SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૬૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ “ ભાઇ ઘનવાહન ! એ મુનિએ આપણને જે વાત કરી તેના < ભાવ એમ સમજવા કે કરૂણાતત્પર બ્રાહ્મણાના આકાર ધારણ “ કરનારે તેને ( મુનિને) બેધ આપ્યા. ' “ હવે આ કથાનકમાં મુનિમહારાજે બીજી જે વાત કરી તે પ્રથમ મુનિ સંબંધી વાત કરી હતી તેનાથી તને સ્પષ્ટ થઇ « જાય તેવી છે તેથી તેના સંબંધમાં ફરીવાર વર્ણન “ કરતા નથી. જો ભાઇ! ત્યાગ (વિરતિ) વગરના સર્વ “ પ્રાણીએ કર્મરૂપ દારૂમાં આસક્ત અને લચપચ “ છે એ તેા ઉઘાડી વાત છે અને સંસારરૂપ મદિરાશાળામાં રહેવા છતાં “ સાધુઓ તેનાથી તદ્દન દૂર છે, તેના વગરના છે, તેનાથી પરા મુખ “ છે એ વાત પણ ઉઘાડી છે. એ કર્મમદ્યથી આ સાધુના જીવને “ પેલા સાધુઓએ યત્નપૂર્વક નિવાર્યો, રેાક્યો, ઠેકાણે આણ્યા અને “ ત્યાર પછી આ સાધુએ દીક્ષા લીધી-એ એના વેરાગ્યનું કારણુ થયું. “ દીક્ષાના ઝેરથી મદ્યના અજીર્ણરૂપ કર્મઅજીર્ણને ઝેરવી નાખીને “ એ મુનિ સંસારરૂપ મદિરાશાળાની બહાર ચાલ્યા જશે, સર્વથા એ “ મદિરાશાળાથી મુક્ત થઇ જશે. સ્પષ્ટ ઉ ૫ ન વ. “ અને ભાઇ ઘનવાહન ! આવી દુ:ખદ અને ગંદી દારૂશાળામાં આપણા જેવાએ સમજી જાણી વિચારીને રહેવું તે જરા પણ યાગ્ય નથી, આપણને તે શાભતું નથી.” અહે। અગૃહીતસંકેતા ! આવી રીતે અકલકે વિસ્તારથી વિવેચન કર્યું પણ મને તેનાથી કાંઇ પણ બેધ થયા નહિ અને જેમ શૂન્ય અરણ્યમાં મુનિ મૌન ધારણ કરે તેમ હું ચૂપ રહ્યો. ત્યાર પછી અમે ત્રીજા મુનિ પાસે આવી પહોંચ્યા. ૧ સંસારીજીવ હવે ખેલે છે. અહીં અકલંકનું વિવેચન પૂરૂં થાય છે. આખી વાર્તા સંસારીજીવ અગૃહી॰ પાસે કહી જાય છે તે લક્ષ્યમાં રાખવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy