SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ ગુરૂની કરૂણા. આ પ્રમાણે હકીકત હોવાથી કરૂણાયુક્ત ચિત્તવાળા ગુરૂમહારાજે પેલા મુનિ (ચોથા) જે તે વખતે સનેપાતની અસરથી અનેક પ્રકારની પીડા પામતા હતા તેને બોધ પમાડ્યો. જે મહાત્મા ગુરૂમહારાજે આ એક ચટ્ટ (મકવાસી) જેવા પ્રાણીને પોતાના વચનઅમૃતરૂ૫ ઔષધવડે સાધુ બનાવી સ્વસ્થ કર્યો, સનેપાતની અસરથી મુક્ત કર્યો, તે ખરેખર મોટા વૈદ્ય ગણાય. અવલોકના અને સદજ્ઞાન, “ ત્યાર પછી એમ કહેવામાં આવ્યું હતું કે “મારામાં તે વખતે બીજા ચટ્ટોની સોબતથી ઉન્માદ (ગાંડપણ) હતો, તેને પણ ઘણું યત્રપૂર્વક એ મહાત્માએ મટાડ્યો'-એ હકીકત આવી રીતે સમજવી. એ ગુરૂમહારાજે પ્રથમ તે મોટા ખાધરાપણને આકાર ધારણ કરનાર આભિગ્રાહિક મિથ્યાત્વને અજ્ઞાનીઓને બંધ કરવા દ્વારા નાશ કરીને પછી અન્ય તીર્થીઓના સંબંધમાં આવીને ઉન્માદ જેવા અભિનિવેશો થયા હતા તેને પણ ક્ષય કર્યો. પ્રથમ અજ્ઞાનદશામાં પ્રાણી હોય છે ત્યારે તે વડિલને માર્ગે ચાલ્યો જાય છે, પછી બધાં દર્શનને સારાં માને છે અને પછી પોતાની વાતને કુયુક્તિથી સાચી કરવાને પ્રયત્ન કરે છે. આ સનેપાત અને ઉન્માદ છે. ત્યાર પછી આ પ્રાણી સમગભાવમાં આવે છે ત્યારે તેને તે ચટ્ટોના મઠનો આકાર ધારણું કરનાર (આ) સંસારને વિસ્તાર ગુરૂમહારાજ સમજાવે છે અને આ રસાર કેવો છે તે તેને બતાવે છે; તે વખતે આ પ્રાણી જુએ છે કે જેમ મઠમાં ચો રહે છે તેમ સંસારમાં પ્રાણીઓ રહે છે અને કર્મભજનના દોષથી તેઓ સનેપાતથી પીડાય છે અને ઉન્માદની અસર તળે હેરાન થાય છે. તેઓની આવી સ્થિતિ જોઈને-તેઓને દુઃખના ભારથી ભરેલા મોટેથી રાડ પાડતા અને કેફમાં ચકચૂર થયેલા જોઈને અને તેઓને ગમે તેમ બકબકાટ કરતા જોઈને આ પ્રાણુને મહા ભય થાય છે. ત્યાર પછી એ મુનિએ પિતાના ગુરૂને કહ્યું “ચાર ગતિવાળા સંસારમાં સર્વ પ્રાણુઓ આપે મને બતાવ્યા તે સર્વે તો ઘણું દુઃખી દેખાય છે અને તેમને જોઈને મને ઘણે ઉદ્વેગ થાય છે. તેને મહાત્મા ગુરૂએ ઉત્તર આપ્યો “ભાઈ ! આ સર્વ પ્રાણુઓ દુઃખસમૂહમાં ડૂબી ૧ એ મિથ્યાત્વના સ્વરૂપ માટે જુઓ નેટ પૃ. ૧૯૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy