SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ આત્મામાં ખાલી થાય છે. આ પ્રાણીના સંબંધમાં પણ તેમ જ બને છે. જે આ ગ્રંથ જરા પણ સમજ્યા હશે! તે આ ભાવ સ્પષ્ટ થઇ જશે. એ પાણી અજ્ઞાન મલીન આત્મારૂપ પરનાળથી મિથ્યાભિમાન નામની કુંડીમાં આવે છે અને ત્યાં એકઠું થાય છે. કૂવાની ખરાખર ખાતુમાઁ કુંડી હાય છે. અજ્ઞાન મલીન આત્મામાંથી નીકળેલું અવિરતિ જળ પ્રથમ મિથ્યાભિમાન નામની કુંડીમાં જાય છે તેને ખરે। આશય સમજાઇ જાય છે. ત્યાંથી એક સંક્લિષ્ટ ચિત્તતા' નામની નળી ( નાળીઆ )માં થઇને ભાગલેાલુપતા નામની નીકમાં આવે છે અને પછી જન્મસંતાન નામનું માટું ખેતર છે તેના જૂદા જૂદા કયારા રૂપ જૂદા જૂઠ્ઠા જન્મમાં તે પથરાય છે. મિથ્યાભિમાનની પાષણા અજ્ઞાન અને અવિરતિ જળથી થાય છે અને મિથ્યાભિમાનથી પ્રેરાયલા પ્રાણીના ચિત્તમાં અત્યંત સંકિલષ્ટતા-તુચ્છ આશયેા હાય છે તેને લઇને એને સાંસારિક ભાગેામાં વધારે વધારે આસક્તિ થાય છે અને તેને લઇને સંસાર વધતા જાય છે. આ આખું રૂપક અતિ વિશાળ છે, ધણું ગહન છે, સમજવા જેવું છે અને વિચારતાં વિચારતાં નવીન સત્યા હૃદયમાં પ્રગટાવે તેવું છે. આવી રીતે અવિરતિજળથી સંસાર વધતા જાય છે અને એક જન્મમાંથી ખીન્ન જન્મમાં પ્રાણી આંટા માર્યાં કરે છે, સંસારની ચક્કીએ ચઢે છે અને હેરાન થાય છે. હવે આવી રીતે કષાયાથી ખેંચાયલું અને નેકષાચેાથી પાષાયલું અવિરતિજળ મિથ્યાભિમાન દ્વારા ચિત્તને સંકિલષ્ટ કરી ભેાગલેાલુપતાને લઇને સંસારસંતાનમાં પથરાય છે ત્યાં પછી તે કર્મરૂપ ખીન્ને વવાયલાં હાય છે તેને પાષે છે. એ ખીજને વાવનાર જીવનાં પેાતાનાં પરિણામેા આત્માના અધ્યવસાયા છે અને જેવાં પરિણામ હેાય તેવાં ખીજ વવાય છે અને પિરણામે સુખ દુઃખ રૂપ (પુણ્ય પાપના ભેાગવટા રૂપ) ધાન્યની નિષ્પત્તિ થાય છે. આવી રીતે પ્રાણીને જે સુખદુઃખા થાય છે તેને વાવનાર તે પેાતે જ છે, સિચનાર પેાતે જ છે અને ભાગવનાર પણ પોતે જ છે. એમાં કષાય નેાકષાય યાગ અવિરતિ અને મિથ્યાત્વ જે કર્મબંધનાં મૂળ કારણેા છે તે કેવી રીતે ભાગ ભજવે છે તે ખરાખર આ રૂપકથી સમજાશે. વળી એ આખા યંત્રને પ્રેરનાર સર્વે હળેાને માલિક મહામેાહ રાજા છે તે લક્ષ્યમાં રાખવું. તેની સાથે જળસીંચનના કામમાં પ્રેરણા કરવા માટે એ રાજાએ અસòાધની હંમેશને માટે નિમણુક કરી રાખી છે જે આ પ્રાણીને વસ્તુસ્વરૂપના સાચા આધથી સર્વદા દૂર રાખે છે. આવા ભવરેંટમાં પ્રાણી ઘણા લાંખા કાળથી પડેલા છે, ફર્યાં કરે છે, ખેતરાને પાણી પાય છે અને નકામેા ત્રાસ પામ્યા કરે છે. એમાં અંદરથી પ્રેરણા કરનાર અને હળના માલેક માહરાજાને એ જોતેા નથી અને પાણી તેમજ ઘડીએને બળદને તેમજ કામ કરનારાઓને ઉપર ઉપરથી જુએ છે પણ તેમને વસ્તુતઃ ઓળખતા નથી અને અવિરતિજળ પેાતાના કૂવામાંથી કાઢી સંસારક્ષેત્રને લીલુંછમ રાખે છે અને એક કયારામાંથી ખીન્નમાં અને ખીજામાંથી ત્રીજામાં જાય છે. તે સિચનથી પછી ધાન્યના ઢગલા ઉગે છે તેને ઇચ્છાએ કે અનિચ્છાએ ભાગવે છે, ખાય છે અને હેરાન થાય છે. આ વસ્તુસ્થિતિ છે અને જરા આંતર ચક્ષુથી વિચારવામાં આવે તે દેખી શકાય તેવી છે, સમજી તા તુરત શકાય તેવી છે અને સમજવા જેવી છે. મા. ગિ, કા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy