SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ તેણે તે મુનિરાજને પૂછવું.-“મહાભાગ! સ્પષ્ટ રીતે રેંટ આપને વૈરાગ્યનું કારણ કેવી રીતે થયો તે વિગતવાર અમને સમજાવો.” મુનિએ જવાબમાં કહ્યું “સાંભળે! “હે નત્તમ! મેં જે પાણી કાઢવાને રેંટ જે તે પૂરતા જેસથી ચાલતો હતો, દીવસ અને રાત વહ્યા કરતું હતું, તે આ સંપૂર્ણ એક જ હતો અને તેનું ભવ એવું નામ હતું. “એ રેટના ખેડનારા સાથીઓ ચાર હતા તેઓનાં નામે આ પ્રમાણે છેઃ રાગ, દ્વેષ, મનેભાવ અને મિથ્યાદર્શન, “એ સર્વ સારથીઓને ઉપરી મહામહ નામ હતું. આ રેટ એ મહાપુરૂષના પ્રતાપથી ચાલતું હતું. એ રેટને ખેંચવા માટે સેળ બળદો હતા, કાંઈ પણ ચારે પાણી લેતા નહોતા, છતાં બહુ બળવાનું હોવાથી ઉદ્ધત થઈ રહેલા હતા, અત્યંત વેગવાળા અને ઘણું ઉતાવળથી કામ કરનારા હતા અને કષાય નામથી ઓળખાતા હતા. એ રેંટને અંગે કામ કરનારા હાસ્ય, શેક, ભય વિગેરે નિપુણસેવકે હતા અને વળી જુગુપ્સા, રતિ, અરતિ વિગેરે દાસીઓ પણું કામ કરવા તૈયાર હતી. એ રેટને દુગ અને પ્રમાદ નામના બે ઘણું મોટા તુંબા હતા અને વિલાસ, ઉલ્લાસ અને ચાળા નામના એ રેટને આરાઓ હતા. ત્યાં અસયંતજીવ નામને મહાભયંકર અતિ ઊંડે કુ હતું, એ પાપથી અવિરતિરૂપ જળથી ભરેલો હતો અને એટલે ઊંડે પાતાળમાં ગયેલો હતો કે એનું તળીયું પણ જણાતું ન હતું. ત્યાં જીવલક નામની ઘટમાળ (પાણી કાઢવાનું યંત્ર) અત્યંત વિસ્તારવાળી હતી તે પાપથી અવિરતિરૂપ પાણીના જથ્થામાં મગ્ન થઈ ૧ કર્ષિક શબ્દ અસલ છે. તેને અર્થે ખેડુત અથવા ખેંચનાર છે. કાઠિયાવાડમાં એને “સાથી' કહે છે. ૨ પ્રથમ વર્ણન ઉપર રહેલી ચીજો તથા પ્રાણીઓનું ચાલે છે. કામ કરનાર દાડીઓ તેમજ સ્ત્રીઓ કોઈ પણ રેટ પાસે હોય જ છે તે બન્નેને પ્રકાર અત્ર બતાવ્યો. હવે કુવા પાસે અને અંદર તેમજ રેંટની પોતાની રચના વિગતવાર બતાવશે. ૩ સતત પાપ પ્રવૃત્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy