SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ લાગ્યા. પેલા કુટુંબીઓએ પણ પિતાનું ભજન મંત્રના વેગથી એવું બનાવ્યું કે તેના ઉપયોગથી કેટલાકને તુરત જ સનેપાત ચાલવા માંડયો અને વળી કેટલાક વિદ્યાર્થીઓને તે ભજન પચતી વખતે ઘણું આકરૂં હાઇને ઉમાદ ( ગાંડપણનાં ચિહ્નો) કરનારું થઈ પડ્યું. ત્યાર પછી એ ભેજનથી ગળું રંધાઈ ગયું, જીભ કાંટા કાંટાવાળી થઈ ગઈ, (ગળાની) શ્વાસનળીમાંથી ઘોઘરે અવાજ ચાલવા માંડ્યો, તેઓ વિહળ થઈ ગયા અને તેમની સંજ્ઞા તદ્દન નાશ પામી હોય તેવું જણાવા લાગ્યું. પછી તાવની પીડાથી તેઓનું આખું શરીર કઈ વાર બળું બળું થઈ જાય, કેઈ વાર તેઓને શરદી થઈ આવે અને કઈ વાર તેઓનું ચિત્ત ભ્રાત થઈ જવાને લીધે જમીનપર લેટ્યા કરે-આવા તેમના હાલહવાલ થઈ ગયા. એ બિચારા ચો સનેપાતના જોરમાં દરથી કઈ વાર નકામી પીડા પામે અને કેહવાર અત્યંત બુરી સ્થિતિમાં આવી ઝગારા મારે. એમાં જે ભજનના ભક્ષણથી ઉમાદને પ્રાપ્ત થયા તેઓ પાપી થઈને દેવની મુનિ મહારાજની અને સંઘની નિંદા કરવાનાં કામ કર્યા કરે છે, ઉલટી સુલટી વાતો બોલે છે, દુષ્ટ ચેષ્ટાઓ કરે છે. જે બાપડાઓનું ચિત્ત હણાઈ ગયું હોય છે તેમની કઈ ચેષ્ટાઓ સારી હોઈ શકે? બીજાઓ એ ભજનના દોષથી પશુની પેઠે અધર્મ થયા અથવા ઝેરની અસરતળે તદ્દન મૂઢ જેવા થઈ ગયા. મહાઘની દવાથી આરામ, મઠવાળાઓને જોઇને ભય, દીક્ષા અને ઉપદેશકર્તવ્યતા, અહીં સામે સ્વાધ્યાયથી પવિત્ર થયેલા મહાપુરૂષ દેખાય છે તેમનામાં અતિ વિશુદ્ધ વૈદ્યશાસ્ત્રનો માટે અતિશય છે. એક વખત એમ બન્યું કે હું મારા સોબતીઓ વચ્ચે સનેપાતની અસર તળે સબડતું હતું તેવામાં એ મહાપુરૂષે મને જોયો, એ મહાત્માને મારા ઉપર દયા આવી, તેમણે પોતાના ઔષધના પ્રયોગથી મારે સનેપાત મટાડો અને તેને પરિણામે મારી ચેતના કાંઈક વધારે સ્પષ્ટ થઈ. મારામાં તે વખતે બીજા ચટ્ટોની સોબતથી ઉન્માદ (ગાંડપણ) હતો તેને પણ ઘણું યતપૂર્વક એ મહાત્માએ મટાડ્યો. ત્યાર પછી એ મહાત્માએ જોયું તે તેમને જણાયું કે મારું મન કાંઈક સ્વસ્થ થયું હતું અને હું તેમની વાત સમજી શકે તેમ હતું એટલે તેમણે આખું ચમંડળ ઉન્માદપૂર્ણ અને સનેપાતમાં ગરકાવ હતું તે મને બતાવ્યું. એટલે મેં નજર કરી ૧ આ મુનિ તે ગુરૂમહારાજ સામે ધ્યાનસ્થ હતા તે સમજવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy