SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૭] તૃતીય વિભાગ-કથાસાર. ૨૫ પ્રકરણ ૧૧ સું. મહામેાહ અને મહાપરિગ્રહ. જ્ઞાનસંવરણ રાજાને પાછા હઠવાની વાત મે।હરાજાની છાવણીમાં જણાતાં તેએ સર્વ ચોંક્યા અને મૂળથી શત્રુને ઉખેડવા તૈયાર થયા. પણ આ વખતે મેહરાયે પોતે જ જવાના વિચાર કર્યા અને સેનાનીઓને જરૂર પડયે આવવા ભલામણ કરી. પુત્ર રાગકેસરના દીકરા સાગરના મિત્ર પરિગ્રહને પેાતાની સાથે લીધેા. ખન્ને (મહામેાહ અને પરિગ્રહ ) ધનવાહન પાસે આવ્યા. તે વખતે પિતા જીમૂતરાજ મરણ પામ્યા. ઘનવાહન ગાદીએ આણ્યે. સદાગમે એને વિષયપર-સાંસારિક પપદાર્થોપર મૂર્છા ન કરવા સલાહ આપી. મહામેાહે ખાવું પીવું આનંદ કરવેશ વિગેરે સલાહ આપી અને પરિગ્રહે ધન એકઠું કરવાની સલાહ આપી. આવી વિધી સલાહથી ઘનવાહન ગભરાયે!, એટલે દૂર રહેલેા જ્ઞાનસંવરણ રાજા નજીક આવ્યા અને મેાહ પરિગ્રહની સલાહ સ્વીકારાવી. પછી ગુરૂદેવપૂજા ધનવાહને મૂકી દીધી, સદાગમ પાસે જવાનું બંધ કર્યું અને ધનના સંગ્રહ કરવા માંડયો. કાવિદાચાર્ય સાથે અકલંક મુનિ ત્યાં આવી ચઢા, મન વગર માત્ર દાક્ષિણ્યથી ધનવાહન વાંદવા ગયેા. પ્રસંગ જોઈ અકલંકે સદાગમનું માહાત્મ્ય અને દુજૈનસંગતિનાં પરિણામ જણાવવાં કાવિદાચાર્યને વિનતિ કરી. ગુરૂએ વિજ્ઞપ્તિ સ્વીકારી. પૃષ્ઠ. ૧૭૭૧-૧૭૭૭ પ્રકરણ ૧૨ સુ. શ્રુતિ કેાવિદ અને માલિશ, કાવિદાચાર્યે વાર્તા કરી. એક ક્ષમાતળ નામનું નગર છે. ત્યાં સ્વમળનિચય નામને રાજા છે. તેને તદનુભૂતિ નામની રાણી છે. એ રાણીને કાવિદ અને ખાલિશ નામના બે પુત્ર થયા. કાવિદને પૂર્વ સંસ્કારથી સદાગમ સાથે પરિચય હતા તેથી તેને હિત કરનાર વડિલ તરીકે સ્વીકારી રહ્યો. માલિશને એણે સદાગમની વાત કરી પણ એણે માની નહિ. કર્મપરિણામે એમની પાસે શ્રુતિ કન્યા મેકલી આપી. એ પસંદગીથી વરનારી હતી. એને સંગ નામનેા ચાલાક નોકર હતા. એ કાવિદ અને આલિશ ખન્નેને વરી. એ ભાઇએને નિજદેહ નામના પર્વત ક્રમામાં હતા. એના ઉપર મૂષઁન નામનું શિખર હતું. એની એ ખાજુએ શ્રવણ નામના એ એરડા હતા ત્યાં શ્રુતિ રહી. માલિશ તેા શ્રુતિમાં લુબ્ધ થઇ ગયા અને સંગ કહે તે સર્વ કરવા લાગ્યા. શ્રુતિને પ્રિય સંગિત મધુર ધ્વનિ એને રાજી કરવા એ સાંભળવા લાગ્યા અને શ્રુતિને રાજી રાખવા લાગ્યા. સદાગમે શ્રુતિનું એળખાણ બરાબર કાવિદને કરાવ્યું. એ રાગકેશરની દીકરી છે પણ પ્રપંચથી એને કર્મપરિણામની દીકરી તરીકે જાહેર કરી છે. એ વિશ્વાસ કરવા યાગ્ય કન્યા નથી એમ જાણ્યું એટલે કાવિદે પરણેલી હેાઇ એને તજી નહિ પણ એ ચેતતા રહ્યા અને સંગ દાસીપુત્રની તેા સામત જ એણે કરી નહિ, ડુંગશિખર નામના પર્વત ઉપર એક વખત બન્ને ભાઇએ ચઢવા. એની એક ગુફામાં એ ગંધર્વ જોડલાં ગાનમાં સ્પર્ધા કરી રહ્યા હતાં. આલિશ શ્રુતિને રાજી રાખવા ત્યાં ચૂપચાપ ઊભેા રહ્યા. ગાનના રસમાં ગુફામાં પડી ગયા, પકડાઇ ગયા. એને ગાંધવોંએ ખૂબ માર્યો, વેદના ભેાગવી તે પરિણામ પામ્યા. કાવિદે શ્રુતિમાં આસક્તિ કરી નહિ તેથી તે સુખી થયા, ધર્માષ પાસે દીક્ષા લીધી અને ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy