SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] દારૂનું પીઠું (મદિરાશાળા). ૧૬૭ બ્રાહ્મણબોધ. અનાદિ સંસારના તથા પ્રકારના સ્વભાવને વેગ થવાથી કર્મની વધારેમાં વધારે (ઉત્કૃષ્ટી વિગેરે સ્થિતિ જોગવીને પછી પ્રાણીને “મનુષ્ય વિગેરે જાતિમાં સુસાધુમહાત્માઓને સંબંધ થઈ જાય ત્યારે પણ ઘર્ષણથુન ન્યાયે તેને ઘણુંખરૂં દ્રવ્ય શ્રુતની પ્રાપ્તિ થાય છે પણ કમદિરાના ઘેનમાં તેને સમ્યકત્વની તથા જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તથા તે સક્યિા આદરી શકતો નથી અને સારા સાધુઓના સબંધનો લાભ લઈ શકતો નથી–આ મારૂં અત્યંત ખાધરાપણું સમજવું. તે ઘાયું ભયંકર તથા સંસાર વધારનાર હોઈને એના બળથી આ જીવ બેભાન જેવો થઈ વારંવાર ભ્રમણ કર્યા કરે છે જેથી એમ કરતાં જ્યારે કાળ વિગેરે સર્વ હેતુઓ અનુકૂળ થાય છે ત્યારે “આ પ્રાણી અતિ આકરી કર્મની ગાંઠને શુભ ભાવ વડે છેદીને (કાપી “નાખીને) કઈ કઈ પ્રાણી જ માત્ર મહા મુશ્કેલીમાં મેળવી શકે તેવું “અને તેથી રાધાવેધની ઉપમાને ગ્ય સુંદર દર્શન પ્રાપ્ત કરે છે. “ઉપર કહેવામાં આવ્યું છે કે સુસાધુઓ ધર્મદેશનારૂપ પિકાર કરીને બુમ પાડે છે ત્યારે તેના જવાબમાં પ્રાણી હોંકારે દે છે–એ આ “ધર્મદેશનાના ધરૂપ હોંકારે સમજ. એના (હોંકારાના) સંબંધમાં બીજા “દર્શન,” “મુક્તિબીજ,” “સમ્યકત્વ,” “તત્વવેદન,” “દુઃખાન્તકૃત,” “સુખારંભ” વિગેરે શબ્દ યોજવામાં આવે છે. એ “સર્વ શબ્દો એક જ વાતને (હકારાને) સૂચવે છે. પ્રાણી જ્યારે “સમ્યગ્દર્શન વાળા થાય છે ત્યારે પછી તત્ત્વશ્રદ્ધાનથી તેને આત્મા “પવિત્ર થાય છે અને પછી તે સંસારસમુદ્રમાં રખડતો નથી. તે “પ્રાણી ત્યાર પછી સભ્યશાસ્ત્રને અનુસારે જેનું જેવું રૂપ હોય તેવું “વાસ્તવિક સ્વરૂપ પિતાની બુદ્ધિચક્ષુઓથી જુએ છે; જેમ કેઈ “પ્રાણુને આંખનો રોગ થયેલો હોય તે મટી જાય ત્યારે જેમ તે “વસ્તુનું રૂપ બરાબર જુએ તેવી તેની સ્થિતિ થાય છે તેવી રીતે યથાસ્થિત રૂપ જોઈને પ્રશાંત અંતરાત્માવડે પરમ સંવેગભાવને આશ્રયીને વસ્તુઓની અંદર રહેલા આંતર ભાવોપર યથાયોગ્ય વિચારણું ૧ ઘર્ષણપૂર્ણ ન્યાયઃ નદીમાં પથ્થર ઘસાતો અફળાતો ગોળ થઈ જાય છે, કોઈ તેને ખાસ ધડતું નથી તે પ્રમાણે ૨ દ્રયકૃતઃ ઉપર ઉપરનું જ્ઞાન, આત્માને અસર ન કરે તેવું. ૩ ખાધરાપણું તે અહીં દારૂ પીવાની તીવ્ર ઈચ્છા સમજવી. ૪ મુખ્ય હેતુઓ પાંચ છે: કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યોગ અને કર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy