SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૭ બીજા મૃષાવાદ વિગેરે દે સેવે એ અવિરતિ સમજવી. એમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ સત્ય સ્વરૂપ જાણે પણ વિરમે નહિ અને મિથ્યાવાસમાં રહેલા તો જાણે પણ નહિ અને વિરમે પણ નહિ. આવી રીતે મન ઇંદ્રિય અને કાય સંબંધી બાર પ્રકારની અવિરતિ છે. ૩ કષાય. એના બંધહેતુને અંગે ૨૫ ભેદ છે:કોધ, માન, માયા અને લોભ, એ દરેકના ચાર ભેદ: અનંતાન બંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. અનંતાનુબંધી” કોધાદિ ચાર જાવજીવ સુધી રહે, અત્યંત તેજવાળા હોય, પ્રાણુને મિથ્યાત્વમાં જ રાખે, સમ્યકત્વને ઘાત કરે, તેને ન આવવા દે, નરકે લઈ જાય. અપ્રત્યાખ્યાની ક્રોધાદિ ચાર એક વર્ષ સુધી રહે, કાંઈક ઓછા તેજવાળા હોય, પ્રાણીને અણુમાત્ર પણ વિરતિ ન આવવા દે, તિર્યંચ બનાવે. પ્રત્યાખ્યાની” ક્રોધાદિ ચાર ચાર માસ સુધી રહે, ઓછા તેજ વાળા હોય, પ્રાણીને સર્વવિરતિ ન આવવા દે, મનુષ્યગતિએ ખેંચી જાય. * સંજ્વલન કોધાદિ ચાર પંદર દિવસ સુધી રહે, અ૫ તેજવાળા હોય, પ્રાણીને યથાખ્યાત (ઉત્કૃષ્ટ ) ચારિત્ર આવવા ન દે, દેવ ગતિનું કારણ બને. એ ચાર વિભાગના ક્રોધ માન માયા લાભની સરખામણી વિસ્તારથી પ્રથમ કર્મગ્રંથ (ગાથા ૧૯-૨૦)માં કરી છે તે વાંચવા ગ્ય છે. આવી રીતે ચાર ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લોભથી ૧૬ ભેદ કષાયના થયા. ત્યાર પછી કષાયના કારણભૂત નવન કષાય આવે છે. હાસ્ય-સકારણ કે અકારણ હસવું આવે, ભાંડ વિગેરેની ચેષ્ટા જોઈ હસી જવાય તે. રતિ-સકારણ કે વિનાકારણ ઇંદ્રિય અનુકૂળ વિષયો પામી તેમાં રાચે તે. અરતિ-ઈદ્રિય પ્રતિકૂળ વિષય મળતાં ચિત્તને ઉદ્વેગ થાય તે. શોક-ઈષ્ટવિગપ્રસંગે અથવા વિનાકારણ દિલગીરી થાય તે. ભય-અન્ય દેવ મનુષ્ય કે તિર્યંચને જોઇ કારણે કે વિનાકારણુ ભય થાય તે. દુર્ગછા-દુર્ગધવાળા પદાર્થને જોઈને સૂગ ઉપજે તે. પુરૂષદ-સ્ત્રીને ભોગવવાની ઇચ્છા થાય તે. સ્ત્રીવેદ-પુરૂષને ભોગવવાની ઇચ્છા થાય તે. નપુંસકવેદ-સ્ત્રીપુરુષ બન્નેને ભેગવવાની ઇચ્છા થાય તે. આવી રીતે કષાયના સોળ અને નેકષાયના નવ મળી કુલ ૨૫ ભેદ થયા, [ચાલુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy