SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ છે અને તે મેળવવા આપણે અહીં આવ્યા છીએ, છતાં એ બાબતમાં પૂરતે આદર ન કરો એ તે આત્મવૈરીપણું કહેવાય, આત્મઘાત કરવા તુલ્ય ગણાય. વળી તું જો કે બાગબગિચાને શેખ તે ઘણું વખત સુધી કર્યો તે પણ તેથી તેને સંતોષ થયે નથી (તું ધરાયે નથી), તેથી તારે પિતાને સ્વાર્થ ખરેખર સધાય તેવાં જ કામ કરવાં એ વધારે ડહાપણું ભરેલું ગણાય. કારણ કે સ્વાર્થને નાશ કરે એ ખરી મખઇ છે, વળી તું વિચાર કર કે તું અહીં રીપે રનઉપાર્જન કરવાના હેતુથી જ આવ્યું છે અને જે કામ માટે તું અહીં આવ્યું છે તે ન કરતાં બીજા કામમાં પડી ગયું છે તેથી તને તારા આત્માની લાજ પણ આવતી નથી? તને એમ થતું નથી કે પિતાનું મૂળ મુદ્દાનું કામ છોડીને તું બીજા નકામા કામમાં પડી ગયું છે? માટે હવે ભાઈ! મારા વચનથી તું હવે આ મોજશોખની બાબત છોડી દે અને મારી સહાયથી માત્ર રતઉપાર્જન કરવાના કામમાં એક મને લાગી જા અને આખો વખત રો એકઠાં કરતે જા...” વિગેરે ચારૂનાં વચન સાંભળીને યોગ્ય પિતાના મનમાં ઘણું લજવાય, એને પોતાના વર્તન માટે ઘણે ખેદ થયે અને ચારૂનાં વચને તેણે સ્વીકાર્યા, તે જ વખતથી યોગ્ય તથા પ્રકારનાં વિધાન–અનુષ્ઠાન કરવા માંડયાં અને સાચાં મૂલ્યવાન રતવડે વહાણું ભરવાથી પિતાને ખરે સ્વાર્થ સાધનાર તે થયે-તે પ્રમાણે ભાઈ! ઘનવાહન ! દેશવિરતિધારી શ્રાવકે જેમણે ચેડે થોડે ત્યાગ કર્યો હોય છે, પણ જેઓ ધનઇદ્રિ યમાં રક્તપણું હોય છે તેવામાં જ્યારે શુદ્ધ ગુરૂ પાસે ઉપદેશ. સાચી વાર્તા કહી દે છે ત્યારે તેમને ઉપદેશ આપતાં ગુરૂમહારાજા કહે છે કે “ભદ્રો! તમે મનુષ્યભવ “ પ્રાપ્ત કર્યો છે, જિનમહારાજના વચનામૃતને રસ તમે ચાખ્યો છે, “આ સંસારની અસારતા અને નિરર્થકતા તમારા જાણવામાં આવી છે, શરીર ઊંડા મળથી ભરેલું છે એમ તમારા સમજવામાં આવ્યું છે, જુવાની સંધ્યાકાળે વાદળાનાં થતાં સુંદર રંગેની પેઠે થોડા વખતમાં ઉડી જનાર છે એમ તમારા લક્ષ્યમાં આવ્યું છે, આખું જીવન “ગરમીથી તપી ગયેલા પક્ષીના ગળા જેવું ચંચળ છે તે તમે દરરોજ “જુઓ છો, પિતાના સગાંસંબંધીઓ અને સેહીઓ પર જે પ્રકાશ અને વિલાસ થોડા વખત દેખાય છે તેને તમે જાતે જ પાછો નાશ થત જુઓ છો, ત્યારે તમને ધન ઉપર અને ઇંદ્રિયના વિષય ઉપર મમત્વ બાંધો કે તેના સેવનની ટેવ પાડવી કેમ પાલવે? એ “ખરેખરૂં તમારી જાતને (આત્મા) છેતરવાપણું ઉઘાડું દેખાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy