SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૬૯૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ સંબંધીઓ નથી અને પરમાર્થથી ોઇએ તે તેમનું કોઇ પણ નથી અને એ સર્વ જીવે. પરસ્પર સંબંધ વગરના છે. એવી રીતે સંસારમઢમાં રહેનારા જીવરૂપ ચટ્ટોની પાસે અન્યહેતુ નામનું ભક્તકુટુંબ ૧ અંધહેતુઃ કર્મબંધના હેતુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ પ્રાણી કર્મબંધ કરે છે. શાસ્ત્રકાર અનેક જગ્યાએ અને ખાસ કરીને કર્મગ્રંથમાં (જીએ કર્મગ્રંથ ચેાથે ગાથા ૫૪-૫૫) ચાર બંધહેતુ કહે છે: ૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ, ૩ કષાય અને ૪ યાગ. અહીં ગ્રંથકર્તા પ્રમાદને પાંચમે હેતુ કહે છે. ‘પ્રમાદ’ શબ્દ ઘણા અર્થમાં વપરાય છે. સાધારણ આળસ કે ધર્મધ્યાન તરફ બેદરકારીને પણ ‘પ્રમાદ” કહેવામાં આવે છે અને મદ્ય વિષય કષાય વિકથા અને નિદ્રાને પણ પ્રમાદ કહેવામાં આવે છે. આ સર્વને સમાવેશ ચાર બંધહેતુમાં થઇ જાય છે તેથી પ્રમાદની ખાસ જરૂર લાગતી નથી, છતાં સમયમેં ગાયમ મકરે પ્રમાદ એ અર્થમાં પ્રમાદ વાપર્યો હેાય તે તેમાં કાંઇ વાંધા જેવું લાગતું નથી. તત્ત્વાર્થના આઠમા અધિ કારમાં પ્રમાદને બંધહેતુ ઉક્ત ચારની સાથે કહેલ છે. આ ચાર હેતુ અંતરંગ સમજવા. તેની વ્યાખ્યા નિશ્ચય દૃષ્ટિથી થયેલી છે. હવે આપણે ચાર બંધહેતુ વિચારી જઇએ. કર્મબંધનના હેતુએ બરાબર સમજવામાં આવ્યા હેાય તે વિષ્યમાં એનાથી ચેતતા રહેવાય તેથી એને ઓળખવાની જરૂર છે. એ ચાર હેતુએના ઉત્તર ભેદ ૫૭ છે તે આપણે જોઇ જઇએ એટલે બંધહેતુનો ખ્યાલ સ્પષ્ટ થશે. ૧ મિથ્યાત્વ. પાંચ પ્રકારના છે. (ચેાથેા કર્મગ્રંથ. ગાથા ૫૧ ) (૧) આભિહિક-અભ્યાસ સમજણ વગર માત્ર માટાને માર્ગે ચાલ્યેા જાય, સમજણ વગર પેાતાનું સારૂં માને અને પારકી નિંદા કરે, ધર્મના કદાગ્રહ રાખે અને પરીક્ષા કરે નહિ એ આભિગ્રહિક મિથ્યાવ. એના સંબંધમાં ધર્મસંગ્રહ પૃ. ૪૦ ની વાત લક્ષ્યમાં રાખવા જેવી છે. ત્યાં લખે છે કે સમિકતી હાય તે દિ પણ પરીક્ષા કર્યાં વગર કાઇ સિદ્ધાન્તનેા પક્ષપાત કરે નહિ, આથી જો કાઇ વ્યક્તિ તત્ત્વપરીક્ષા પૂર્વક એક પક્ષ માનીને અન્ય પક્ષનું ખંડન કરે તેા તેને આ મિથ્યાત્વને દેષ ન લાગે. કુળાચાર માત્રથી પેાતાને જૈન માનીને તત્ત્વની પરીક્ષા ન કરે તે નામમાત્ર જૈન છે પરંતુ વસ્તુત: આભિગ્રહિક મિથ્યાત્વી' છે. માતુષ મુનિ જેવા પેાતાની અશક્તિથી પરીક્ષાની ખાખતમાં ગીતાર્થને આશ્રય લે તે આભિગ્રહિક મિથ્યાત્વી ' નથી, કારણ કે ગીતાર્થને આશ્રિત રહેવાથી મીથ્યા પક્ષપાતને સંભવ નથી રહેતા. (૨) અનાભિહિક-મધાં દર્શન સારાં છે એમ માને, એક બીજામાં વિશેષતા શી છે અને શેને લઇને છે તે જાણે નહિ, જાણવાની દરકાર કરે નહિ કે તસ્દી લે નહિ એ અનાભિગ્રહિક, એમાં ગુણદોષની પરીક્ષાની ગેરહાજરી છે. [ચાલુ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy