SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૭]. તૃતીય વિભાગ–કથાસાર. ૨૭ એણે ગમે તે સ્ત્રીને પકડી ભેગવવા માંડી, નીચ કે ઉચ્ચ કાંઇ જોયા નહિ અને હલકા વર્ણની સ્ત્રીને પણ અંતઃપુરમાં દાખલ કરી. આખરે લોકેએ એને પદભ્રષ્ટ કર્યો. એના નાના ભાઈ નીરવાહનને ગાદીએ બેસાડ્યો અને એને કેદમાં પૂર્યો. કોઈ એની મદદે આવ્યું નહિ અને આખરે બંદીખાનામાં મહા વેદના ભેગવી એ મરણ પામ્યો અને પાપિચ્છનિવાસના સાતમે પાડાએ ગયો. પૃષ્ઠ. ૧૮૦૧૧૮૧૫ - પ્રકરણ ૧૬ મું. રખડપાટે. ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવી ઘનવાહન માછલી થયે, વાઘ થયે, બિલાડો થયો અને અનેક ઠેકાણે રખડશે. પછી એ સાકેતપુર નગરે નંદ વાણીઆને ત્યાં અમૃતોદર થયો. સુદર્શન ગુરૂના યોગથી સદારામને મળ્યો અને દ્રવ્ય શ્રાવકભાવ એણે ધારણ કર્યો. ત્યાંથી એ ભુવનપતિમાં દેવ થયો. ત્યાંથી માનવાવાસમાં બંધુદત્ત વાણીઆને ઘરે બધુ નામે થયે. સુંદર ગુરૂના ગે દ્રવ્ય સાધુ થયો. પછી વ્યંતરાદિમાં ખૂબ રખડશે. સદગમનો સંગ હોય ત્યારે દ્રવ્ય ક્રિયા કરે, દૂર થાય ત્યારે મેહરાજના પ્રપંચમાં પડી જાય. આખરે સદાગમના સહવાસથી એની ચિત્તવૃત્તિ અટવી સાફ થઈ એટલે સમ્યગદર્શન સેનાપતિ આવ્યો અને અવસરે વિદ્યા કન્યાને મોકલવા સંકેત મંત્રી અને રાજા સાથે કરતો આવ્યો. | પૃષ્ઠ. ૧૮૧૬-૧૮૨૫ પ્રકરણ ૧૭ મું. પ્રગતિને માગે. માનવાવાસમાં જનમંદિર નગરે આને નંદને ત્યાં ધનવાહન વિરેચન પુત્ર તરીકે થે. ધર્મષ સૂરિનો એને યોગ થયો. એની દેશના સાંભળી. એમાં મુખ્ય વાત કુશળ કર્મો કરવાની જાણી. એને ત્યાં સદાગમન યોગ થયે, ભવપ્રપંચની સહજ ઓળખાણ થઈ અને અંતર મિત્ર શત્રુએનું સહજ ઓળખાણ થયું. તે વખતે ત્યાં સમ્યગ્દર્શન ઉપર જણાવ્યું તેમ આવી પહોંચ્યા. પછી સંસારીજીવને તત્ત્વશ્રદ્ધા થઈ પણ તે ઓધમાત્ર હતી, કારણ કે એની યોગ્યતા તે વખતે એટલી જ હતી. ત્યાં ગૃહિધર્મ સાથે મિત્રતા થઈ અને એ દોસ્તીને પરિણામે સંસારીજીવ સૌધર્મ દેવલોકે ગયે દેવતા જન્મ લે ત્યારે કેવું વાતાવરણ હોય છે તેનું અહીં અદૂભુત વર્ણન છે. દેવતાના વિલાસ ભેગવી સંસારીજીવ આભીર થયો. એનું નામ કલંદ હતું. ત્યાંથી એ જ્યોતિષ્કમાં દેવ થયા. પછી વળી દેડકો થશે. ત્યાંથી કાંપિલ્યપુરે વાસવ રાજપુત્ર છે. શાંતિસૂરિના પરિચયથી ધર્મ પામ્યો. બીજે દેવલોકે ગયે. કાંચનપુરમાં ફરી સદાગમને મળવાનું થયું. સમ્યગદર્શન સાથે ગૃહિધર્મ આવે ત્યારે એને ઊંચા ચઢવાનું થતું અને તે વખતે પુણ્યોદય બાજુમાં રહેતો અને તે દૂર થાય ત્યારે જ્ઞાનાવરણુંદિનું જોર થતું. એ પછી એપારકપુરે વિભૂષણ નામે વણિકપુત્ર થયો. ત્યાં એને ફરીવાર સમ્યગદર્શન સદાગમ મળ્યા અને અમે સાધુનો વેશ લીધો. પણ એ મેટા સ્થાને આવતાં એણે અન્યની નિંદા કરવા માંડી અને છેવટે તીર્થંકરની પણ નિંદા કરી. અને તેથી ભારે પાત થયો અને એ રખડો. અહીં પ્રજ્ઞાવિશાળાએ ઉપયોગી ખુલાસા કર્યા છે. પછી ભદિલપુરે સ્ફટિકરાને ત્યાં એ વિશદ નામનો પુત્ર થશે. સુપ્રબુદ્ધ મુનિને ગે ગૃહિધર્મ મિત્ર માન્યો. સુખ ભોગવી ત્રીજે દેવલોકે ગયે. એ બારે દેવલોકે મનુષ્યાદિ ગતિમાં જઈ જઈ આવ્યો. ઉપસંહાર પૃષ્ઠ. ૧૮૨૬-૧૮૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy