિરૂદ્ધ છે. ધર્મની બુદ્ધિથી આવી રીતે તમારે અધર્મનું સેવન કરવું કેઈપણ રીતે યુક્ત નથી. વળી તમે હમણું જણાવ્યું કે તમે સુખે રહો છો કારણ કે તમે માંસ ખાઓ છો વિગેરે, તે પણ તમારું અજ્ઞાન જ બતાવે છે અને ડાહ્યા સમજુ માણસો તો એવી વાત સાંભળીને જરૂર હસવા જ મંડી જાય તેવું છે; કારણ કે જ્યાં શરીરની બાજુમાં જ અથવા શરીરમાં જ અનેક પ્રકારની પીડાઓ સાથે જ રહેલી હોય, અનેક પ્રકારના રેગે વળગી રહેલા હોય, ઘડપણું એકદમ જલદીથી ચાલ્યું આવતું હોય, રાજ્ય તરફની તેમજ “બીજા અનેક પ્રકારની હેરાનગતિઓ અને ત્રાસ શરીરને અને મનને “સંતાપ આપી રહ્યા હોય, જુવાની વાંકી ચુકી ચાલી જનાર (અથવા “ઢંગધડા વગરની) હોય, પ્રાપ્ત થયેલી સંપત્તિઓ સર્વ પ્રકારનાં દુઃ“ખને ઉત્પન્ન કરનાર હોય, વહાલાઓના વિશે મનને બાળી નાખતાં “હાય, પિતાને ન ગમે તેવા અપ્રિયના સંગે મનને આકુળવ્યાકુળ “કરી દેતા હોય, દરરોજ મરણ વધારે ને વધારે નજીક જ આવ્યા “કરતું હોવાને ભય માથે લટકી રહેલે હોય, શરીર અપવિત્ર પદા ને એકઠા કરી રાખવાનાં ભંડાર જેવું હોય, વિષયે માત્ર પુગળોના “પરિણામ માત્રને જ બતાવનારા હોય, આખું જગત્ અસંખ્ય દુઃખોથી ભરેલું જ હોય, ત્યાં પ્રાણીઓને “સુખની વાત શી કરવી? એમાં “સુખનો સવાલ જ ક્યાં રહે છે? પરમાર્થ એ સર્વ એકલું દુઃખ જ છે, “પણું તમને એમાં સુખનો ખોટો ખ્યાલ બંધાઈ ગયો છે. એ જે “ તમને ખોટે ભ્રમ થયો છે તે તમારા કર્મોને લઈને જ થયો છે અને તે અનંત સંસારમાં ભમવાનું જ કારણ છે. એટલા માટે ભદ્રો ! આવો સુંદર મનુષ્યનો ભવ મહા મુશ્કેલી એ પામ્યા છે, તમને ધર્મ કરવાને ગ્ય સર્વ સામગ્રીઓ અને અનુકૂળતા પણ મળી ગઈ છે, અમારે ઉપદેશ પણ તમને ચાલુ મળ્યા કરે છે, ગુણ પ્રાપ્ત “કરવા એ પણ તમારે પિતાને સ્વાધીન છે, જ્ઞાનાદિ મોક્ષનો માર્ગ “ઉઘાડે છે, જીવ વસ્તુસ્વભાવે અનંત આનંદરૂપ છે, જીવના અસલ “ સ્વરૂપની પ્રાપ્તિ થાય એ જ તેને મેક્ષ છે અને તે પ્રાપ્તિ બેધ “(જ્ઞાન), શ્રદ્ધા (દર્શન) અને અનુષ્ઠાન (ચારિત્ર)ની ઉપર જ આધાર રાખે છે–આ સર્વ બાબતે છતાં તમે તમારા આત્માને આટલે બધે છેતરે છે એ બીલકુલ એગ્ય નથી.” મહાત્મા મુનિનાં આવાં સુંદર વચનો સાંભળીને હિત જેવા ભદ્રક ભવ્ય મિથ્યાદષ્ટિ જ હોય છે તે વિચાર કરે છે કે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy