SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] દારૂનું પીઠું (મદિરાશાળા). ૧૬૭૯ મનુષ્ય જ્યારે પોતાની જાતને સંસારવ્યાધિથી ભરપૂર થયેલ જુએ છે અને પછી ઉપાય કરવાથી શમરૂપ આરોગ્ય પોતાને થતું જુએ છે છે ત્યારે તે ઉપાયો પિતાના આત્મામાટે કરવામાં તે પિતામાં જેટલી શક્તિ હોય તેટલીને પ્રસન્ન ચિત્તથી પૂરતો ઉપયોગ કરે છે અને મક્કમ“પણે વધારે આરોગ્ય પ્રાપ્ત કરવાના કામમાં વધતે ચાલે છે તેમજ તે માટે ચારિત્રને પ્રાપ્ત કરીને તેમાં કમસર આગળ આગળ વધતો જાય છે. ત્યારપછી તે સર્વજ્ઞ થઈ ભપગ્રાહી' કમને છેવટે જ્ઞાનયોગના “જોરથી ક્ષય કરી શાશ્વત મોક્ષને પ્રાપ્ત કરે છે. આવી મહા “કલ્યાણ“પરંપરા” મહાત્મા સાધુઓની સેવનાથી ઘણું કરીને પ્રાણુને પ્રાપ્ત થાય છે. “એ છેલ્લી હકીકત કહી તેના સંબંધમાં સમજુ ડાહ્યા માણસો અગાઉ કહી ગયા છે કે ભક્તિપૂર્વક નિરંતર સાધુની સેવા, ભાવપૂર્વક પ્રાણુઓ તરફ મૈત્રી અને પોતાના ગ્રહને મોક્ષ (આગ્રહથી મૂકાવું તે) એ ધર્મદેતુને સાધનાર બાબતે છે. “સાધુસેવાનાં ફળો આ છે–એનાથી એક તે નિરંતર સાચો અને સારો ઉપદેશ મળે છે, ધર્મને આચાર કરનાર મહાપુરૂષોના દર્શન થાય છે (એટલે ભાવના હૃદયસમુખ રહે છે) અને ગ્ય પાત્રને વિનય કરવાના પ્રસંગો મળે છે. આ ફળો કાંઈ નાનાંસૂનાં નથી, એ મોટાં ફળો છે. મૈત્રી ભાવનાર પ્રાણુને શુભ ભાવ ઉત્તરોત્તર ઉત્પન્ન થાય છે “અને શુભ ભાવરૂપ જળના છંટકાવથી દ્વેષરૂપ અગ્નિ ઠંડે પડતા “જાય છે. એ દ્રેષ અગ્નિમાં લાકડાં કે ઘાસ નાખવાથી તે વધે છે “પણ મૈત્રીભાવ એ અગ્નિને બુઝવે છે. “ખેટા ગ્રહને મૂકી દેવાથી સર્વ દેને ઉત્પન્ન કરનાર અને સર્વ ગુણેને ઘાત કરનાર તૃષ્ણ ચાલી જાય છે. આવી રીતે ગુણના સમૂહથી યુક્ત થયેલ વિશુદ્ધ આત્મા પિતાના આશયમાં સ્થિર રહીને કાર્ય સાધે છે તેને તત્ત્વજ્ઞાનીઓ સમ્યગ ધર્મનો સાધક એવા નામથી-સંબંધનથી બોલાવે છે. ૧ ભપચાહી કર્મઃ વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય-આ ચાર ભોપગાહી કેમ કહેવાય છે. - ૨ સમજી, ડાહ્યા (મનીષી)-આ વિશેષણ હરિભદ્રસૂરિ મહારાજને માટે વાપરવામાં આવ્યું છે, કેમ કે આ પાંચે પારિગ્રાફના શ્લેકે શાસ્ત્રવાર્તાસમુચ્ચયના છે જેના કર્તા શ્રીહરિભદ્રસૂરિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy