SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભજન. ૧૬૮૧ (૩) આભિનિવેશિક-પોતાની વાત સ્થાપવા સૂત્રાર્થ મરડે, કુયુ ક્તિઓ લગાવે, પોતાને અનુકૂળ આવે એવા પાઠો આગળ કરે, બીજાની અગત્ય ઓછી કરે અને પોતાની માન્યતામાં ભૂલ જાણવામાં આવ્યા છતાં ગમે તે યુક્તિ યુક્તિએ પોતાને કો ખરો કરવાની ઇચ્છા રાખે એ “અભિનિવેશ.” એના સંબંધમાં ધર્મપરીક્ષા ગ્રંથમાં કહ્યું છે કે “માત્ર ઉપયોગ ન રહેવાને કારણે અથવા માર્ગદર્શકની ગળતીને લઈને કોઈની શ્રદ્ધા વિપરીત થઈ જાય છે તે “આભિનિવેશિક મિથ્યાત્વી” નથી, કારણ કે યથાર્થ વક્તા મળતાં તેની શ્રદ્ધા તાત્વિક બની જાય છે, અર્થાત યથાર્થ વક્તા મળવા છતાં પણ શ્રદ્ધા વિ૫રીત બની રહે તે દુરભિનિવેશ છે. જો કે સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિગેરે આચાયોએ પોતાના પક્ષનું સમર્થન કરવામાં ઘણું કહ્યું છે તો પણ તેમને “આભિનિવેશિક મિથ્યાત્વી” કહી ન શકાય, કારણ કે પ્રવચનપરંપરાને આધાર લઈને શાસ્ત્રના તાત્પર્યને પોતાના પક્ષને અનુકુળ સમજીને પોતાની હકીકતનું તેઓએ સમર્થન કર્યું છે, પક્ષપાતથી નહિ; એથી ઉલટી રીતે જમાલી ગેઝમાહિલ વિગેરેએ શાસ્ત્રના તાત્પર્યને પોતાના અભિપ્રાયથી પ્રતિકૂળ જાણવા છતાં પણ પોતાના પક્ષનું સ્થાપન કર્યું છે માટે એને અભિનિવેશિક કહેવાય છે.” સાંસચિક-ગુરૂનો વેગ છતાં પોતાને અજ્ઞાની જાણશે એવા ભયથી સંશય પૂછે નહિ, વિના કારણ અવિશ્વાસ રાખી મનમાં શંકા રાખ્યા કરે એ સાંશયિક મિથ્યાત્વ. શંકા કરવાની કે પૂછવાની શાસ્ત્રકાર મના કરતા નથી, પણ એક શંકા ઉદક મિથ્યાત્વના ઘરની હોય છે અને બીજી જિજ્ઞાસાથી થયેલી હોય છે. જાણવા માટે ગમે તેવા સવાલે કરવાની ખાસ છૂટ છે. (૫) અનાગ-કોઈ દર્શનને સારું ખરાબ ન જાણે, મૂછ પામેલાની માફક દર્શન સંબંધી વિચાર જ ન કરે, કરવા જેટલી શક્તિ જ ન હોય, સંસારમાં પડયો રહે અને રખડ્યા કરે. એકેઢિયાદિક જી વોને ખાસ કરીને આ મિથ્યાત્વ હોય છે. ૨ અવિરતિના બાર ભેદ છે -- મનથી કર્મબંધને હેત જાણવા છતાં હિંસા વિગેરે પાપને સંકલ્પ કરવો તે મનની અવિરતિ છે. પાંચ ઇંદ્રિયના વિષયોને સંસારના જ જાણવા છતાં પોતપોતાના વિષયેથી ઇન્દ્રિયોને રિવર્તાવવાના પરિણામ ન કરે તે પાંચ ઇન્દ્રિયની અવિરતિ છે. છકાય-એટલે પૃથ્વીકાય, અપકાય, તેજરકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય (બે ત્રણ ચાર પાંચ ઇન્દ્રિયવાળા છો) સંબંધી હિંસા સંસારહેતુ છે એમ જાણતાં છતાં હિંસા કરે; તેવી જ રીતે મન, ઇદ્રિય અને છકાય સંબંધી [ચાલુ ૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy