SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ હિત કરનાર હોય એમ તે માને છે. વાસ્તવિક રીતે એ કુટુંબીઓ ( બંધહેતુઓ) આ પ્રાણીના ખરેખરા દુશ્મન છે અને દુશ્મનનું જ કામ કરે છે છતાં આ મંદબુદ્ધિવાળા પ્રાણીઓ ( વિદ્યાથીઓ-મઠવાસીઓ) તેને દુશમન તરીકે ઓળખતા નથી, ભેજનથી સન્નિપાત, જેવી રીતે કબીઓએ મઠવાસીને ભેજન આપ્યું હતું તેવી રીતે આ પ્રાણીની લોલુપતા વધારે તેવું ચિત્રવિચિત્ર પ્રકારનું સુંદર ભેજન આ પ્રાણીને માટે મહારાજાની આજ્ઞાથી તૈયાર થાય છે. એ ભજનને મહામહ પોતે મંત્રી આપે છે અને એની ખાસીઅત પ્રથમ તો જ્ઞાનને આવરણ કરવાની હોય છે. એ ભજનને પિલું અંધહેત કુટુંબ તૈયાર કરે છે. મેહથી અત્યંત આસક્ત થયેલા જીવો મઠના ચક્રો સમાન હોઈ એ ભોજનને મેળવીને તેનાથી પોતાના આત્માને ઠાંસી ઠાંસીને ભરે છે અને એનું પરિણામ શું થશે તેને તે વખતે જરા પણ વિચાર કરતા નથી, જાણતા પણ નથી. આવા ભેજનનું જે પરિણામ થાય, તેને લઈને જે અજ્ઞાન થાય તેનું નામ “અનભિગ્રહ મિથ્યાત્વ' નામનો સનેપાત કહેવામાં આવેલ છે. સન્નિપાતની અસર. “આ પ્રાણીઓ મહા અંધકારરૂપ મિથ્યા જ્ઞાનમય ભાવ સન્નિપાતની અસર તળે હેઈને એકેદ્રિય અવસ્થામાં લાકડાની જેમ તદ્દન ચેષ્ટા વગરના પડી રહે છે; બેઇદ્રિય અવસ્થામાં તેમને અવાજ વ્યક્ત થઈ શકતા ન હોવાથી ઘોઘરે અવાજ કરતા તેઓ જણાય છે; તેઇંદ્રિય અવસ્થામાં અહીં તહીં જમીનપર લોધ્યા કરે છે; ચરિંદ્રિય અવસ્થામાં ઝગારા મારે છે; અણી પંચેદ્રિયને આકાર ધારણ કરીને પીડા પામવાની ચેષ્ટા કરે છે; ગર્ભજ પંચંદ્રિયને આકાર ધારણ કરીને જેમ તેમ ઝગારા મારે છે; અપર્યાપ્ત અવસ્થામાં હોય ત્યારે ૧ જુએ નેટ પૃ ૧૬૯૧ ને શરૂઆતને વિભાગ. સર્વને સારૂ માનવામાં સનેપાતના સર્વ ચાળા પ્રત્યક્ષ દેખાય છે. અસરો નીચે વર્ણવી છે. ૨ અપર્યાસઃ પર્યાપ્ત છ છેઃ આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. ઉત્પત્તિ સમયે જીવ આવીને પ્રથમ આહાર લે છે, પછી શરીર પર્યાપ્ત બંધાય છે અને ત્યાર પછી ઇન્દ્રિય વિગેરે પર્યાદ્ધિઓ મેળવે છે. એમાં એકેદ્રિયને પ્રથમની ચાર પર્યાપ્તિ હોય છે, બે ત્રણ અને ચાર ઇંદ્રિયને પ્રથમની પાંચ પર્યાપ્ત હોય છે અને પંચેંદ્રિયને છએ પર્યાપ્તિ હોય છે. પિતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે ત્યાં સુધી પ્રાણી “અપર્યાયો કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy