SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ “લેકોને પિતાના મંડળમાં બોલાવવા માંડ્યા અને તે ધર્મદેશનાથી “તેમનું પિતાના તરફ આકર્ષણ કર્યું, ત્યારે કેટલાક ભાગ્યશાળી મહાપુરૂષો “ભગવાનનાં વચનો સાંભળીને તે મંડળમાં દાખલ થયા, પરંતુ આવા લેકેની સંખ્યા પ્રમાણમાં બહુ ઓછી થઈ કારણ કે આ સંસારમાં “જીવોની સંખ્યા છે. તેની સાથે સરખાવતાં તેઓ તો માત્ર અનંતમે “ભાગે જ હોય છે. આવા લેકે જેઓ એ મંત્રવાદીના મંડળમાં “દાખલ થયા તેઓ અગ્નિના તાપથી મુકાયા (મુક્ત થયા). બાકીના મહા મૂઢ જીવો રાગદ્વેષ રૂપ અગ્નિવડે અત્યંત બળી રહેલા આ સંસારને “વિષ” વડે શાંત કરવા સામાન્ય મૂઢતા. “ પ્રયત્ન કરે છે, તેઓ સ્ત્રીપુત્ર ઉપર આસક્તિ રાખી પૈસા એકઠા કરે છે અને પાંચ ઇન્દ્રિયને છટી મૂકી તે દ્વારા તાપ ઓછો કરવા પ્રયત્ન કરે છે–આ માણસો અગ્નિમાં ખડ અને લાકડાના ભારાઓ નાખીને તે દ્વારા અગ્નિ ઓલવવાના પ્રયત્ન કરવા જેવું કામ કરે છે, પરંતુ તેથી તે અગ્નિ ઉલટ વધી “ પડે છે. વળી જે લેકે વારંવાર ભાયા કપટ કરે છે, લેભ કરે છે, અભિમાન કરે છે, ક્રોધ કરે છે એ સર્વ અગ્નિ શાંત કરવા માટે “ધીના ઘડાઓ આગમાં લાવવા જેવું કરે છે. એ લોકોને મંડળની “અંદર રહેલા લેકે વારંવાર વારે છે, ઘી અને ખડ કે લાકડાથી “અગ્નિ વધશે એમ સમજાવે છે, છતાં તે વાત તેઓ સમજતા નથી, “વા છતાં અટકતાં નથી અને તેઓને બતાવવામાં આવે કે એ “સંસારઅગ્નિ તે “પ્રશમ જળથી જ ટાઢે થાય છે તે વાત તેઓ સમજતા નથી અને તેથી તેઓ પ્રશમરૂપ પાણીનો ઉપયોગ પણ % કરતા નથી, તેમ જ તે સુંદર તીર્થ રૂપ મંડળમાં પ્રવેશ પણ કરતા નથી. “અરે એટલું જ નહિ પણ એવા નિવારણ કરવાના ઉપાય રૂપ વાક્યો “તેઓ સાંભળે ત્યારે તેને અનુસરવાને બદલે ઉલટા બોલનારની “ મશ્કરી કરે છે અને વાતને નરમ પાડી દે છે; એ મહાત્મા મુનિની પેઠે કઈક જ જીવ બોધ પામે છે અને સાચી વાત સમજે છે. એ ૧ તીર્થંકર મહારાજ સંબંધી આ કલ્પના ભવ્ય છે. મંડળ રચે ત્યારે મંત્ર બલવા પડે, રેખા કરવી પડે અને પછી બચવાની ઇચ્છાવાળાને મંડળમાં આ વવા આમંત્રણ થાય. સૂત્ર રૂપ મંત્રની રેખા અત્ર પાડવામાં આવે છે. વળી મંડળ રચવા પહેલા પોતાની જાતને બચાવવા અખ્તર પહેરવું પડે છે. એ તીર્થંકરો પ્રથમથી પહેરી પછી તીર્થમંડળની રચના કરે છે. આખી યેજના યથાસ્થિત અને ભય જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy