SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૧૭ છે! અને એમ કરવાથી તે જ્ઞાન વિગેરે ખરાં સાધન પ્રાપ્ત કરવામાં ઉલટ અંતરાય થાય છે. અને ભદ્રો ! તમે સારી રીતે જાણો છે કે ઇન્દ્રિયના વિષયો પરિણુમે ઘણું ભયંકર છે, મનને ઉથલ“પાથલ કરનારા છે, સ્ત્રીઓ બહુ ચંચળ હૃદયની હોય છે, એ જાતે “લાંબા વખતનાં સુખનું સ્થાન કદિ બની શકતી જ નથી, વળી એ આર્ત અને રૌદ્ર સ્થાનનું કારણ અનેક પ્રકારે બને છે; વળી તમે જાણો “છે કે જ્ઞાન સારી ગતિને માર્ગ દર્શાવવામાં દીપક સમાન છે, મનમાં “અત્યંત આનંદનું કારણ બને છે, ખરાબ નિઓમાં જન્મ પામવા “રૂપ ખાડામાં પડતાં બચાવવા માટે હાથને ટેકો આપનાર છે; તેમજ દર્શન મનને અનંત અમેદ કરાવનાર છે અને વળી મહા સુખ આપનારા “મોક્ષમાં જાતે એકદમ નિક્ષેપ કરનાર છે; અને ચારિત્ર હૃદયમાં એક પ્રકારના હમેશનો ઉત્સવ કરનાર છે અને વરૂપ વસ્ત્રપર “ અનાદિકાળથી લાગેલા મેલને દૂર કરવા સારૂ પાણીનું કામ કરનાર “છે; તપ અવયંગરહિતતા વિગેરે ગુણસમૃહોને આપનાર છે અને “નહિ લાગેલા કચરાને લાગતા અટકાવનાર છે; તેમજ સંયમ ભવ“ભ્રમણમાં થતા ભયને દૂર કરી ભવિષ્યકાળમાં થવાના ભારે હર્ષનું “કારણ બને છે. અરે ભદ્રલોકો! તમે આ હકીકત પણ સારી રીતે જાણે છે છતાં તમારી આ અવિદ્યા (અજ્ઞાન) કેટલી? તમને આ “મેહ છે? તમારું આત્મવંચન (છેતરવાપણું) કેવું? તમારું આત્મછે વેરીપાવું કેટલું ? કે જેને લઈને તમે વિષયોમાં આવડી બધી આ “સક્તિ રાખો છો, સ્ત્રીઓમાં મોહ પામી જાઓ છે, ધન ઉપર આટલો “ બધા લાભ રાખે છે, સગાઓ ઉપર આવડે એહ રાખો છો, જુવાની “ઉપર આટલા બધા મલકાઈ જાઓ છો, તમારું પિતાનું રૂપ જોઈને “અવડા રાજી રાજી થઈ જાઓ છો, તમને અનુકુળ સંગ–પ્રસંગો પ્રાપ્ત “થાય તેની પાલન કરે છે, તમને તમારા હિતને ઉપદેશ આપનાર પર “ક્રોધ કરે છે, ગુણને દેવ આપે છે, અમારા જેવા તમને સહાય કરનાર સાથે હોવા છતાં સન્માર્ગથી નાસી જાઓ છો-ખસી જાઓ છે, “સાંસારિક સુખોમાં રાજી થઈ જાઓ છો, અને વળી તમે જ્ઞાનનો અ ભ્યાસ કરતા નથી, દર્શનનો આદર કરતા નથી, ચારિત્ર પાળતા નથી, તપ કરતા નથી, સંયમ ધારણ કરતા નથી અને આત્માને અનેક ગુણુના ભાજનભૂત કરતા નથી !! આ તે તમારી કેટલી બધી “ભૂલ કહેવાય ! આ તમારે પ્રમાદ અને આ તમારી આત્મવંચકતા કેટલી બધી આકરી અને નુકસાન કરનારી કહેવાય! આ પ્રમાણે જ્યાં“સુધી તમે ચલાવ્યા કરે ત્યાં સુધી ભદ્રો! આ મનુષ્યભવ તમને પ્રાપ્ત ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy