SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ ] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૧૯ બાગબગિચાના મોજશેખે કરવા વિગેરે બાબતની પિતાની આખી વર્તના કહી બતાવી–તેવી રીતે ભાઈ ઘનવાહન! પ્રાણુઓના સંબંધમાં જે હકીકત બને છે તે તું વિચારી જે. ઘણું પ્રાણીઓ મિથ્યાદષ્ટિવાળા હોય છે પણ ભવ્ય હોય છે અને જાતે ભદ્રક હોય છે તેવાઓને માહાત્મા સાધુઓ સાચો ઉપદેશ આપવા તૈયાર થાય તે ચારૂ હિતા પાસે ગયે તેની બરાબર સમજવું. ત્યાર પછી મહાત્મા સાધુઓ ભદ્રક મિથ્યાદષ્ટિઓને ધર્મદેશના આપીને તે દ્વારા મોક્ષહિતણે માનેલે ગમનનું આમંત્રણ કરે છે, જેને જવાબ આપતાં પેલા ધર્મ વ્યવહાર. મિથ્યાદષ્ટિ (વ્યાપારી) કહે છે કે “સાહેબ! અમે પણ ધર્મ તો કરીએ છીએ. જુઓ, અમે દરરેજ સ્નાન કરીએ છીએ, અગ્નિહોત્ર ઘરમાં રાખે છે તેને બલિદાન આપીએ છીએ, તેમાં તલ હેમીએ છીએ અને લાકડાં (સમિધુ) બાળીએ છીએ, ગાય ભૂમિ અને સેનાનું દાન દઈએ છીએ, કાચતુલ્યતા. વાવ કૂવા તળાવ ખેદાવીએ છીએ, કન્યાદાન આ પીએ છીએ.” આ સર્વ હકીકત કહે છે તે તેવા પ્રકારના પ્રાણીઓએ એકઠાં કરેલા કાચ વિગેરેના ટુકડાઓ બરાબર સમજવું. વળી એવા પ્રાણીઓ સુસાધુઓને જણાવે છે કે “સાહેબ! અમે સુખે રહીએ છીએ કારણ કે અમે માંસ ખાઈએ કે તુ ક છીએ, દારૂ પીએ છીએ, બત્રીશ પ્રકારનાં ભેજન તુક્યતા. અને તેત્રીશ પ્રકારનાં શાક આરોગીએ છીએ, સુંદર સ્ત્રીઓ સાથે વિલાસ કરીએ છીએ, અતિ સુંદર ઉજળાં મૂલ્યવાળાં વસ્ત્રો પહેરીએ છીએ, પંચ સુગંધીયુક્ત પાન ચાવીએ છીએ, વિચિત્ર પ્રકારની પુષ્પમાળાઓ શરીરપર ધારણ કરીએ છીએ, આખા શરીર પર વિલેપન કરીએ છીએ, ધનનો મટે ઢગલે એકઠે કરીએ છીએ, અમારા ધ્યાનમાં આવે તેવી ચેષ્ટાઓ કર્યા કરીએ છીએ, અમારા દુશમનની એક જરા ગંધ પણ સહન કરતા નથી, અમારી કીર્તિને ચોતરફ ફેલાવીએ છીએ, અમે જાણે મનુષ્યભૂમિના દેવતા હેઇએ એવી અમારી કાંતિ અને વર્તના બતાવીએ છીએ અને મનુષ્ય ૧ પંચસુગધી પાનમાં પાંચ સુગંધી નખાય છે. એવું પાન લીજતદાર કહે વાય છે. कर्पूरककोललवंगपुष्पगुवाकजातिकलपंचकेन । समांशभागेन च योजितेन मनोहरं पञ्चसुगन्धकं स्यात् ।। કપૂર, બકુલની છાલ, લવીંગના પુષ્પ, તજ અને જાઈફળ એ પાચેને પ્રમાણે સર જવાથી પંચસુગંધી તાંબુલ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy