SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભેજને. ૧૬હ્ય રૂંધાઈ ગયેલા ગળાવાળા દેખાય છે; નારકીમાં અનેક પ્રકારના દુઃખથી ત્રાસ પામેલા હોઈને આકુળવ્યાકુળ સ્થિતિમાં તેમની જીભે જાણે કાંટા થઈ ગયા હોય તેમ દેખાય છે; નારકીમાં સખ્ત તાપવડે ત્રાસ પામે છે; તે નારકીઓમાં જ ઠંડીની સપ્ત પીડાઓથી હેરાન થાય છે; જનાવરના અવતાર પામીને કાંઇ વિચાર જ કરી શકતા નથી; મનુષ્યને ભાવ (જન્મ) પામીને વારંવાર વધારે મેહ પામે છે; દેવ અવસ્થામાં મહામહની નિદ્રામાં પડી જઈ વખત પૂરે કરી નાખે છે અને સર્વ અવસ્થામાં ધર્મની સંજ્ઞા વગરના થઈ જાય છે. આવી રીતે જીવના સંબંધમાં મિથ્યા અજ્ઞાનના અંધકાર રૂપ અત્યંત ભયંકર સન્નિપાત થઈ આવ્યું છે અને તેને ઉત્પન્ન કરનાર એનું કમૅભેજન કારણ રૂપ છે એમ તારે સમજવું. ઉન્માદની અસર. વળી નારકી તિર્યંચ મનુષ્ય અને દેવગતિમાં વર્તનારા ઘણુએ પ્રાણીઓને અકલ્યાણું ભેજનને પરિણુમે મનમાં સર્વ શાસનથી વિપરીત અભિનિવેશ થઈ જાય છે તેની અસર તળે તેઓ રાગદ્વેષમેહથી દષિત થયેલને પરમાત્મા ગણે છે આમાને તેઓ “એકાન્ત નિત્ય માને છે, અથવા તેને ક્ષણિક માને છે, અથવા તેને સર્વગત માને છે, અથવા આત્માને પંચભૂતાત્મકમાં માને છે, અથવા તેને શ્યામા નામના ધાન્ય અથવા ચોખા જેવા માને છે; વળી એની અસરતળે ઋષ્ટિ ૧ આગ્રહ સાથે અજ્ઞાન જન્ય નિર્ણય (એક પ્રકારનું મિથ્યાત્વ). જુઓ નટ. પૃ. ૧૬૯૧, ૨ આત્માને એકાંત નિત્ય અદ્વૈતવાદીઓ માને છે. ૩ આત્માને ક્ષણિક બૌધ માને છે. ૪ આત્માને-એકજ આત્માને સર્વગત માનવાને સિદ્ધાન્ત વિશિષ્ટ અદ્વૈત મતને છે. ૫ લોકાયતિક-ચાવક મતવાળા આત્માને પંચભૂતસમૂહ માને છે એ પંચભૂત ક્ટા પડે એટલે મરણ થાય છે અને ત્યાં સર્વ વાતને છેડે આવી જાય છે, - ૬ શ્યામાક–અડદનું નામ છે. અમુક કદને આત્મા ત મતવાદીઓ માને છે. અથવા “સામા’ નામનું અનાજ થાય છે. ઉપનિષમાં આત્મા તંદુલ જેવડો માન્ય છે. બહદારણ્યક ૫-૬ અને છાંદોગ્ય ઉપનિષદુ ૧૪-૩, ૭ સૃષ્ટિવાદ-આ સૃષ્ટિ ઇશ્વરે બનાવી છે, તેમની ઇચ્છા પ્રમાણે ચાલે છે અને તેમની ઇચછાથી તેને લય થાય છે. ઈશ્વરેચ્છા અને જગતકતૃત્વને આખા સવાલ આ સુષ્ટિવાદમાં સમાઈ જાય છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy