SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮૩ પ્રકરણ ૪] અરઘટ્ટઘટ્ટી યંત્ર (રેંટ). ભરાઈને પછી ખાલી થતી હતી અને તેમ કરીને પાણીના જથ્થાને બહાર કાઢતી હતી. એ ઘટીયંત્રને મરણ નામને નકર વારંવાર ચલાવ્યા કરતું હતું અને તે વખતે તેના પાટાઓ ઉતરવાની જગ્યાએથી એવા મેટા અવાજ થતા હતા કે વિવેકી માણસે એ ચાલતા રેટને દૂરથી પણ સમજી' ( સાંભળી) શકતા હતા. “ ત્યાં અજ્ઞાન મલીન આત્મા નામની જળને ગ્રહણ કરનારી પરનાળી હતી. એની બાજુએ દઢ મિથ્યાભિમાન નામે પાણી એકઠી થવાની કેડી હતી, તેની જ સાથે લાગેલી સંકિલષ્ટ્રચિત્તત્તા નામની ખાળ (અણુલિકા) હતી અને તે પ્રણાલિકા ભેગલુપતા નામની અતિ લાંબી પાણીની નીકમાં પડતી હતી. જન્મનાવિસ્તાર રૂપ ત્યાં એક મોટું ખેતર હતું અને અપર અપર જન્મ રૂપ તે ખેતરમાં અનેક કયારાઓ હતા. એ ખેતરના ક્યારાઓમાં કર્મપ્રકતિ જાલ નામનાં બી વાવવામાં આવતાં હતાં અને તતછવપરિણામ નામનો તેને વાવનારો હતો. “જે બીજને વાવવામાં આવતાં તેને રેટના પાણીથી સિંચન થતું હતું અને તેથી જે નિષ્પત્તિ થતી હતી તે સુખદુઃખ વિગેરે ધાન્ય સમૂહને ઉત્પન્ન કરનાર થતી હતી તેથી એ સર્વનું કારણ તે રેટ જ ગણાતું હતું. ત્યાં સતત ઉરસાદી પાણી સીંચનાર અસબોધ સર્વદા તૈયાર જ રહેતા અને તેને તે કામ ઉપર મહામહ રાજાએ ખાસ નીમી રાખ્યો હતે. “ભાઈ અલંક! આવા સર્વ સામગ્રીથી ભરેલા અને હમેશા ભ્રમને ઉત્પન્ન કરનારા સંસારરેટમાં હું ઘણે વખત સુઈ રહ્યો અને બહુ વખત સુધી ત્યાં પડી રહ્યો. જુઓ ! આ સામે દૂર એક ભાગ્યશાળી મુનિમહારાજ ધ્યાનમાં તત્પર થઈ રહ્યા છે અને હાલ જે મારા ગુરૂ કહેવાય છે તેઓને મારા ઉપર દયા આવી, તેઓએ મને ત્યાં સુતેલે જે, તેઓને મારી સર્વ ચેતના ગાઢ મૂઢ થઈ ગયેલી જોઈ ૧ રેટમાં આરાઓ સાથે પટ્ટી હોય છે જેથી રેટ ચાલતો હોય ત્યારે અવાજ થયા જ કરે છે અને દરથી સંભળાય છે. અહીં પટ્ટી ઉપર અવાજ કરનાર મરણ છે તે આગળ સ્પષ્ટ થશે. ૨ ઘડીઓ જેમાં ખાલી થાય તે પરનાળી, ખાલી થાય એટલે પરનાળીમાંથી જળ કડીમાં આવે. ત્યાંથી એક નાળામાંથી નીચે પડી નીકમાં જાય અને નીકમાંથી ખેતરમાં નય. રેંટ બરાબર જોવાથી આ લક્ષ્યમાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy