SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૪ [ પ્રસ્તાવ છ ક્રૂર છે, પ્રથમની સર્વથી વધારે ક્રૂર છે, એ પ્રાણીને કચરા એકઠા કરાવે છે અને અન્તરમાં રખડાવે છે. પ્રથમની ત્રણ ખરાબ છે, છેલ્લી ત્રણ પ્રમાણમાં સારી છે. એ સીઆએ પરિણામ નામને દાદર બનાવ્યા છે અને તેને અધ્યવસાય સ્થાન રૂપ પોતાનાં રંગનાં અસંખ્ય પગથી બનાવ્યાં છે. વાનરખસ્સું પ્રથમની ત્રણ સ્ત્રીના દાદરપર ફરતું હેાય છે ત્યાં સુધી ઉછળીને પેલા ગેાખ તરફ દેાડે છે, આંખાપર લાંગ મારે છે અને જમીનપર પડી રજવાળું થાય છે અને છેવટે દુ:ખ ઉપદ્રા ભાગવે છે. તેથી પેલા દાદરના ઉપરના પગથીઆપર એ વાનરબચ્ચાને લઈ જવું એટલે એ જેમ ઉંચે ચઢતું જશે એમ એના સંતાપેા ઘટતા જશે. વળી એ ત્રણ સ્ત્રીના ઉપરનાં પગથીઆમાં ધર્મધ્યાન નામને પવન વાય છે એથી એને ઘણી શાંતિ થશે. ઉપર ચઢતાં એને અનુકૂળ અનેક તે સર્વ તેને હિત કરનાર થાય છે. છઠ્ઠી સ્ત્રી એને શુકલધ્યાન નામનું વિલેપન કરશે એટલે અરધે રસ્તે એ ગાઢ આનંદમાં ગરકાવ થશે. પછી એ ઉપર ચઢી શકરશે નહિ. તારે તેને ત્યાં છેડી દેવું અને ઝપટ મારી ઉપર ચઢી જવું. પછી તને નિરંતરને આનંદ થશે. અકલકે આ વાત બહુ ધ્યાનપૂર્વક સાંભળી અને તેને તેમાં ખૂબ રસ પડયો. વાનાનું યૂથ મળશે અને પૃષ્ઠ. ૧૭૪૭–૧૭૬૦. પ્રકરણ ૧૦ સું. સદાગમ સાન્નિધ્ય, અકલંક દીક્ષા. અકલંકે ધનવાહનને કહ્યું કે આ મુનિ (છઠ્ઠા)ના કહેવાનેા ભાવાર્થ એ છે કે સંસારસમુદ્રના પારનું કારણ મન છે, સંસારનું કારણ પણ મન જ છે. એનાં અધ્યવસાયસ્થાને એને વિચિત્ર યાનિએમાં મેકલે છે. એ ચિત્ત ખરૂં અંતરધન છે અને એનું સારી રીતે રક્ષણ કરવાની જરૂર છે. પરમ સુખ પ્રાપ્ત કરવાની ચાવીએ। બતાવતાં એ ચિત્તવૃત્તિની સ્થિરતા પર જ છે એમ કહ્યું. એનાં પર મનન કરવા યેાગ્ય દશ લેાકા. સંસારીવે પેાતાની વાર્તા આગળ ચલાવતાં અગૃહીતસંકેતાને કહ્યું કે અગાઉ (પાંચમા પ્રસ્તાવના પ્રકરણ ૧૯ માં) વિચારૂં ચારિત્રરાજ અને માહરાયનું યુદ્ધ યું હતું, ચારિત્રરાજની હાર નેઇ હતી અને ચોતરફથી ઘેરાયલા ચારિત્રરાજને છેડી એ બુધ પિતા પાસે આવ્યા હતા તે તને યાદ હશે. એ વાર્તા આગળ ચલાવતાં જીવે કહ્યું કે અફલક ઉપરની વાત મને (ઘનવાહનને) કરતા હતા તે વખતે ચારિત્રરાજને તેના સદ્બેાધ મંત્રીએ જણાવ્યું કે સંસારીજીવની ચિત્તવૃત્તિ અત્યારે ઉજ્જ્વળ દેખાય છે તેા કાઈ માણસને મેાકલવા જોઇએ, છેવટે ચર્ચા કરીને સદાગમને ત્યાં મેાકલવા નિર્ણય કર્યો, કારણ કે એ દર્શનની ઇચ્છા તેનામાં ઉત્પન્ન કરશે એમ ગણતરી થઇ, વધારે વાત એ પણ થઇ કે સમ્યગ્દર્શનને હજી મેાલવાનેા અવસર નથી અને એને મેાકલવાની વાત મુલ તવી રહી. સદાગમને ઘનવાહન પાસે મેાકલ્યા. સદાગમ ધનવાહન પાસે આવ્યે એટલે જ્ઞાનસંવરણ રાન્ત વધારે ઊંડા ઉતરી ગયા, પાછા હઠી ગયા. એ વખતે અકલંક અને ઘનવાહન (કેાવિદાચાર્ય) ગુરૂમહારાજ પાસે ગયા. ત્યાં ઘનવાને સદાગમને એળખ્યા અને તેનું ખળ જાણ્યું. મિત્રને રાજી કરવા ઘનવાહને સદાગમ સાથે સંબંધ જોડચો પણ તે ઉપર ઉપરના હતા. અકલંકે દીક્ષા લીધી અને અન્યત્ર વિહાર કર્યો. પૃષ્ઠ. ૧૭૬૧-૧૭૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy