SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪]. અરઘઘટ્ટી યંત્ર (રેંટ). ૧૬૮૫ જોઈ ગયા. આ ચારે ખેડૂતો “ સાથી” નેકર અથવા જમીન ખેડનારા છે પણ એ જમીનને ખરો માલેક (Landlord) તે મહામહ છે, સર્વને ઉપરી એ છે અને ચારે ખેડૂતોને પ્રવર્તાવનાર પણ એ છે. એના હુકમ વગર કાંઈ કામ ચાલતું નથી. હવે એ ક્યા ઉપર પાણી કાઢવા સારૂ યંત્રની યોજના કરવામાં આવી છે તે પણ બરાબર વિચારી જઈએ. ચાર ખેડૂતો માટે સેળ બળદ જોઈએ. દરેક યંત્ર સાથે ચાર ચાર બળદ પાણી ખેંચવા સારૂ રાખવાનો બનાવ સંભવિત છે. જ્યાં કૂવા ઊંડા હોય છે ત્યાં બેને બદલે ચાર બળદ જોડવામાં આવે છે. આ બળદોની ખાસીઅત એ છે કે એને ચારાપાણીનો ખપ પડતો નથી, એને આરામ લેવો પડતો નથી અને એનાં બળ વેગ ધણાં આકરાં હોય છે. કષાય જ્યારે અવિરત જળ ખેંચે ત્યારે પ્રાણી આ દશામાં જ વર્તતો હોય છે. રંટને બે તુંબા જોઈએ. તુંબા રેંટના ચકના મધ્યભાગમાં આવે છે અને એને ધરી સાથે સંબંધ હોય છે. એ તુંબા તે દુષ્ટ યોગ અને પ્રમાદ. અવિરતિ જળ ખેંચવામાં મન વચન કાયાના દુષ્ટ ગો અને પાંચ પ્રમાદ (મદ્ય વિષય કષાય વિ કથા અને નિદ્રા ) ખરેખરો ભાગ ભજવે છે અને એને ધરી સાથે સંબંધ રહે છે. એ રેટને વિલાસ ઉલ્લાસ ચાળા વિગેરે આરાઓ હોય છે જેના ફરતો દોર વિંટાય છે. આખા જીવલોક રેટના રૂપક સાથે મળતો આવે છે અને પ્રત્યેક જીવ કુવા સાથે જાય છે. રેટ ગમે તે કૂવા સાથે જોડી શકાય છે અને તેમાંથી બળદની સહાય વડે પાણી બહાર કાઢવામાં આવે છે પણ તે એ જીવના સંબંધમાં ખેડૂત અને હળપતિ સહાય કરે તે જ પાણી કાઢવાનું કામ બની શકે છે; નહિ તો પાણી કાઢવાનું બનતું નથી, યંત્ર લાગુ જ પડતું નથી. હવે કાની ઉપર આવીએ તે ત્યાં ચાર ખેડૂત-ખેચનારાઓ ઉપરાંત પાણી સંબંધી કામ કરનારા હાસ્ય જોક ભય વિગેરે દેખાય છે અને રતિ અરતિ જુગુપ્સા વિગેરે દાસીઓ ફવા ઉપર રહી કામ કરે છે. માત્ર એકલા ખેડૂતો આવું મહાભારત કામ ઉપાડી શકે નહિ અને પાણીની વહેચણી કરવા, બરાબર યોજના કરવા અને પાણી બરાબર જગ્યાએ બીજે પવે તે માટે કામ કરનારાની ખેતરમાં ઘણી જરૂર પડે છે અને તે સર્વ કામ આ દાસે અને દાસીઓ કરે છે. એ પત્ર ચાલ્યા કરે છે એમ દુરથી આવતા મરણ નામના અવાજથી જણાયા કરે છે. તમે કેઇ રેટ ચાલતો જે હોય તો જણાશે કે ઘણે દરથી અવાજ થયા કરતા હોવાથી રેંટ ચાલતો હોવાના ભણકારા થયા કરે છે. એવી રીતે મરણપ્રસંગે બૂમો પડ્યા જ કરતી હોય છે, નિઃસાસા રૂદન અને શોકથી સંસાર ચાલતે દેખાય છે. માત્ર આ વાતને ખ્યાલ વિવેકી પ્રાણીઓને જ આવે છે. પૂર્વોક્ત કુવામાંથી અવિરતિજળ ઘડીઓમાં ભરાઈને આવે છે. “અજ્ઞાન મલીન આત્મા’ નામના પરનાળામાં ખાલી થાય છે. કૂવો અસંયત છવ નામને છે અને ઉપરનું પરનાળું અજ્ઞાન મલીન આમાં નામનું છે આ વાતમાં બહુ રહસ્ય છે. અસંયત જીવમાં રહેલ અવિરતિરૂપ જળ ઉપર રહેલા ચાર ખેડૂતે દ્વારા કષાયબળદો મારફત ઘટમાળમાં ભરાઈ ભરાઈને ઉપર આવે છે અને અજ્ઞાન મલિન [ચાલુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy