SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ વાદ વિગેરેને સ્વીકાર કરવામાં આવે છે અને બાકીના તને પણ ઉલટાવી સુલટાવી નાખવામાં આવે છે. આનું નામ અભિગ્રહ કરેલા મિથ્યાદર્શન રૂ૫ કર્મજનની અસરથી થયેલ ઉન્માદ કહેવાય છે; કારણ કે એ ઉન્માદથી ત્રાસ પામેલા (હણયલા) ચિત્તવાળા તેઓ સાચા શુદ્ધ માર્ગને દૂષણ આપવા વડે જાણે પ્રલાપ (બડબડાટ) કરતાં હોય તેવા દેખાય છે, આખા તપમાર્ગને ઉડાવવા વડે જાણે હસતાં હોય તેમ દેખાય છે, પોતાની મરજીમાં આવે તેવું વર્તન કરવાનો ઉપદેશ આપવા વડે જાણે નાચ કરતાં હોય એમ દેખાય છે, આત્મા નથી પરલેક નથી પુણ્ય નથી પાપ નથી એમ બેલતાં જાણે કૂદતાં હોય એમ દેખાય છે, સવૈજ્ઞમતના જાણકાર પુરૂષોથી જ્યારે તેઓ હાર પામી જાય છે ત્યારે જાણે રડતાં હોય એમ દેખાય છે અને પિતાના તર્કના ડાંડીઆવડે નગારું વગાડતાં જાણે ગાયન કરતાં દેખાય છે. આ પ્રમાણે હકીકત હેવાથી– इति नर्तनवलगनगानपरा हसनप्रविलापसरोदनकाः। ननु भद्र ! भवन्ति जिनेन्द्रमताद्विपरीतदृशो ग्रहरूपधराः॥ “જેનેંદ્ર મતથી વિપરીત દષ્ટિ રાખનાર અને ગ્રહનું રૂપ ધારણ કરનારા લેકે આવી રીતે નાચ, કૂદન અને ગાયન કરવામાં તત્પર થાય છે અને હસન બબડાટ અને રૂદન કરનારા થાય છે. એ સર્વ પ્રાણુઓ કર્મરૂપ વિષની અસરથી ચેપાયેલા દેખાય છે અને તેઓની ધર્મની સંજ્ઞા તદ્દન નાશ પામી ગયેલી હોય એમ જણાય છે-એમાં જરા પણ સંશય નથી. વિદ્યમુનિ ગુરૂ, છે એ મુનિએ કહ્યું હતું કે ત્યાર પછી આ સામે બેઠેલા મહાત્મા ગુરૂએ વૈિદ્યકશાસ્ત્રમાં ઘણે પ્રયત્ન કર્યો અને અત્યંત કૃપાવાળા થઈને ભયંકર સન્નિપાતની અસરથી મને મૂકાવ્યું અને તેમ કરવા માટે ૧ દંડેલક-આને અર્થ “કામઠી સારંગી વિગેરે વગાડવાની ધનઃ પણ થાય છે. ૨ ઉન્માદની નિશાની છ બતાવીઃ પ્રલાપ (બડાબડાટ), હાસ્ય, નાચ, વલ્સન, રૂદન અને ગાયન. પ્રસંગ વગર–કારણ વગર-હેતુ વગર એ સર્વ ક્રિયા થાય ત્યારે તેનું નામ ઉન્માદ કહેવાય છે. આ જ પ્રકારના ઉન્માદ ઉપર બતાવ્યા. ૩ શરૂઆતમાં આ વાર્તા ચેથા મુનિએ પોતાનું વૈરાગ્યકારણ કહેતાં કહી હતી, તેને ઉપનય ઉતારતાં અલંક સ્વરૂપદર્શન ઘનવાહન પાસે કરે છે. સં. સારી જીવ પોતાને અનુભવ સદાગમ સમક્ષ કહી બતાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy