SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા.. [ પ્રસ્તાવ ૮ પ્રસ્તાવ આઠમો. કથાસાર. ( સર્વ સંમિલન.) વિભાગ ૧ લો. સંસારીજીવ ચરિત્ર (પ્રક, ૧-૧૧) પ્રકરણ ૧ લું, ગુણધારણ કુમાર, સપ્રમોદ નગરમાં મધુવારણ રાજને ઘેર સુમાલિની રાણીને પેટે સંસારીજીવ જન્મ લે છે. તેનું ગુણધારણ નામ પાડવામાં આવે છે. જન્મ અવસરે માટે મહોત્સવ થયો. રાજાના ભાયાત વિશાલાક્ષને કલંધર નામને સગુણી પુત્ર હતો તેને સુધારણ સાથે મૈત્રી થઈ. યૌવનવય થતાં અને મિત્રો આહાદમંદિર બગિચામાં એકવાર ફરવા ગયા. ત્યાં એક સ્ત્રી સાથે એક અતિ સુંદર સ્ત્રીને ગુણધારણે જોઈ અને જોતાં જ એ વીંધાઈ ગયે, પણ કલંધરની હાજરીથી શરમાયો. ઘરે તો ગયો પણ આખી રાત્રી એ પ્રમદાની યાદિ કરતાં ગાળી. પ્રભાતે બન્ને મિત્રે ફરી બગિચામાં આવ્યા અને મિત્રને સાચી વાત કરી. બન્નેએ શોધ કરવા માંડી. આખરે બે સ્ત્રીઓ મળી. તેમાંની એક ગઈ કાલવાળી પ્રમદા સાથેની હતી અને બીજી અજાણી બાઈ હતી. નવીન સ્ત્રીએ બન્ને મિત્રોને બેસાડ્યા અને વાત કરવા માંડી. પૃષ્ઠ. ૧૮૫૪-૧૮૬૦ પ્રકરણ ૨ . મદનમંજરી, નવીન પ્રૌઢ સ્ત્રીએ વાર્તા માંડી-વૈતાઢ પર્વતમાં ગંધસમૃદ્ધ નગરે વિદ્યાધરને ચક્રવતી કનકદર રાજા છે તેની પતે કામલતા રાણી છે. બહુ ચિંતા પછી એ છોકરા વગરના રાજા રાણીને દીકરી થઈ. એનું નામ મદનમંજરી, એ યૌવન પામી પણ એને પતિ ગમે નહિ. પિતાએ વિદ્યાધરોને સ્વયંવર રચે. ત્યાં અનેક વિદ્યાધરે આવ્યો. માતાએ પુત્રીને સર્વને પરિચય કરાવ્યું પણ મદનમંજરીને કોઈ ગમે નહિ. એ તે વધારે દીલગીર થઈ. સ્વયંવર ભાંગી પડશે અને વિદ્યારે કેવી થઈ ચાલ્યા ગયા. મદનાની સખી લવલિકાએ એને અંતરભાવ જાણવાની જણાવવાની કબૂલાત આપી. કનકદર રાજાને બહુ ચિંતા અને ખેદ થયા. રાત્રે ચાર પુરૂ રાજાના સ્વમમાં આવ્યા અને રાજાને આશ્વાસન આપતાં કહ્યું કે એમણે મદના માટે વર શેાધી રાખે છે અને તે તેને મળશે અને તેટલા સારૂં જ તેને વિદ્યાધરોપર તેઓએ જ Àષી બનાવી છે, રાજાને નિરાંત થઈ. હવે દાસી લવલિકા મદનમંજરી પાસે ગઈ. વરની શોધ માટે પૃથ્વીપર પર્યટણ કરવાનો નિર્ણય થયે. રાજા રાણીએ તેમાં સંમતિ આપી. કેટલેક દિવસે લવલિકા એકલી પાછી આવી. દીકરીના સમાચાર કહી આહાદમંદિરમાં બે રાજકુંવરનો મેળાપ અને ત્યાર પછી થયેલી મદનાની વિષાદગ્રસ્ત સ્થિતિ માબાપને એણે કહી અને બોલી કે એમાંના એક પર કંવરી રાજી હોય એમ તેને જણાયું. મદને ત્યાંથી ચાલવા અશક્ત હતી તેથી તેને બગિચામાં મૂકી પોતે સમાચાર કહેવા આવી હતી. આ વાત થતાં કનકોદર રાજા કાંઇ તૈયારી કરવા ગયા અને પોતે (માતા) દીકરી પાસે દાસી સાથે આવ્યા. એણે આવીને વિજાગ્રત સ્થિતિમાં પુત્રીને જોઈ અને આખી રાત્રી મુશ્કેલીઓ પસાર કરી. સવારે દાસીએ બન્ને કુમારને શોધી કાઢયા, આટલી વાત કરી માતા કામલતાએ ગુણધારણને પોતાની કન્યા સ્વીકારવા કલંધર મારફતે માગણી કરી. પૃષ્ઠ. ૧૮૬૧૧૮૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy