SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ અને તેમણે ઘણે પ્રયત્ન કરી મને પ્રતિબંધ કર્યો, આ ભવરેંટ બરાબર કેવા પ્રકારનો છે તે ઘણું વિસ્તારથી બતાવ્યું અને ત્યાર પછી મને કહ્યું “હે મૂઢ! આ આખા રેટને તું જ સ્વામી છે, એ સર્વનું ફળ ભોગવનાર તું જ પડે છે તે વાતમાં જરા પણ સંશય નથી; પણ એ વાત તું પિતે કેમ જાણતો નથી? માટે ભાઈ! બરાબર સમજ! તું અનંત દુઃખ ભોગવે છે અને ભૂતકાળમાં તે ભોગવ્યાં છે તેમ જ આગામી કાળે ભેગવીશ તેનું કારણ આ ભવૉટ જ છે, માટે તે એને તજી દે? એ માર્ગદર્શન કરાવનાર પોપકારી મહાત્માને મેં કહ્યું કે એ ભવરેટનો ત્યાગ કેવી રીતે થાય તે આપ મને સમજાવો.” મારા એ સવાલના જવાબમાં તેઓશ્રીએ મને કહ્યું “તું દીક્ષા લે. જે ઉત્તમ પ્રાણીઓ ભાવથી ભગવાનની દીક્ષા લે છે તેના સંબંધમાં આ ભવરેટ હીન થઈ જાય છે, નાશ પામી જાય છે.” “એ મારા ગુરૂના એવાં વચન સાંભળીને મેં તે વચનને સ્વીકાર કર્યો અને દીક્ષા અંગીકાર કરી. એવી રીતે મને વૈરાગ્ય પ્રાપ્ત થવાનો પ્રસંગ થયો હતો.” અકલંક મુનિમહારાજનાં વચન સાંભળીને કહ્યું-“ભગવાન ! આ પને વૈરાગ્યનું કારણ તે બહુ સારું પ્રાપ્ત થયું. કયા સમજુ માણસને આ સંસાર અરઘટ્ટઘટ્ટ (જૈટ) નજરમાં આવ્યું હોય-જોવામાં આવ્યું હોય તે તે સંસારપરથી વિરક્તિ માટે ન થાય? આ મુનિ મહારાજને નમીને અકલંક અને હું બીજા મુનિ મહારાજ સમક્ષ જવા ચાલ્યા. ૧ અરઘટ્ટ ઘટ્ટી યંત્ર-ફેંટ. સાધારણ રીતે દરેક વૈરાગ્યપ્રસંગને ઉપનય ઉતારવામાં આવ્યો છે, પણ આ રેટનું ઉદાહરણ ઉપનય ઉતાર્યા વગર જ રહેવા દીધું છે. ગ્રંથકર્તાને તે કદાચ જરૂરી નહિ લાગ્યું હોય, કારણ કે હકીકત અને રૂપકે બીજા અને ત્રીજા પ્રકરણને ઘણું મળતાં આવે તેવાં છે અને રૂપકેનાં નામે કથાપ્રસંગમાં સૂચિત રીતે મૂકયાં છે. આપણે મુદ્દાની વાત જરા વિચારી લઈએ. આ વાત સમજ્યા પહેલાં રેટયંત્ર જેવાની ખાસ જરૂર છે. જેણે એ કદિ જોયું નહિ હોય તેને આ વાતનો બરાબર ખ્યાલ આવવા સંભવ નથી. કુવે એ આ ત્યાગ વૈરાગ્ય વગરને સંસારરસિયો “છ” પિતે જણાય છે, તેનામાં ત્યાગના અભાવ (“અવિરતિ) રૂ૫ જળભરેલું છે. હવે એ કુવા ઉપર ચાર ખેડૂતો કામ લઈ રહ્યા છેઃ રાગ દ્વેષ મનભાવ અને મિથ્યાદર્શન. એ ચારેનું કામ પાણી કાઢીને ખેતરોમાં લઈ જવાનું છે. પાણી અવિરતિરૂપ છે તે આપણે ઉપર [ચાલુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy