SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭૬ ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૭ ૧૦. ત્યાર પછી સંભઈમ અને ગર્ભજ બે પ્રકારના મનુષ્ય જણાવવામાં આવ્યા છે. ૧૧. ત્યાર પછી ચાર નિકાય (ભુવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક)ના દેવતાઓ બતાવવામાં આવ્યા છે. ૧૨. ત્યાર પછી બ્રાહ્મણની સંજ્ઞાથી જે મનુષ્ય બતાવવામાં આવ્યા છે તે ઇંદ્રિયપર સંયમ રાખનાર ત્યાગી વૈરાગી સંયત મનુ-મુનિવર્યો દર્શાવવામાં આવ્યા છે. ૧૩. ત્યાર પછી સંસારમદિરાશાળાથી તદ્દન બહાર રહેલા મુક્ત જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે. (મેક્ષમાં ગયેલા અનંત જી.) એ સર્વ વિભાગના પ્રાણીઓનું સંખ્યા પ્રમાણ કેટલું છે તથા તેમનાં લક્ષણે કેવાં છે તે પણ તે સાથે બતાવવામાં આવ્યું છે. તેને એના સંબંધમાં વિચિત્ર પ્રકારના બનાવો કેવા કેવા બને છે તે પણ સંક્ષેપમાં સાથે જ બતાવવામાં આવ્યું છે. મુનિ મહારાજે પોતે કર્મ મદ્યનું પાન કરનાર પિતાની જાતને (પિતાના આદશ વિભાગો- માને ) વર્ણવીને બતાવી દીધી, તેમાં તેઓએ માં રખડપા. બતાવ્યું કે પિતે પ્રથમ તે અસંવ્યવહાર જીવરાશિમાં અનંતકાળ સુધી રહ્યા હતા, ત્યાંથી અનંત કાળ ગયા પછી પોતે બહુ મુસીબતે બહાર નીકળ્યા એમ પણ સાથે સમજાવી દીધું ત્યાર પછી સંવ્યવહાર વનસ્પતિમાં પોતાને ઘણે કાળ રહેવું પડ્યું એમ મુનિરાજે જણાવ્યું; ત્યાર પછી દશે સ્થાનમાં અવારનવાર ફરી ફરીને બહુ ભટકવું પડ્યું એમ મુનિરાજે વાત કરી. માત્ર એ અસંવ્યવહાર નગરમાં ફરીવાર ગયા નહિ અને તેમને છેલ્લા બ્રાહ્મણના અને મુક્ત આત્માઓના વિભાગમાં કદિ પ્રવેશ થયો નહિ એમ તેમણે સમજાવ્યું. એ દશ વિભાગમાં તેમના આત્માએ કેવી કેવી તીવ્ર પીડાઓ સહન કરી તે તેમણે સ્પષ્ટ કર્યું છે. તેટલા માટે હે ભાઈ! આ સંસાર દારૂના પીઠા જેવો છે અને આત્માને દુ:ખ થવાને હેતુભૂત છે એમ મુનિ મહારાજે આપણને “સમજાવ્યું. વળી તેઓએ છેવટે કહ્યું કે મદિરાશાળામાં રહેલા “બ્રાહ્મણે તેને જોયા અને તેમને યતપૂર્વક પ્રતિબોધ કર્યો તે વાતની પણ જના બરાબર થઈ ગઈ તે આવી રીતે – ૧ ગર્ભથી ઉત્પન્ન થાય તે ગર્ભજ, ગર્ભસિવાય થયેલા, જન્મેલા તે સંસઈમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy